રાહુલ ગાંધીને મળી મોટી રાહત, ચૂંટણી પંચે વાયનાડ લોકસભા સીટ પેટાચૂંટણીની જાહેરાત પહેલા રાહુલને આપ્યો આટલો સમય

ચૂંટણી પંચે વાયનાડ લોકસભા બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી નથી. માનહાનિના કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે.

રાહુલ ગાંધીને મળી મોટી રાહત, ચૂંટણી પંચે વાયનાડ લોકસભા સીટ પેટાચૂંટણીની જાહેરાત પહેલા રાહુલને આપ્યો આટલો સમય
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 2:58 PM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી થશે નહીં. આજે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરતી વખતે, ચૂંટણી પંચે ચાર વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી, પરંતુ વાયનાડ બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી ન હતી. માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાચો: રાહુલ પોતાને કોર્ટ અને સંસદથી પણ ઉપર માને છે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધી પર પ્રહાર !

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ અમારી પાસે 6 મહિના માટે પેટાચૂંટણીની જાહેરાત કરવાનો સમય છે. હજી કોઈ ઉતાવળ નથી. તેમની પાસે અપીલ કરવા માટે 30 દિવસનો સમય છે.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભાષણ દરમિયાન ‘મોદી સરનેમ’ પર ટિપ્પણી કરી હતી. આ પછી, વર્ષ 2019 માં, ગુજરાતના સુરતમાં ભાજપના ધારાસભ્ય દ્વારા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવાર, 24 માર્ચે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની સજા ફટકારી છે.

સજા પર રોક લાગી, પણ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું

આ કેસમાં રાહુલ ગાંધીને તરત જ જામીન મળી ગયા હતા અને કોર્ટે ચુકાદાને પડકારવા માટે તેમની સજાના અમલ પર 30 દિવસ માટે પ્રતિબંધ પણ મૂક્યો હતો, પરંતુ તેમને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. કોંગ્રેસ આ મામલે સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ શુક્રવારથી દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહી છે.

તમામ સીટોના ​​પરિણામ પણ 13 મેના રોજ આવશે

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પંજાબની જલંધર લોકસભા સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની બે બેઠકો, ઓડિશા અને મેઘાલયની એક-એક બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તમામ સીટો પર 10 મેના રોજ જ મતદાન થશે. આ તમામ સીટોના ​​પરિણામ પણ 13 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની સાથે જ આવશે.

Latest News Updates

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">