AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Taliban News: ગાઢ થઈ રહી છે મિત્રતા, પાકિસ્તાનનો પ્રવાસ કરશે તાલિબાન સરકારના આ વિદેશ મંત્રી

Pakistan Taliban Relations: અફઘાનિસ્તાનમાં સત્તામાં રહેલી તાલિબાન સરકારના વચગાળાના વિદેશ મંત્રી આગામી દિવસોમાં પાકિસ્તાનની મુલાકાત લે તેવી શક્યતા છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે હશે.

Pakistan Taliban News: ગાઢ થઈ રહી છે મિત્રતા, પાકિસ્તાનનો પ્રવાસ કરશે તાલિબાન સરકારના આ વિદેશ મંત્રી
Amir Khan Muttaqi, Foreign Minister of the Taliban Government
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 10:28 PM
Share

Amir Khan Muttaqi Pakistan Visit: અફઘાનિસ્તાનમાં સત્તામાં રહેલી તાલિબાન સરકારના વચગાળાના વિદેશ મંત્રી આગામી દિવસોમાં પાકિસ્તાનની મુલાકાત લે તેવી શક્યતા છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે હશે. શનિવારે એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. આમિર ખાન મુત્તાકી(Amir Khan Muttaqi)ને ગયા મહિને કાબુલની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી (Shah Mehmood Qureshi)એ આમંત્રણ આપ્યું હતું. તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ વચગાળાના વિદેશ મંત્રીની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત હશે.

સત્તાવાર સૂત્રોએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે મુત્તાકીની પાકિસ્તાનની મુલાકાત આગામી દિવસોમાં નિર્ધારિત છે, કારણ કે બંને પક્ષો સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપવા માટે સંપર્કમાં છે. વરિષ્ઠ તાલિબાન નેતા મુત્તાકીએ યુ.એસ. સાથે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન (Amir Khan Muttaqi in Pakistan)માંથી અમેરિકન સૈનિકોની પાછી ખેંચી લેવા અંગેની વાતચીતમાં ભાગ લીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે અફઘાન મંત્રીની સાથે તાલિબાનના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હશે અને પાકિસ્તાની અધિકારીઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

મુત્તકીની મુલાકાત ઔપચારિક નહીં હોય

જોકે, તેમણે કહ્યું કે આ મુલાકાતને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની ઔપચારિક માન્યતા તરીકે જોવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે હાલમાં મુલાકાતની વિગતો (Pakistan Taliban Relations) જાહેર કરવામાં આવી નથી. પાકિસ્તાને તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપી નથી પરંતુ તે એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે તેના રાજદ્વારી મિશન તેમજ કાબુલમાં દૂતાવાસ જાળવી રાખ્યો છે. જે તેમની જૂની મિત્રતાના ગાઢ થવાનો સંકેત આપે છે.

રાજદ્વારીઓને પણ પરવાનગી આપી

ગયા મહિને, એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે પાકિસ્તાને ગુપ્ત રીતે તાલિબાન દ્વારા નિયુક્ત “રાજદ્વારીઓ” ને દેશમાં અફઘાન દૂતાવાસ અને કોન્સ્યુલેટનો હવાલો સંભાળવાની મંજૂરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે મુત્તાકીની સંભવિત મુલાકાત પાકિસ્તાન દ્વારા કાબુલ પ્રશાસન સાથે વાતચીત ચાલુ રાખવાની કવાયતનો એક ભાગ છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓ શેર કરી છે કે તાલિબાન સરકારને તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની જરૂર છે. આ પ્રતિબદ્ધતાઓમાં સમાવેશી સરકાર, મહિલાઓના અધિકારોનું રક્ષણ અને કોઈપણ આતંકવાદી સંગઠનને અફઘાનિસ્તાનની જમીનનો પુનઃઉપયોગ ન કરવા દેવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભારતમાં અહીં ગધેડાનો મેળો ભરાય છે! દિવાળી પર 9000 ગધેડા વેચાયા, ઔરંગઝેબે અહીંથી ખરીદ્યા હતા ખચ્ચર

આ પણ વાંચો: ખેડૂતો આ ઔષધીય પાકની ખેતીથી કરી રહ્યા છે લાખોમાં કમાણી, જેની કિંમત છે 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, વિશ્વભરના દેશોમાં થાય છે નિકાસ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">