Electricity Crisis: લેબેનોનમાં પાછી આવી વીજળી, સેનાએ મુશ્કેલ સમયમાં આપ્યું બળતણ, શનિવારથી સમગ્ર દેશ અંધકારમાં ડૂબી ગયો હતો

TV9 GUJARATI

|

Updated on: Oct 10, 2021 | 9:25 PM

લેબનોનમાં રવિવારે વીજળી પાછી આવી ગઈ હતી. શનિવારે બપોરથી દેશ અંધકારમાં ડૂબી ગયો હતો.

Electricity Crisis: લેબેનોનમાં પાછી આવી વીજળી, સેનાએ મુશ્કેલ સમયમાં આપ્યું બળતણ, શનિવારથી સમગ્ર દેશ અંધકારમાં ડૂબી ગયો હતો
Electricity Crisis

લેબનોનમાં રવિવારે વીજળી પાછી આવી ગઈ હતી. શનિવારે બપોરથી દેશ અંધકારમાં ડૂબી ગયો હતો. કટોકટીના સમયમાં, સેનાએ સરકારને તેના આપાતકાલીન સમયનું બળતણ આપ્યું, ત્યારબાદ પાવર ગ્રીડ શરૂ કરવામાં આવી. જો કે, આ સમસ્યા માત્ર અસ્થાયી ધોરણે ઉકેલાય છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી દેશની સરકારે વહેલી તકે કાયમી ઉકેલ શોધવો પડશે. દેશના બે મોટા પાવર પ્લાન્ટ ઇંધણના અભાવે બંધ થઇ ગયા હતા (Lebanon Electricity Blackouts). શનિવારે સંપૂર્ણ અંધારપટ પૂર્વે પણ લોકોને માત્ર થોડા કલાકો માટે જ વીજળી મળતી હતી.

દેશના ઉર્જા મંત્રી વાલિદ ફાયદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સેનાએ તેના ભંડારમાંથી પાવર પ્લાન્ટ્સને બળતણ પૂરું પાડ્યું હતું. જે પછી હરણ અમ્મર અને જહરાની પાવર સ્ટેશનમાં કામ શરૂ થયું છે. આવી સ્થિતિમાં હવે એવું કહી શકાય કે, લોકો દિવસમાં થોડા કલાકો માટે વીજળી મેળવી શકશે (Lebanon Electricity Cut Off). કટોકટીમાં સેના દ્વારા જે બળતણ પૂરું પાડવામાં આવે છે, તે થોડા દિવસો માટે જ રહેશે. તે પછી પણ, વીજળી આવવા માટે, સરકારે કોઈ ચોક્કસ ઉપાય શોધવો પડશે.

કેન્દ્રીય બેંક તરફથી નાણાકીય મદદ

ઉર્જા મંત્રી ફૈયદે કહ્યું કે, લેબનોનની સેન્ટ્રલ બેંકે બળતણ આયાત કરવા માટે 100 મિલિયન ડોલરની માફી આપી છે. જે મહિનાના અંત સુધીમાં વીજળીનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે (What Causes Electricity Blackouts). તેમણે સંરક્ષણ પ્રધાન, લશ્કરી કમાન્ડર અને સરકારી વીજ કંપની ઇલેક્ટ્રેસીટી ડુ લિબાનના નેતાઓનો “વીજળીના નેટવર્કને ફરીથી જોડવા માટે ઝડપથી જવાબ આપવા” આભાર માન્યો હતો.

60 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં લોકો પહેલાથી જ જનરેટર પર નિર્ભર છે. આ દેશ 150 વર્ષનાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, તેથી ઇંધણની સમસ્યા પહેલાથી જ રહે છે. પરંતુ એક દિવસ પહેલા જે બ્લેકઆઉટ થયું તે અત્યાર સુધીનું સૌથી મોટું વીજ સંકટ હતું.

પાવર ગ્રીડ શટડાઉન

અહેવાલો અનુસાર બે મોટા પાવર પ્લાન્ટ બંધ થયા બાદ લેબેનોનમાં વીજળીની ગ્રીડ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. દેશમાં ચાલી રહેલા ઈંધણ સંકટને કારણે હિંસા પણ જોવા મળી રહી છે. અહીં લોકો તેમના વાહનોમાં તેલ ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે. લોકોને આ માટે કાળા બજાર પર આધાર રાખવો પડે છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા દર્શાવે છે કે દેશની લગભગ 78 ટકા વસ્તી ગરીબીમાં જીવી રહી છે. અહીં બેરોજગારી ઉચ્ચતમ સ્તર પર છે.

આ પણ વાંચો: NIA એ જમ્મુ -કાશ્મીરમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા, મામલો યુવાનોને ઉશ્કેરનારા ‘વોઈસ ઓફ હિન્દ’ મેગેઝિન સાથે સંબંધિત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati