ભારત સાથે ટક્કર ભીડવી મુઈઝુને પડી મોંઘી, ભારતીયોએ માત્ર ત્રણ અઠવાડિયામાં જ બતાવી પોતાની તાકાત

માલદીવ માટે ભારતીય પ્રવાસીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. વર્ષ 2023માં માલદીવના ટૂરિઝમ માર્કેટમાં ભારતીયોનું યોગદાન 11% હતું. પરંતુ તાજેતરના વિવાદ બાદ માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

ભારત સાથે ટક્કર ભીડવી મુઈઝુને પડી મોંઘી, ભારતીયોએ માત્ર ત્રણ અઠવાડિયામાં જ બતાવી પોતાની તાકાત
mohamed muizzu
Follow Us:
| Updated on: Jan 29, 2024 | 11:51 PM

સુંદર બીચ અને લક્ઝરી ટુરિઝમ માટે પ્રખ્યાત માલદીવના પર્યટનને ભારત તરફથી મોટો ફટકો પડ્યો છે. માલદીવના પર્યટન મંત્રાલયના આંકડા મુજબ માલદીવની મુલાકાતે આવનારા ભારતીયોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ત્રણ અઠવાડિયા પહેલા ભારતીયો માલદીવ જવાની બાબતમાં વિશ્વમાં ત્રીજા સ્થાને હતા, જે હવે પાંચમા સ્થાને આવી ગયા છે.

ચીનના પ્રવાસીઓ ત્રીજા નંબરે છે

માલદીવ માટે ભારતીય પ્રવાસીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. વર્ષ 2023માં માલદીવના ટૂરિઝમ માર્કેટમાં ભારતીયોનું યોગદાન 11% હતું. પરંતુ તાજેતરના વિવાદ બાદ માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

માલદીવની ટુરિઝમ વેબસાઈટ અનુસાર, વર્ષ 2024ની શરૂઆતમાં માલદીવની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓ ત્રીજા સ્થાને હતા જેમાં તેમનો બજાર હિસ્સો 7.1% હતો. તે સમયે ચીન માલદીવમાં આવનારા પ્રવાસીઓની યાદીમાં ટોપ 10 દેશોમાં પણ નહોતું. પરંતુ ભારત-માલદીવ વિવાદ બાદ માલદીવની ટુરિઝમ ડેમોગ્રાફીમાં ઘણો બદલાવ આવ્યો છે. ચીને હવે ભારતનું સ્થાન લીધું છે એટલે કે ચીની પ્રવાસીઓ માલદીવની મુલાકાત લેતા ત્રીજા સૌથી મોટા પ્રવાસીઓ છે. ચીન પછી બ્રિટન ચોથા સ્થાને છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ભારત તરફથી મોટો ફટકો સહન કરવો પડ્યો

માલદીવની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓમાં આ ઘટાડો માલદીવ સાથે ભારતના ચાલુ રાજદ્વારી તણાવ વચ્ચે આવ્યો છે જેમાં માલદીવના નાયબ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો અને વીડિયો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

જાન્યુઆરીની શરૂઆતમાં વડાપ્રધાન લક્ષદ્વીપ ગયા હતા અને ત્યાંના સુંદર બીચની તસવીરો શેર કરતી વખતે તેમણે લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા વિનંતી કરી હતી. પીએમ મોદીના આ ટ્વીટના જવાબમાં માલદીવના ત્રણ નાયબ મંત્રીઓએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને કહ્યું કે લક્ષદ્વીપની માલદીવ સાથે કોઈ સ્પર્ધા નથી.

તેમના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા અને લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું. લોકો કહેવા લાગ્યા કે તેઓ માલદીવને બદલે લક્ષદ્વીપ જવાનું પસંદ કરશે. વધી રહેલા વિવાદને જોઈને માલદીવની સરકારે તેના નાયબ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ મામલો શાંત થયો ન હતો અને લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો ભારત માટે ગુડ ન્યૂઝ, માલદીવ અને ચીનના માર્ગમાં આ દેશ બન્યો અડચણ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">