AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cousin Marriage in Pakistan: પાકિસ્તાનમાં પિતરાઈ ભાઈઓ સાથે લગ્નને કારણે આ રોગના જોખમમાં થયો છે વધારો

પાકિસ્તાનના કેટલાક શહેરોમાં નજીકના સંબંધમાં લગ્નને પરંપરા તરીકે જોવામાં આવે છે. જેના કારણે બાળકોમાં અનેક પ્રકારના આનુવંશિક રોગો જોવા મળી રહ્યા છે.  જેરુસલેમમાં આરબો, પારસીઓ અને દક્ષિણ ભારતીયોમાં પણ નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાની પરંપરા

Cousin Marriage in Pakistan:  પાકિસ્તાનમાં પિતરાઈ ભાઈઓ સાથે લગ્નને કારણે આ રોગના જોખમમાં થયો છે વધારો
marriage in pakistan ( PS : squarespace)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:40 AM
Share

પાકિસ્તાનમાં (pakistan) ઈસ્લામમાં મામા,ફાઈ, માસીની દીકરી એટલે કે બહેન સાથે લગ્ન કરવાની છૂટ છે. જો કે લગ્નની (marriage)આ વ્યવસ્થા સંપૂર્ણપણે વૈકલ્પિક છે. પરંતુ પાકિસ્તાનના કેટલાક શહેરોમાં નજીકના સંબંધમાં લગ્નને પરંપરા તરીકે જોવામાં આવે છે. જો કે, નજીકના સંબંધમાં લગ્નની પરંપરા કોઈ એક ધર્મ અથવા ફક્ત પાકિસ્તાન સાથે જોડાયેલી નથી. દક્ષિણ ભારતીયોમાં પણ સંબંધીઓ સાથે લગ્ન કરવાની પરંપરા છે. ઘણા આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ પ્રથાને કારણે આનુવંશિક વિકારના કેસ વધી રહ્યા છે.

જર્મનીના ડીડબ્લ્યુ ન્યૂઝે નિકાહની આ પરંપરાથી બંધાયેલા પાકિસ્તાનના લોકો પર એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે. આ મુલાકાતમાં લોકોએ પોતાના અંગત અનુભવો શેર કર્યા છે. પાકિસ્તાનમાં રહેતા 56 વર્ષીય ગફૂર હુસૈન શાહ આઠ બાળકોના પિતા છે. શાહે કહ્યું કે અહીંના આદિવાસી રિવાજો અનુસાર તેઓ તેમના બાળકોના લગ્ન પરિવારના નજીકના સંબંધીઓ સાથે જ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

શાહ, જો કે, આવા લગ્નોથી જન્મેલા બાળકોમાં પ્રવર્તતા આનુવંશિક રોગના જોખમોથી સારી રીતે વાકેફ છે. તેણે 1987 માં તેના મામાની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેમના ત્રણ બાળકો સ્વાસ્થ્ય સંબંધી કોઈ બીમારી સામે લડી રહ્યા છે. આ સાથે જ કહ્યું હતું કે, તેના મગજનો વિકાસ થયો નથી, તો તેની દીકરીને બોલવામાં તકલીફ પડે છે. તો બીજી દીકરીને સરખું સંભળાતું નથી. શાહે કહ્યું કે તેણે પોતાના એક પુત્ર અને બે પુત્રીના લગ્ન નજીકના સંબંધીઓ સાથે કરાવવા હતા. તેમના પરિવારના તબીબી ઇતિહાસમાં મેડિલ હિસ્ટ્રી, શીખવા, અંધત્વ અને બહેરાશની સમસ્યાઓનો સમાવેશ થાય છે. ડોકટરોનું કહેવું છે કે આ ઇનબ્રીડિંગને કારણે થયું છે.

નજીકના સંબંધી સાથે લગ્નમાં સમસ્યાઓ ઊભી થાય છે જ્યારે પાર્ટનરમાંથી કોઈ એકમાં આનુવંશિક રોગ હોય છે. નજીકના સંબંધમાં લગ્ન કરવાથી જીવનસાથીમાં સમાન આનુવંશિક સમસ્યા આવી શકે છે. આ કિસ્સામાં બાળકમાં બે વિકૃતિઓ થાય છે અને તેનામાં વિકૃતિની શક્યતા વધી જાય છે. જ્યારે જ્યારે સમુદાયની બહાર લગ્ન કરવામાં આવે છે, ત્યારે જનીન પૂલ મોટો બને છે અને બાળકને માતાપિતામાંથી કોઈ પણ સમસ્યા વારસામાં મળવાની શક્યતા ઓછી હોય છે.

બાળરોગ ચિકિત્સક હુમા અરશદ ચીમાએ જણાવ્યું હતું કે ઇનબ્રીડિંગના કારણે પાકિસ્તાનમાં આનુવંશિક વિકૃતિઓના ઘણા કેસ છે. તેમણે કહ્યું કે કેટલીક વિકૃતિઓ સરળતાથી ઓળખી શકાય છે કારણ કે તે ફક્ત ચોક્કસ સમુદાયો અને જાતિઓમાં જ જોવા મળે છે જ્યાં એન્ડોગેમી સામાન્ય છે. હાલમાં, પાકિસ્તાનમાં સૌથી સામાન્ય સમસ્યા આનુવંશિક રક્ત ડિસઓર્ડર થેલેસેમિયા છે, જે લાલ રક્ત કોશિકાઓને ઓક્સિજન શોષી લેતા અટકાવે છે. ચીમાએ કહ્યું કે પાકિસ્તાનમાં આવી વિકૃતિઓને ઓળખવા માટે આનુવંશિક પરીક્ષણ અથવા વિશેષ તપાસની કોઈ સુવિધા નથી. એટલું જ નહીં આનુવંશિક વિકૃતિઓની સારવારનો પણ અભાવ છે.

પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાન, સિંધના દક્ષિણ વિસ્તાર અને ઉત્તર-પશ્ચિમ પ્રાંતોમાં, આદિવાસી પ્રણાલી એટલી મજબૂત છે કે અહીં પારિવારિક જીવન તેમને અનુસરે છે. બલૂચિસ્તાનના રહેવાસી ગુલામ હુસૈન બલોચે જણાવ્યું કે તેમના કુળની બહાર લગ્ન કરવા પર પ્રતિબંધ છે. સિંધમાં પણ પરિસ્થિતિ બહુ અલગ નથી. જ્યાં કુળની બહારના લોકો સાથે લગ્ન, લડાઈ અને હત્યા પણ સામાન્ય છે.

બાળરોગ ચિકિત્સક ચીમાનું કહેવું છે કે બાળકને જન્મ આપતા પહેલા તેની તપાસ કરી લેવી જોઈએ. આનાથી, કોઈપણ પ્રકારની વિકૃતિ અગાઉથી શોધી શકાય છે. આનાથી માતા-પિતાને તે નક્કી કરવામાં મદદ મળશે કે ગર્ભાવસ્થા સાથે આગળ વધવું કે નહીં. વહેલું નિદાન ડિસઓર્ડર સાથે જન્મેલા બાળકની સારવારમાં પણ મદદ કરી શકે છે. તે જ સમયે, સ્વાસ્થ્ય નિષ્ણાત દૌલાએ કહ્યું, ‘લોકોને નજીકના પરિવારના સભ્યોમાંથી બાળકોના જોખમ વિશે જાગૃત કરવા માટે ઘણું કરવાની જરૂર છે. પરંતુ લોકો ધાર્મિક બાબતોમાં આંધળો વિશ્વાસ ધરાવે છે અને તેઓ કોઈપણ દલીલ સાંભળવા માંગતા નથી.

તો બીજી તરફ એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, લોહીના સંબંધમાં લગ્ન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવા લગ્નોમાંથી જન્મેલા મોટાભાગના બાળકોમાં જન્મજાત સમસ્યાઓ જોવા મળે છે. લેન્સેટના અભ્યાસ મુજબ આ લોકોના બાળકોને સૌથી વધુ હાર્ટ સંબંધિત સમસ્યા હોય છે. આ પછી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને સંપૂર્ણ રીતે વિકસિત અંગો ન હોવા જેવી સમસ્યાઓ પણ થાય છે. સંશોધકોના મતે, ખરાબ જીવનશૈલી, ધૂમ્રપાન અને વધુ પડતો આલ્કોહોલ પીવાના કારણે જન્મેલા બાળકોમાં આ સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ જ્યારે એક જ પરિવારમાં લગ્ન થાય છે ત્યારે આ સમસ્યા વધુ જોવા મળે છે.

એવું નથી કે નજીકના સંબંધી સાથે લગ્ન કરવાની પરંપરા માત્ર ઈસ્લામ કે પાકિસ્તાનમાં જ છે. જેરુસલેમમાં આરબો, પારસીઓ અને દક્ષિણ ભારતીયોમાં પણ નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાની પરંપરા છે. દક્ષિણ ભારતમાં એવા ઘણા સમુદાયો છે જે નજીકના સંબંધીઓ સાથે લગ્ન કરે છે. ત્યાં ગોત્રમને ગંભીરતાથી લેવામાં આવે છે અને તેમાં લગ્ન કરવામાં આવતા નથી. એટલે કે એક જ ગોત્રના પુરુષ અને સ્ત્રી વચ્ચે લગ્ન નથી.

ભાઈ તેની બહેન સાથે લગ્ન કરી શકતો નથી તેવી જ રીતે મામા અને ભાણેજના લગ્ન પણ અહીં થઈ શકે છે. ગોત્રમ પ્રણાલી આનુવંશિક અંતર જાળવવા માટે માનવામાં આવે છે અને તેને એન્ડોગેમીના દૃષ્ટિકોણથી સુરક્ષિત પણ માનવામાં આવે છે. અહીં આનુવંશિક અંતર વાસ્તવિક ભાઈ-બહેનો કરતા થોડું વધારે છે. જો કે, એવા સમુદાય અથવા પ્રદેશમાં ‘બહાર’ લગ્ન કરનારાઓ માટે આ કેસ નથી કે જ્યાં પરિવારમાં વૈવાહિક અથવા આનુવંશિક સંબંધો નથી.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે પુરુષોને રોમાન્સ બાદ કેમ આવે છે ઊંઘ ? આ રહ્યો જવાબ

આ પણ વાંચો : રોમિયોએ તેની બર્થડે પાર્ટી દરમિયાન તેના આગામી ગીત ‘તેરા દિવાના’નું ટીઝર લોન્ચ કર્યું, ગીત વેલેન્ટાઈન ડે પહેલા થશે રિલીઝ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">