AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પડોશમાં હોવા છતા 7 વર્ષ પછી મોદી-જિનપિંગ એકબીજાને મળ્યા, એક કલાકની મુલાકાતમાં બન્નેએ શોધ્યો ટ્રમ્પ ટેરિફનો તોડ !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ચીનની મુલાકાતે છે. અહીં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. બન્ને વચ્ચેની વાતચીતમાં સરહદ પર શાંતિ અને સ્થિરતા પર ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી. આ સાથે, ચીનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી.

પડોશમાં હોવા છતા 7 વર્ષ પછી મોદી-જિનપિંગ એકબીજાને મળ્યા, એક કલાકની મુલાકાતમાં બન્નેએ શોધ્યો ટ્રમ્પ ટેરિફનો તોડ !
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2025 | 11:31 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની ચીનની મુલાકાતે છે. અહીં તેઓ SCO બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં 20 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સરહદ પર શાંતિનું વાતાવરણ છે. જ્યારે, શી જિનપિંગે પીએમ મોદીની ચીન મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે. આ સાથે, તેમણે તેમનું સ્વાગત પણ કર્યું. જિનપિંગે બેઠકમાં કહ્યું કે ડ્રેગન અને હાથીનું એક થવું જરૂરી છે.

ચીનના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી 7 વર્ષ પછી મળ્યા છે. આ જ કારણ છે કે બધાની નજર આ બન્ને નેતાઓની મુલાકાત પર ટકેલી છે. અમેરિકાના ટેરિફ વચ્ચે ભારતની ચીન સાથેની નિકટતા પર આખી દુનિયા નજર રાખી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાનજિનમાં થયેલી દ્વિપક્ષીય બેઠક લગભગ એક કલાક ચાલી. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. પીએમ મોદી સાથે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને NSA અજિત ડોભાલ પણ હાજર હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “ગયા વર્ષે કાઝાનમાં અમારી ખૂબ જ ઉપયોગી ચર્ચા થઈ હતી, જેનાથી અમારા સંબંધોને સકારાત્મક દિશા મળી છે. સરહદ પર સૈનિકો પાછા ખેંચાયા પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે.”

પીએમ મોદીએ બેઠકમાં શું કહ્યું

આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે અમારા સંબંધોને સકારાત્મક દિશા મળી છે. સરહદ પર શાંતિ અને સ્થિરતા છે. કૈલાસ માનસરોવર ફરી શરૂ થયું છે. 2.8 અબજ લોકો આ સાથે જોડાયેલા છે અને સમગ્ર માનવતાને તેનો લાભ મળશે. હું SCOને તેની સફળતા માટે અભિનંદન આપું છું. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ થવી જોઈએ.

પીએમ મોદીને મળ્યા પછી શી જિનપિંગે શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાનજિનમાં થયેલી મુલાકાત હવે પૂર્ણ થઈ ગઈ છે. મુલાકાત બાદ શી જિનપિંગે કહ્યું, ‘વડાપ્રધાન મોદી, તમને મળીને આનંદ થયો. હું SCO સમિટ માટે ચીનમાં તમારું સ્વાગત કરું છું. તેમણે વધુમાં કહ્યું કે ગયા વર્ષે કાઝાનમાં અમારી સફળ મુલાકાત થઈ હતી.’ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિએ લગભગ એક કલાક સુધી વાત કરી.

પીએમ મોદી 7 વર્ષ પછી ચીન પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીનની મુલાકાતે આવ્યા છે. જૂન 2020 માં ગલવાન ખીણમાં થયેલી સૈન્ય અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા હતા. જોકે, તાજેતરના સમયમાં, ચીન અને ભારત વચ્ચે ફરી એકવાર સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સરહદી વિવાદને ઓછો કરવાનો પણ છે.

મોદીનું રેડ કાર્પેટ પર સ્વાગત

7 વર્ષ પછી, ચીનના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. પીએમ મોદીનું ટિઆનજિન એરપોર્ટ પર પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે ભારત (50%), ચીન (30%), કઝાકિસ્તાન (25%) અને અન્ય SCO દેશો પર ઊંચા ટેરિફ લાદ્યા છે. આવી સ્થિતિમાં, આ SCO બેઠકમાં ટેરિફ પર પણ ચર્ચા થઈ શકે છે.

દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">