Cousin Marriage in Pakistan: પાકિસ્તાનમાં પિતરાઈ ભાઈઓ સાથે લગ્નને કારણે આ રોગના જોખમમાં થયો છે વધારો

પાકિસ્તાનના કેટલાક શહેરોમાં નજીકના સંબંધમાં લગ્નને પરંપરા તરીકે જોવામાં આવે છે. જેના કારણે બાળકોમાં અનેક પ્રકારના આનુવંશિક રોગો જોવા મળી રહ્યા છે.  જેરુસલેમમાં આરબો, પારસીઓ અને દક્ષિણ ભારતીયોમાં પણ નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાની પરંપરા

Cousin Marriage in Pakistan:  પાકિસ્તાનમાં પિતરાઈ ભાઈઓ સાથે લગ્નને કારણે આ રોગના જોખમમાં થયો છે વધારો
marriage in pakistan ( PS : squarespace)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:40 AM

પાકિસ્તાનમાં (pakistan) ઈસ્લામમાં મામા,ફાઈ, માસીની દીકરી એટલે કે બહેન સાથે લગ્ન કરવાની છૂટ છે. જો કે લગ્નની (marriage)આ વ્યવસ્થા સંપૂર્ણપણે વૈકલ્પિક છે. પરંતુ પાકિસ્તાનના કેટલાક શહેરોમાં નજીકના સંબંધમાં લગ્નને પરંપરા તરીકે જોવામાં આવે છે. જો કે, નજીકના સંબંધમાં લગ્નની પરંપરા કોઈ એક ધર્મ અથવા ફક્ત પાકિસ્તાન સાથે જોડાયેલી નથી. દક્ષિણ ભારતીયોમાં પણ સંબંધીઓ સાથે લગ્ન કરવાની પરંપરા છે. ઘણા આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ પ્રથાને કારણે આનુવંશિક વિકારના કેસ વધી રહ્યા છે.

જર્મનીના ડીડબ્લ્યુ ન્યૂઝે નિકાહની આ પરંપરાથી બંધાયેલા પાકિસ્તાનના લોકો પર એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે. આ મુલાકાતમાં લોકોએ પોતાના અંગત અનુભવો શેર કર્યા છે. પાકિસ્તાનમાં રહેતા 56 વર્ષીય ગફૂર હુસૈન શાહ આઠ બાળકોના પિતા છે. શાહે કહ્યું કે અહીંના આદિવાસી રિવાજો અનુસાર તેઓ તેમના બાળકોના લગ્ન પરિવારના નજીકના સંબંધીઓ સાથે જ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

શાહ, જો કે, આવા લગ્નોથી જન્મેલા બાળકોમાં પ્રવર્તતા આનુવંશિક રોગના જોખમોથી સારી રીતે વાકેફ છે. તેણે 1987 માં તેના મામાની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેમના ત્રણ બાળકો સ્વાસ્થ્ય સંબંધી કોઈ બીમારી સામે લડી રહ્યા છે. આ સાથે જ કહ્યું હતું કે, તેના મગજનો વિકાસ થયો નથી, તો તેની દીકરીને બોલવામાં તકલીફ પડે છે. તો બીજી દીકરીને સરખું સંભળાતું નથી. શાહે કહ્યું કે તેણે પોતાના એક પુત્ર અને બે પુત્રીના લગ્ન નજીકના સંબંધીઓ સાથે કરાવવા હતા. તેમના પરિવારના તબીબી ઇતિહાસમાં મેડિલ હિસ્ટ્રી, શીખવા, અંધત્વ અને બહેરાશની સમસ્યાઓનો સમાવેશ થાય છે. ડોકટરોનું કહેવું છે કે આ ઇનબ્રીડિંગને કારણે થયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નજીકના સંબંધી સાથે લગ્નમાં સમસ્યાઓ ઊભી થાય છે જ્યારે પાર્ટનરમાંથી કોઈ એકમાં આનુવંશિક રોગ હોય છે. નજીકના સંબંધમાં લગ્ન કરવાથી જીવનસાથીમાં સમાન આનુવંશિક સમસ્યા આવી શકે છે. આ કિસ્સામાં બાળકમાં બે વિકૃતિઓ થાય છે અને તેનામાં વિકૃતિની શક્યતા વધી જાય છે. જ્યારે જ્યારે સમુદાયની બહાર લગ્ન કરવામાં આવે છે, ત્યારે જનીન પૂલ મોટો બને છે અને બાળકને માતાપિતામાંથી કોઈ પણ સમસ્યા વારસામાં મળવાની શક્યતા ઓછી હોય છે.

બાળરોગ ચિકિત્સક હુમા અરશદ ચીમાએ જણાવ્યું હતું કે ઇનબ્રીડિંગના કારણે પાકિસ્તાનમાં આનુવંશિક વિકૃતિઓના ઘણા કેસ છે. તેમણે કહ્યું કે કેટલીક વિકૃતિઓ સરળતાથી ઓળખી શકાય છે કારણ કે તે ફક્ત ચોક્કસ સમુદાયો અને જાતિઓમાં જ જોવા મળે છે જ્યાં એન્ડોગેમી સામાન્ય છે. હાલમાં, પાકિસ્તાનમાં સૌથી સામાન્ય સમસ્યા આનુવંશિક રક્ત ડિસઓર્ડર થેલેસેમિયા છે, જે લાલ રક્ત કોશિકાઓને ઓક્સિજન શોષી લેતા અટકાવે છે. ચીમાએ કહ્યું કે પાકિસ્તાનમાં આવી વિકૃતિઓને ઓળખવા માટે આનુવંશિક પરીક્ષણ અથવા વિશેષ તપાસની કોઈ સુવિધા નથી. એટલું જ નહીં આનુવંશિક વિકૃતિઓની સારવારનો પણ અભાવ છે.

પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાન, સિંધના દક્ષિણ વિસ્તાર અને ઉત્તર-પશ્ચિમ પ્રાંતોમાં, આદિવાસી પ્રણાલી એટલી મજબૂત છે કે અહીં પારિવારિક જીવન તેમને અનુસરે છે. બલૂચિસ્તાનના રહેવાસી ગુલામ હુસૈન બલોચે જણાવ્યું કે તેમના કુળની બહાર લગ્ન કરવા પર પ્રતિબંધ છે. સિંધમાં પણ પરિસ્થિતિ બહુ અલગ નથી. જ્યાં કુળની બહારના લોકો સાથે લગ્ન, લડાઈ અને હત્યા પણ સામાન્ય છે.

બાળરોગ ચિકિત્સક ચીમાનું કહેવું છે કે બાળકને જન્મ આપતા પહેલા તેની તપાસ કરી લેવી જોઈએ. આનાથી, કોઈપણ પ્રકારની વિકૃતિ અગાઉથી શોધી શકાય છે. આનાથી માતા-પિતાને તે નક્કી કરવામાં મદદ મળશે કે ગર્ભાવસ્થા સાથે આગળ વધવું કે નહીં. વહેલું નિદાન ડિસઓર્ડર સાથે જન્મેલા બાળકની સારવારમાં પણ મદદ કરી શકે છે. તે જ સમયે, સ્વાસ્થ્ય નિષ્ણાત દૌલાએ કહ્યું, ‘લોકોને નજીકના પરિવારના સભ્યોમાંથી બાળકોના જોખમ વિશે જાગૃત કરવા માટે ઘણું કરવાની જરૂર છે. પરંતુ લોકો ધાર્મિક બાબતોમાં આંધળો વિશ્વાસ ધરાવે છે અને તેઓ કોઈપણ દલીલ સાંભળવા માંગતા નથી.

તો બીજી તરફ એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, લોહીના સંબંધમાં લગ્ન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવા લગ્નોમાંથી જન્મેલા મોટાભાગના બાળકોમાં જન્મજાત સમસ્યાઓ જોવા મળે છે. લેન્સેટના અભ્યાસ મુજબ આ લોકોના બાળકોને સૌથી વધુ હાર્ટ સંબંધિત સમસ્યા હોય છે. આ પછી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને સંપૂર્ણ રીતે વિકસિત અંગો ન હોવા જેવી સમસ્યાઓ પણ થાય છે. સંશોધકોના મતે, ખરાબ જીવનશૈલી, ધૂમ્રપાન અને વધુ પડતો આલ્કોહોલ પીવાના કારણે જન્મેલા બાળકોમાં આ સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ જ્યારે એક જ પરિવારમાં લગ્ન થાય છે ત્યારે આ સમસ્યા વધુ જોવા મળે છે.

એવું નથી કે નજીકના સંબંધી સાથે લગ્ન કરવાની પરંપરા માત્ર ઈસ્લામ કે પાકિસ્તાનમાં જ છે. જેરુસલેમમાં આરબો, પારસીઓ અને દક્ષિણ ભારતીયોમાં પણ નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાની પરંપરા છે. દક્ષિણ ભારતમાં એવા ઘણા સમુદાયો છે જે નજીકના સંબંધીઓ સાથે લગ્ન કરે છે. ત્યાં ગોત્રમને ગંભીરતાથી લેવામાં આવે છે અને તેમાં લગ્ન કરવામાં આવતા નથી. એટલે કે એક જ ગોત્રના પુરુષ અને સ્ત્રી વચ્ચે લગ્ન નથી.

ભાઈ તેની બહેન સાથે લગ્ન કરી શકતો નથી તેવી જ રીતે મામા અને ભાણેજના લગ્ન પણ અહીં થઈ શકે છે. ગોત્રમ પ્રણાલી આનુવંશિક અંતર જાળવવા માટે માનવામાં આવે છે અને તેને એન્ડોગેમીના દૃષ્ટિકોણથી સુરક્ષિત પણ માનવામાં આવે છે. અહીં આનુવંશિક અંતર વાસ્તવિક ભાઈ-બહેનો કરતા થોડું વધારે છે. જો કે, એવા સમુદાય અથવા પ્રદેશમાં ‘બહાર’ લગ્ન કરનારાઓ માટે આ કેસ નથી કે જ્યાં પરિવારમાં વૈવાહિક અથવા આનુવંશિક સંબંધો નથી.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે પુરુષોને રોમાન્સ બાદ કેમ આવે છે ઊંઘ ? આ રહ્યો જવાબ

આ પણ વાંચો : રોમિયોએ તેની બર્થડે પાર્ટી દરમિયાન તેના આગામી ગીત ‘તેરા દિવાના’નું ટીઝર લોન્ચ કર્યું, ગીત વેલેન્ટાઈન ડે પહેલા થશે રિલીઝ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">