UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

ભારતના વિદેશ પ્રધાન જયશંકરે યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં કહ્યું કે જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા છે તેમને રાજકીય ઓથ આપવામાં આવી રહી છે, ત્યારે આપણે તેમના બેવડા વલણને ખુલ્લુ પાડવામાં સંકોચ ન કરવો જોઈએ.

UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ
external affairs minister s jaishankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 7:36 AM

ભારતે ગુરુવારે યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો બેરોકટોક તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને તેમને આ માટે રાજકીય સુરક્ષા પણ મળી રહી છે. જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા છે તેમને સુવિધાઓ આપનારાઓના બેવડા વલણનો પર્દાફાશ કરવા હાકલ કરી હતી.

આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ખતરાના વિષય પર, યુએન સિક્યુરિટી કાઉન્સિલની એક ઉચ્ચ સ્તરીય બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા વિદેશ પ્રધાન એસ જયશંકરે (External Affairs Minister Dr S Jaishankar) જણાવ્યું હતું કે પ્રતિબંધિત હક્કાની નેટવર્કની પ્રવૃત્તિઓમાં વધારો થવો તે ચિંતાને વિષય છે. વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, ISIL-Khorasan (ISIL-K) અમારા પાડોશમાં વધુ શક્તિશાળી બન્યું છે અને સતત તેને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના ઘટી રહેલા ઘટનાક્રમથી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંબધે વૈશ્વિકસ્તરે ચિંતાનો વધારો થવો સ્વાભાવિક છે.

લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ બેખોફ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે તે અફઘાનિસ્તાન કે ભારત વિરુદ્ધ, લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) અને જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) જેવા આતંકી જૂથો સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જેના કારણે તેઓ તેમની આતંકી પ્રવૃતિ રોકટોક વિના ચલાવી રહ્યા છે. વિદેશ પ્રધાને કહ્યું કે આપણે ક્યારેય આતંકવાદીઓને સલામત આશ્રયસ્થાન પૂરું પાડવું જોઈએ નહીં અથવા તેમની વધેલી તાકાતને અવગણવી જોઈએ નહીં.

પાકિસ્તાનનું નામ લીધા વિના જ વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ કે, જ્યાં યુએન પ્રતિબંધિત આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો કથિત રીતે સુરક્ષિત આશ્રયસ્થાન શોધી કાઢે છે અને સરકારી સહાયનો લાભ પણ લે છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે આપણે એવા લોકોને જોઈએ છીએ કે જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલા છે. તે લોકોને રાજકીય આશ્રય અને મહેમાનગતિ કરવામાં આવી રહી છે, ત્યારે અમે તેમના બેવડા વલણને ઉજાગર કરવામાં સહેજે પણ સંકોચ ન કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Healthy Chapati: સાદી રોટલી ખાઈ કંટાળી ગયા છો તો હવે આ પ્રકારની રંગબેરંગી અને હેલ્ધી રોટલી બનાવો

આ પણ વાંચોઃ Droneની મદદથી અમૃતસરમાં ફેંક્યા હથિયાર અને RDX ભરેલો ટિફિન બોમ્બ, NIAએ શરૂ કરી તપાસ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">