AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: રશિયાનો યુક્રેનની મસ્જિદ પર મોટો હુમલો, બાળકો સહિત 80થી વધુ લોકો હતા હાજર

રશિયાના સતત હુમલા વચ્ચે મારિયુપોલમાં ફસાયેલા 34 બાળકો સહિત 86 તુર્કી નાગરિકોનું જૂથ ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે. દૂતાવાસના પ્રવક્તાએ મારીયુપોલના મેયરને ટાંકીને આ માહિતી શેયર કરી છે.

Russia Ukraine War: રશિયાનો યુક્રેનની મસ્જિદ પર મોટો હુમલો, બાળકો સહિત 80થી વધુ લોકો હતા હાજર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 4:58 PM
Share

યુક્રેન (Ukraine)ની સરકારે કહ્યું છે કે રશિયન (Russia)સૈનિકોએ મારીયુપોલ શહેર (Mariupol City)માં એક મસ્જિદને નિશાન બનાવી છે, જેમાં 80થી વધુ લોકો રોકાયા હતા. જો કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જાનહાનિની ​​સંખ્યા અંગે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી. અગાઉ, તુર્કીમાં યુક્રેનિયન એમ્બેસીએ માહિતી આપી હતી કે રશિયાના સતત હુમલા વચ્ચે મારિયુપોલમાં ફસાયેલા 34 બાળકો સહિત 86 તુર્કી નાગરિકોનું જૂથ ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે. દૂતાવાસના પ્રવક્તાએ મારીયુપોલના મેયરને ટાંકીને આ માહિતી શેયર કરી છે.

તેણે કહ્યું કે મારીયુપોલમાં કોઈની સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા મારીયુપોલમાં ફસાયેલા લોકોને શહેર છોડવા દેતું નથી. તેણે શહેરને ચારે બાજુથી બંધ કરી દીધું છે, જેના કારણે હજારો લોકો ત્યાં ફસાયેલા છે. બીજી તરફ રશિયાએ આરોપ લગાવ્યો છે કે લોકોના બિન-સુરક્ષિત સ્થળાંતર પાછળ યુક્રેનની નિષ્ફળતા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે “મારીયુપોલમાં સુલતાન સુલેમાન અને તેની પત્ની રોકસોલાના (હુર્રમ સુલતાન)ની મસ્જિદને રશિયન આક્રમણકારો દ્વારા નિશાન બનાવવામાં આવી છે.”

ગોળીબારીથી બચવા માટે છુપાયા હતા લોકો

મંત્રાલયે જણાવ્યું હતું કે 80થી વધુ વૃદ્ધો અને બાળકો ગોળીબારીથી બચવા માટે મસ્જિદમાં છુપાયેલા હતા. આમાં તુર્કીના નાગરિકો પણ સામેલ છે. રશિયા જે કંઈ પણ કરી રહ્યું છે, તે હુમલાનું નામ આપ્યા વગર તેને સૈન્ય કાર્યવાહી ગણાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ માત્ર સૈન્ય વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. રશિયાએ એવા વિસ્તારોમાં પણ હુમલો કર્યો છે જ્યાં નાગરિકો રહે છે.

આ પણ વાંચો: UP: યોગી આદિત્યનાથ હોળી બાદ CM પદના શપથ લઈ શકે છે, આવતીકાલે PM મોદી અને BJP અધ્યક્ષ નડ્ડાને મળશે

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનોને 100 ટકા કોમ્પ્યુટરાઇઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું : અમિત શાહ

Follow Us
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">