7 દશક બાદ ભારત આવી રહેલા ચિત્તાઓની પહેલી ઝલક, 8 ચિત્તાઓના કાફલામાં છે ‘કરણ-અર્જુન’ની જોડી
તેમને હેલિકોપ્ટરના માધ્યમથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) લઈ જવામાં આવશે. તે ચિત્તાઓ અને તેમને લઈ જતા ખાસ વિમાનની પહેલી ઝલક સામે આવી છે. આ ચિત્તાઓના ભૂતકાળને લઈને પણ કેટલીક રસપ્રદ વાત સામે આવી છે.
આવતીકાલે 17 સપ્ટેમ્બર ભારતના વડાપ્રધાન મોદીના જન્મદિવસે (PM Modi Birthday) એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. લગભગ 7 દશક બાદ ભારતની ધરતી પર ચિત્તા દેખાશે. નામીબિયાથી 8 ચિત્તાનું પરિવાર ભારત આવશે. તેમાં 5 માદા અને 3 નર ચિત્તા હશે. કાલે તેમને લઈને એક ખાસ પ્લેન ગ્વાલિયર પહોંચશે. પહેલા તેમને જયપુર લઈ જવાના હતા પણ હવે ગ્વાલિયરમાં તેમના ખાસ વિમાને લેન્ડ કરાવવામાં આવશે. ત્યારબાદ તેમને હેલિકોપ્ટરના માધ્યમથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) લઈ જવામાં આવશે. તે ચિત્તાઓ અને તેમને લઈ જતા ખાસ વિમાનની પહેલી ઝલક સામે આવી છે. આ ચિત્તાઓના ભૂતકાળને લઈને પણ કેટલીક રસપ્રદ વાત સામે આવી છે.
8 ચિત્તાઓમાં 5 માદા ચિત્તા
આ 8 ચિત્તાઓમાં એક 2 વર્ષની માદા ચિત્તા પણ છે, જે દક્ષિણપૂર્વ નામીબિયામાં ગોબાબીસ નજીક તેના ભાઈ સાથે મળી આવી હતી. બંને ગંભીર રીતે કુપોષિત હતા અને CCFનું માનવું છે કે, તેમની માતા જંગલમાં લાગેલી આગમાં મૃત્યુ પામી હતી. તે સપ્ટેમ્બર 2020 થી CCFના કેન્દ્રમાં રહે છે. આ સિવાય જુલાઇ 2022માં CCFના પડોશી ખેતરમાં જાળ બિછાવીને બીજી માદા ચિત્તા પકડાઇ હતી. આ ફાર્મ નામીબિયાના એક પ્રખ્યાત બિઝનેસમેનનું છે. CCF એ આંતરરાષ્ટ્રીય બિન-લાભકારી સંસ્થા છે જેનું મુખ્ય મથક નામીબીયામાં છે.
એક 2.5 વર્ષની માદા ચિત્તાનો જન્મ એપ્રિલ 2020 માં એરિન્ડી પ્રાઈવેટ ગેમ રિઝર્વ ખાતે થયો હતો. તેની માતા CCFના ચિત્તા પુનર્વસન કાર્યક્રમમાં હતી અને બે વર્ષ પહેલા તેને સફળતાપૂર્વક ફરીથી જંગલમાં દાખલ કરવામાં આવી હતી. ચોથી માદા ચિત્તા 2017ના અંતમાં કેટલાક કામદારોને ગોબાબીસ નજીકના ખેતરમાંથી મળી આવી હતી. તેણી કુપોષિત પણ હતી અને તેની સારવાર અને સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019 માં નામિબિયાના ઉત્તરપશ્ચિમ ભાગમાં કામંજબ ગામ નજીક CCF કર્મચારીઓ દ્વારા અન્ય એક માદા ચિત્તાને પકડવામાં આવી હતી.
