AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત સાથે ટક્કર ભીડવી મુઈઝુને પડી મોંઘી, ભારતીયોએ માત્ર ત્રણ અઠવાડિયામાં જ બતાવી પોતાની તાકાત

માલદીવ માટે ભારતીય પ્રવાસીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. વર્ષ 2023માં માલદીવના ટૂરિઝમ માર્કેટમાં ભારતીયોનું યોગદાન 11% હતું. પરંતુ તાજેતરના વિવાદ બાદ માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

ભારત સાથે ટક્કર ભીડવી મુઈઝુને પડી મોંઘી, ભારતીયોએ માત્ર ત્રણ અઠવાડિયામાં જ બતાવી પોતાની તાકાત
mohamed muizzu
| Updated on: Jan 29, 2024 | 11:51 PM
Share

સુંદર બીચ અને લક્ઝરી ટુરિઝમ માટે પ્રખ્યાત માલદીવના પર્યટનને ભારત તરફથી મોટો ફટકો પડ્યો છે. માલદીવના પર્યટન મંત્રાલયના આંકડા મુજબ માલદીવની મુલાકાતે આવનારા ભારતીયોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ત્રણ અઠવાડિયા પહેલા ભારતીયો માલદીવ જવાની બાબતમાં વિશ્વમાં ત્રીજા સ્થાને હતા, જે હવે પાંચમા સ્થાને આવી ગયા છે.

ચીનના પ્રવાસીઓ ત્રીજા નંબરે છે

માલદીવ માટે ભારતીય પ્રવાસીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. વર્ષ 2023માં માલદીવના ટૂરિઝમ માર્કેટમાં ભારતીયોનું યોગદાન 11% હતું. પરંતુ તાજેતરના વિવાદ બાદ માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

માલદીવની ટુરિઝમ વેબસાઈટ અનુસાર, વર્ષ 2024ની શરૂઆતમાં માલદીવની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓ ત્રીજા સ્થાને હતા જેમાં તેમનો બજાર હિસ્સો 7.1% હતો. તે સમયે ચીન માલદીવમાં આવનારા પ્રવાસીઓની યાદીમાં ટોપ 10 દેશોમાં પણ નહોતું. પરંતુ ભારત-માલદીવ વિવાદ બાદ માલદીવની ટુરિઝમ ડેમોગ્રાફીમાં ઘણો બદલાવ આવ્યો છે. ચીને હવે ભારતનું સ્થાન લીધું છે એટલે કે ચીની પ્રવાસીઓ માલદીવની મુલાકાત લેતા ત્રીજા સૌથી મોટા પ્રવાસીઓ છે. ચીન પછી બ્રિટન ચોથા સ્થાને છે.

ભારત તરફથી મોટો ફટકો સહન કરવો પડ્યો

માલદીવની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓમાં આ ઘટાડો માલદીવ સાથે ભારતના ચાલુ રાજદ્વારી તણાવ વચ્ચે આવ્યો છે જેમાં માલદીવના નાયબ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો અને વીડિયો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

જાન્યુઆરીની શરૂઆતમાં વડાપ્રધાન લક્ષદ્વીપ ગયા હતા અને ત્યાંના સુંદર બીચની તસવીરો શેર કરતી વખતે તેમણે લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા વિનંતી કરી હતી. પીએમ મોદીના આ ટ્વીટના જવાબમાં માલદીવના ત્રણ નાયબ મંત્રીઓએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને કહ્યું કે લક્ષદ્વીપની માલદીવ સાથે કોઈ સ્પર્ધા નથી.

તેમના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા અને લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું. લોકો કહેવા લાગ્યા કે તેઓ માલદીવને બદલે લક્ષદ્વીપ જવાનું પસંદ કરશે. વધી રહેલા વિવાદને જોઈને માલદીવની સરકારે તેના નાયબ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ મામલો શાંત થયો ન હતો અને લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો ભારત માટે ગુડ ન્યૂઝ, માલદીવ અને ચીનના માર્ગમાં આ દેશ બન્યો અડચણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">