AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UAE drone attack : ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોની ઓળખ થઇ, પરિજનોની મદદ કરશે ભારત

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમારું દૂતાવાસ મૃતકોના પરિવારજનોને સંપૂર્ણ સહાય પૂરી પાડવા માટે UAE સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યું છે.

UAE drone attack : ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોની ઓળખ થઇ, પરિજનોની મદદ કરશે ભારત
Indian Civilians killed in UAE drone attack identified, S Jaishankar assures help
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:11 PM
Share

UAE drone attack: સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં હુથી બળવાખોરો દ્વારા કરાયેલા શંકાસ્પદ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા બે ભારતીયોની ઓળખ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે મંગળવારે આ જાણકારી આપી. દૂતાવાસે એમ પણ કહ્યું હતું કે હુમલામાં ઘાયલ થયેલા છ લોકોમાં પણ બે ભારતીયોનો સમાવેશ થાય છે. બંનેને સારવાર બાદ સોમવારે રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન, ભારતે આ હુમલામાં માર્યા ગયેલા બંને ભારતીયોના પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું, “અમારું દૂતાવાસ મૃતકોના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડવા માટે UAE સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યું છે. UAEના વિદેશ મંત્રી એબી ઝાયેદે આ મામલે ફોન કર્યો હતો. તેમણે ગઈકાલે UAEમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે આ હુમલામાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા. ત્રણેય ADNOC (અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની) ના કર્મચારીઓ હતા.

અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમના પરિવારના સંપર્કમાં છે. ટૂંક સમયમાં તેમના મૃતદેહોને પુનઃપ્રાપ્ત કરવા માટે ADNOC સહિત UAE સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. દૂતાવાસ દ્વારા તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેણે ટ્વીટ કર્યું, ‘ઘાયલ થયેલા 6માંથી બે ભારતીય નાગરિક છે. સારવાર બાદ ગઈકાલે રાત્રે તેમને રજા આપવામાં આવી હતી. અમે UAE સરકાર, તેમના વિદેશ મંત્રાલય અને ADNOC ગ્રુપનો તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ.

સાઉદી ક્રાઉન પ્રિન્સે મૃતકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાની સખત નિંદા કરી છે. UAE ના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે UAE આ હુમલાઓ સામે જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.

વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદે કહ્યું કે અબુ ધાબીમાં નેશનલ ઓઈલ કંપનીના વેરહાઉસ અને એરપોર્ટ પર હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જોર્ડનના કિંગ અબ્દુલ્લા અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને પણ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ફોન પર વાત કરી અને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો.

આ પણ વાંચો –

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો –

Twindemic in Europe: યુરોપમાં એક સાથે બે મહામારીએ કર્યો પગપેસારો, કોરોના વચ્ચે આ નવી ‘આપત્તિ’થી પરેશાન થયા લોકો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">