UKમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ ગંભીર, ભારતે 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લાઈટો કરી રદ

કોરોના વાઈરસના (Corona) નવા સ્ટેન મળવા અને યુકેમાં (United Kingdom) હાલમાં કોરોનાની સ્થિતિને જોતા ભારત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

UKમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ ગંભીર, ભારતે 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લાઈટો કરી રદ
Follow Us:
| Updated on: Dec 21, 2020 | 5:48 PM

કોરોના વાઈરસના (Corona) નવા સ્ટેન મળવા અને યુકેમાં (United Kingdom) હાલમાં કોરોનાની સ્થિતિને જોતા ભારત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. યૂકેથી ભારત આવનારી તમામ ઉડાનોને અસ્થાયી રીતે 31 ડિસેમ્બર સુધી રદ કરવામાં આવી છે. ઉડાનો 22 ડિસેમ્બરથી રદ થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે આ ઉડાનો 22 ડિસેમ્બરે 11 કલાક 59 મિનિટથી રદ થશે અને 31 ડિસેમ્બરે 11 કલાક 59 મિનિટ સુધી રદ રહશે. સાવચેતીના ભાગરૂપે યુકેથી આવતી ફ્લાઈટમાં તમામ મુસાફરોના આગમન પર આરટી-પીસીઆર પરીક્ષણ ફરજિયાત રહેશે. રિપોર્ટ નેગેટિવ આવવા પછી પણ મુસાફરોને 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે.

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યા આ આદેશ

યૂકેમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા બાદ ઘણા દેશોએ સાવચેતી દાખવતા વિમાન સેવા સ્થગિત કરી દીધી છે. યુકે સરકારનું કહેવું છે કે કોરોનાનાનો નવો સ્ટ્રેન 70 ટકા ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને લઈ દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફ્રાંસ, જર્મની, ઈટલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, આયરલેન્ડ અને બલ્ગેરિયા પહેલા જ યૂકે પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">