ચોંકાવનારો ખુલાસો: આળસ એ ખરેખર કબર છે! કોરોનામાં આળસુ લોકોના મોતની સંભાવના વધુ

કોરોનાને લઈને એક બીજું મોટું રિચર્ચ કરવામાં આવ્યું છે. આ સંસોધન 50 હાજર જેટલા લોકો પર કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે નિષ્ક્રિય લોકોમાં મૃત્યુ વધુ થઇ રહ્યું છે.

ચોંકાવનારો ખુલાસો: આળસ એ ખરેખર કબર છે! કોરોનામાં આળસુ લોકોના મોતની સંભાવના વધુ
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 2:36 PM

વિશ્વમાં કોરોનાની બીજી તરંગના કારણે દેશોમાં વિનાશ સર્જાયો છે. ભારતમાં પણ કોરોનાની અસર સ્પષ્ટ જોઇ શકાય છે. આજે પણ લગભગ 1.85 લાખ નવા કેસ નોંધાયા છે. એક સંશોધન દર્શાવે છે કે આળસુ લોકોનું મૃત્યુ કોરોનાથી વધુ થઇ રહ્યું છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે આ મુશ્કેલ સમય દરમિયાન, તમારે પોતાને તંદુરસ્ત રાખવા અને આ રોગચાળો ટાળવા માટે નિયમિત કસરત કરવી જોઈએ.

બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં લગભગ 50,000 લોકો સામેલ થયા હતા. સંશોધન અહેવાલો અનુસાર કોરોના દર્દીઓમાં વધુ ગંભીર લક્ષણો અને કસરતના અભાવને કારણે મૃત્યુ થવાનું જોખમ વધારે છે. સામેલ સંશોધનકારો કહે છે કે રોગચાળાના બે વર્ષ પહેલાં, શારીરિક રીતે નિષ્ક્રિય લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના, અને વધુ કાળજીની જરૂર, અને મૃત્યુની સંભાવના વધુ છે.

સંશોધનમાં એ તારણ છે કે ધૂમ્રપાન, જાડાપણું અથવા હાયપરટેન્શન જેવા અન્ય જોખમ પરિબળોની તુલનામાં કોરોના રોગચાળા માટે શારીરિક નિષ્ક્રિયતા એટલે કે આળસ વધુ જોખમી છે. તમને જણાવી દઈએ કે, વૃદ્ધાવસ્થા, ડાયાબિટીઝ, મેદસ્વીપણા અને હૃદય રોગથી પીડિત લોકોમાં કોરોના ચેપનું જોખમ વધારે હતું. જો કે અત્યાર સુધી બેઠાડુ જીવનશૈલી તેમાં શામેલ નહોતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

એ જોવા માટે કે કસરતનો અભાવથી ગંભીર ચેપ, હોસ્પિટલમાં દાખલ થવું, સઘન સંભાળ એકમ (આઈસીયુ) માં પ્રવેશ, અને મૃત્યુની સંભાવના વધારે છે, સંશોધનકારોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં જાન્યુઆરીથી ઓક્ટોબર 2020 દરમિયાન કોરોનાથી સંક્રમિત 48,440 વયસ્કોની જાણકારી આમાં ઉમેરી. તે દર્દીઓની સરેરાશ ઉંમર 47 હતી અને પાંચમાંથી ત્રણ મહિલાઓ હતી. તેમની માસ-બોડી ઇન્ડેક્સ 31 હતી.

લગભગ અડધાને ડાયાબિટીઝ, ફેફસાની ગંભીર સ્થિતિ, હૃદય અથવા કિડની રોગ અથવા કેન્સર જેવા કોઈ રોગ હતા નહીં. આશરે 20 ટકા યુવાનો આમાંથી એક રોગથી પીડિત હતા. 30 ટકાથી વધુ લોકો બે રોગોથી પીડિત હતા. બધા દર્દીઓએ આઉટ પેશેંટ ક્લીનીકોમાં માર્ચ 2018 અને માર્ચ 2020 ની વચ્ચે ઓછામાં ઓછા ત્રણ વખત તેમની નિયમિત શારીરિક પ્રવૃત્તિના સ્તરની જાણ કરી હતી. આ ડેટાના આધારે અને તેમની બીમારીના આધારે રિચર્ચ કરવામાં આવ્યું.

તેમાંથી, 15 ટકાએ પોટે નિષ્ક્રિય (દર અઠવાડિયે 0-10 મિનિટની શારીરિક પ્રવૃત્તિ) હોવાનું જણાવ્યું છે. લગભગ 80 ટકા લોકોએ કેટલીક પ્રવૃત્તિ (11-149 મિનિટ / અઠવાડિયા) નો અહેવાલ આપ્યો. સાત ટકા લોકોએ રાષ્ટ્રીય આરોગ્ય માર્ગદર્શિકા અનુસાર પોતાને ફીટ ગણાવ્યા હતા. તેમાંથી, જેઓ શારિરીક રીતે નિષ્ક્રિય હતા તેઓની હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા કરતા બમણા કરતા વધારે હતી. સઘન સંભાળ મેળવવાની સંભાવના તેઓની 73 ટકા વધારે હતી. ચેપને લીધે તેઓ મૃત્યુ પામે તેની શક્યતા 2.5 ગણી વધારે હતી.

આ પણ વાંચો: બંગાળ: જિલ્લા મેજિસ્ટ્રેટ્સને હાઇકોર્ટની સૂચના – રેલીઓ પર નજર રાખો, જરૂરી હોય તો કલમ 144 લાગુ કરો

આ પણ વાંચો: સુરતમાં કોરોનાના કહેર વચ્ચે હવનયજ્ઞ, કોવિડ હોસ્પિટલ નજીક VHPના મહિલા સભ્યોએ કર્યો હવનયજ્ઞ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">