Covid-19 : ભારત સહિત સાત દેશોની યાત્રા પર ઇઝરાયલે લગાવ્યો પ્રતિબંધ
Israel એ કોવિડ -19 ના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે ભારત અને છ દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. Israelના વડા પ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ઇઝરાયલી નાગરિકોને યુક્રેન, બ્રાઝિલ, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, મેક્સિકો અને તુર્કીની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Israel એ કોવિડ -19 ના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે ભારત અને છ દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. Israelના વડા પ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ઇઝરાયલી નાગરિકોને યુક્રેન, બ્રાઝિલ, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, મેક્સિકો અને તુર્કીની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ આદેશનો 3 મેથી અમલ કરવામાં આવશે અને 16 મે સુધી અમલમાં રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોન-ઇઝરાયલી નાગરિકો, જો કે, તેઓ આ દેશોમાં કાયમી રહેવાની યોજના પૂરી પાડશે તો તેઓ આ દેશોમાં પ્રવાસ કરી શકશે. આ હુકમ તેમના માટે લાગુ નહીં પડે જેઓ વિમાનની રાહ જોતા આ 12 કલાક સુધી આ દેશમાંના કોઈપણ એરપોર્ટ પર રોકાયા છે.
Israel સરકારે આરોગ્ય અને આંતરિક બાબતોના પ્રધાનને પણ અપીલ સમિતિના વડાને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આપી છે જે ખાસ કેસોની સમીક્ષા કરવા માટે એક પ્રતિનિધિની નિમણૂક કરી શકશે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આરોગ્ય મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો છે કે આ સાત દેશોમાંથી પાછા ફરનારાઓને કોવિડ -19 વિરોધી રસી લીધી હોય કે રોગચાળામાંથી સાજા થઈ ગયા હોય. છતાં તેઓને બે અઠવાડિયા માટે ફરજિયાત પણે આઇસોલેટ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ -19 તપાસ રિપોર્ટમાં ચેપના આવે તો પણ તેમને 10 દિવસ માટે અલગ રહેવું પડશે.