Pakistan Navy Operation : અરબી સમુદ્રમાં ડૂબી રહેલા ભારતીય જહાજની વ્હારે પાકિસ્તાની નેવી, 9 ભારતીયને બચાવ્યા, એકનું મોત
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન નૌકાદળના જહાજને બાદમાં ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો હતો, જેને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવ્યો હતો.
World news : પાકિસ્તાન નૌકાદળે (Pakistan navy) અરબી સમુદ્રમાં ડુબતા જહાજના નવ ભારતીય ક્રૂ સભ્યોને (Crew Member) બચાવ્યા હતા. પાકિસ્તાન નેવીના ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 9 ઓગસ્ટના રોજ બલૂચિસ્તાન પ્રાંતના તટીય શહેર ગ્વાદર પાસે બની હતી, જ્યારે ભારતીય જહાજ (indian Boat) ‘જમના સાગર’ ડૂબી ગયું હતું. તેમાં 10 ક્રૂ મેમ્બર સવાર હતા.
નૌકાદળના જહાજને ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો
માહિતી મુજબ નૌકાદળને જહાજ વિશે માહિતી મળી, જેના પગલે પાકિસ્તાન મેરીટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે (pakistan maritime information center) નજીકના જહાજ એમટી ક્રુઇબેકેને ભારતીય જહાજના ક્રૂને જરૂરી સહાય પૂરી પાડવા અપીલ કરવામાં આવી. જેથી પાકિસ્તાન (Pakistan) નૌકાદળે નવ ક્રૂ સભ્યોને બચાવ્યા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન નૌકાદળના જહાજને બાદમાં ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો હતો, જેને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવ્યો હતો.
શ્રીલંકાએ પાકિસ્તાની યુદ્ધ જહાજને કોલંબોમાં રોકવાની મંજૂરી આપી
બીજી તરફ શ્રીલંકાએ (Srilanka) ચીન નિર્મિત પાકિસ્તાન યુદ્ધ જહાજ પીએનએસ તૈમૂરને કોલંબોમાં રહેવાની મંજૂરી આપી છે. શ્રીલંકાએ પાકિસ્તાની જહાજને આ પરવાનગી બાંગ્લાદેશ સરકારે ચિત્તાગોંગ બંદર પર રોકવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યા પછી આપી હતી. પાકિસ્તાન નેવીમાં 15 ઓગસ્ટ સુધીમાં આ યુદ્ધ જહાજ સામેલ થશે.તમને જણાવી દઈએ કે,યુદ્ધ જહાજ શાંઘાઈથી કરાચીની સફર દરમિયાન 7 થી 10 ઓગસ્ટ સુધી ચિત્તાગોંગ બંદરની બહાર લંગરવાનું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારે પીએનએસ તૈમૂરને રહેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો,કારણ કે ઓગસ્ટ એ વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina) માટે શોકનો મહિનો છે. તેમના પિતા શેખ મુજીબ-ઉર-રહેમાનની 15 ઓગસ્ટ, 1975ના રોજ હત્યા કરવામાં આવી હતી.
શ્રીલંકાના બંદર પર ચાઇનીઝ નિર્મિત પાકિસ્તાની યુદ્ધ જહાજનું સ્ટોપેજ એ પછી આવ્યું છે જ્યારે કોલંબોએ તાજેતરમાં બેઇજિંગને વ્યૂહાત્મક હમ્બનટોટા બંદર પર ચીનના સંશોધન જહાજની મુલાકાત મુલતવી રાખવા વિનંતી કરી હતી, જે બાદ ભારતે સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીલંકાની સરકારની પરવાનગી બાદ લેસર ગાઈડેડ મિસાઈલથી સજ્જ યુદ્ધ જહાજ હવે કોલંબો બંદર પર લાંગરવામાં આવ્યું છે.