8 ચિત્તાઓમાં છે 2 ભાઈ કરણ-અર્જુનની જોડી
નામીબિયાથી આવી રહેલા આ ચિત્તાઓમાં જે 3 નર ચિત્તાઓ છે તેમાંથી 2 ભાઈઓ છે. ચિત્તા કંજર્વેશન ફંડ (CCF) અનુશાન, આ ચિત્તા નામીબિયામાં ઓત્જીવારોન્ગો પાસે સીસીએફના 58000 હેક્ટેર ક્ષેત્રમાં ફેલાયેલા અભિયારણ્યમાં જુલાઈ 2021થી રહે છે. આ પ્રજાતિના નર ચિત્તા જીવનભર સાથે રહે છે. તેઓ એકસાથે શિકાર કરતા હોય છે. તેથી તેમને કરણ-અર્જુનની જોડી કહેવામાં આવે છે. એક અન્ય નર ચિત્તોનો નામીબિયાના સંરક્ષિત વન્યજીવ અભ્યારણ્ય એરિન્ડી પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં માર્ચ 2018માં જન્મ થયો હતો.
કરન-અર્જુનની જોડી
નામિબિયાથી આવી રહેલા ચિત્તાઓની પહેલી ઝલક
#DDExclusive | @DDNewslive brings to you the first visual of the Cheetah that is being transported from Namibia to India.#CheetahIsBack #CheetahIsComingHome@moefcc @byadavbjp @IndiainNamibia @tapasjournalist @CCFCheetah pic.twitter.com/cBvSt8XkCq
— DD News (@DDNewslive) September 16, 2022
#WATCH | First look of Cheetahs that will be brought from Namibia to India on 17th September at KUNO National Park, in Madhya Pradesh pic.twitter.com/HOjexYWtE6
— ANI (@ANI) September 16, 2022
Indep Day exclusive: Cheetahs, potential candidates fr transfer to Kuno NP, MP in due course, undergo thorough 1st health exam by int’l team of experts @CCFCheetah led by renowned specialist Dr. Laurie Marker. High Commissioner Prashant Agrawal was present. We thank Namibia MEFT pic.twitter.com/C0A1nH2V5A
— India In Namibia (@IndiainNamibia) August 15, 2022
આ પ્લેનમાં આવશે ચિત્તા
Boeing 747-400 special design showcasing the face of Tiger@moefcc @IndiainNamibia @tapasjournalist pic.twitter.com/4T6amwf6UZ
— DD News (@DDNewslive) September 15, 2022
Demo test being done on the special Boeing plane to avoid any last minute glitch. @IndiainNamibia & @moefcc Minister, @byadavbjp leaving no stone unturned to make this grand success. @tapasjournalist#CheetahIsComingHome pic.twitter.com/FANN9vjLlx
— DD News (@DDNewslive) September 15, 2022
A Special flight has been arranged to get Cheetahs from Namibia to India. All economy seats have been removed from Boeing 747 for the easy transportation @moefcc @IndiainNamibia @tapasjournalist pic.twitter.com/3Faanxa6ua
— DD News (@DDNewslive) September 15, 2022
First look inside the special plane to bring the #Cheetahs@moefcc @IndiainNamibia @tapasjournalist pic.twitter.com/tG6DXYu18U
— DD News (@DDNewslive) September 15, 2022
કાલે 7 દશક બાદ આ 8 ચિત્તા નામિબિયાથી ભારત ખાસ બોઈંગ વિમાન B747 Jumboમાં આવશે. તેમની સ્વાસ્થ્યની તપાસ મહિનાઓથી થઈ રહી હતી. હાલ તેમને વિમાનમાં લઈ જવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના માટે વિમાનમાં ખાસ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી તેની મુખ્ય કેબિનમાં ચિત્તાઓને રાખી શકાય અને સુરક્ષિત વિમાન મારફતે ભારતમાં લાવી શકાય. આ તમામ ચિત્તાઓને ભૂખા રાખવામાં આવશે જેથી તેમની તબિયત બગડે નહીં. લગભગ 11 કલાક આ ખાસ વિમાન આકાશમાં સફર ખેડીને ભારત પહોંચશે. તેના માટે 16 કલાક જેટલું ઈંધણ આ વિમાનમાં ભરવામાં આવ્યુ છે.