Canada : રાજધાની Ottawaમાં રસીકરણ સામે વિરોધ ઉગ્ર બન્યો, ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર, હાઇ કમિશને કહ્યું સાવચેત રહો

વિરોધીઓનું કહેવું છે કે,જ્યાં સુધી રસીકરણ સંબંધિત તમામ નિયમો અને કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી નહીં નીકળે.

Canada : રાજધાની Ottawaમાં રસીકરણ સામે વિરોધ ઉગ્ર બન્યો, ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર, હાઇ કમિશને કહ્યું સાવચેત રહો
canada-protest (Image Credit Source: Al Jazeera)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 6:58 AM

Canada : કોરોના (Corona) સંકટનો સામનો કરવા માટે, કેનેડાની સરકારે યુએસ-કેનેડા (Canada) બોર્ડર પર તમામ ટ્રક ડ્રાઇવરો માટે કોરોના રસીકરણ ફરજિયાત બનાવ્યું છે. સરકારે આદેશ આપ્યો છે કે ડ્રાઇવરોને કોરોના રસીકરણ કરાવ્યા પછી જ ટ્રક કેનેડામાં પ્રવેશી શકશે. ત્યારથી ટ્રક ચાલકો જબરદસ્ત આંદોલન કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, ઓટાવા (Ottawa), કેનેડા (Canada)માં ભારતના હાઈ કમિશને (High Commission of India )મંગળવારે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે અથવા દેશમાં મુસાફરી કરવાનું આયોજન કરવા માટે એક એડવાઈઝરી બહાર પાડી હતી.

રાજધાની ઓટાવામાં ઈમરજન્સી જાહેર

હાઈ કમિશને ભારતીયોને એવા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે જ્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હાઈ કમિશને ભારતીય નાગરિકોને કર્ફ્યુ સહિત સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાનું પણ કહ્યું છે. ભારતીય નાગરિકોને સહાય પૂરી પાડવા માટે, હાઈ કમિશને હેલ્પલાઈન નંબર (+1) 6137443751 જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, કેનેડાની રાજધાની ઓટાવામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. વિરોધીઓનું કહેવું છે કે જ્યાં સુધી રસીકરણ સંબંધિત તમામ નિયમો અને કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી નહીં નીકળે.

અમેરિકાએ વિરોધને પ્રોત્સાહન ન આપવું જોઈએ – કેનેડા

બીજી તરફ કેનેડાએ યુએસને અપીલ કરી છે કે તેઓ ઓટાવામાં કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શનને પ્રોત્સાહન ન આપે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટરે સોમવારે કહ્યું કે, અમેરિકી અધિકારીઓએ તેમના ઘરેલુ મામલામાં દખલગીરી કરવાથી દૂર રહેવું જોઈએ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત રિપબ્લિકન પાર્ટી ઓફ અમેરિકાના ઘણા નેતાઓએ કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. પ્રદર્શનોને કારણે શહેર સંપૂર્ણપણે અવ્યવસ્થિત થઈ ગયું છે અને તેના કારણે આર્થિક ગતિવિધિઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે.

આ પણ વાંચો : Statue Of Equality: સહસ્ત્રાબ્દી મહોત્સવમાં અમિત શાહે કહ્યું- રામાનુજાચાર્યજીએ દેશને સનાતન ધર્મ સાથે જોડ્યો, તેમની પ્રતિમા આપે છે અદ્ભુત શાંતિ અને ખુશી

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">