ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, કેસની ચોક્કસ સંખ્યાને ટ્રેક કરવુ અશક્ય બન્યુ

ચીન લાંબા સમયથી કોરોના વાયરસથી ત્રસ્ત છે અને સતત પ્રયાસો બાદ પણ તે કોરોનાની લહેર કાબુમાં લઈ શક્યુ નથી. સતત આલોચના બાદ ચીને ભૂતકાળમાં કડક નિયંત્રણો હળવા કર્યા હતા

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, કેસની ચોક્કસ સંખ્યાને ટ્રેક કરવુ અશક્ય બન્યુ
Symbolic ImageImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 11:54 PM

આખી દુનિયામાં હાલમાં કોરોના મહામારી શાંત થઈ છે. તમામ દેશો હાલમાં વધારે સારી સ્થિતિમાં છે. કોરોનાના કારણે થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. તે બધા વચ્ચે ચીનના નાગરિકો કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ચીન લાંબા સમયથી કોરોના વાયરસથી ત્રસ્ત છે અને સતત પ્રયાસો બાદ પણ તે કોરોનાની લહેર કાબુમાં લઈ શક્યુ નથી. સતત આલોચના બાદ ચીને ભૂતકાળમાં કડક નિયંત્રણો હળવા કર્યા હતા, પરંતુ કોરોના વાયરસના કારણે મૃત્યુના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. જોકે, સરકાર તેમને છુપાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના વાયરસને બદલે અન્ય રોગો જણાવવામાં આવી રહ્યા છે.

ચીનના પૂર્વી બેઇજિંગમાં શુક્રવારે સાંજે ઠંડીમાં સ્મશાનગૃહની બહાર સંખ્યા બંધ લોકો ઉભા હતા. કારણ કે તેઓ કોરોનાને કારણે મૃત્યુ પામેલા તેમના સંબંધીનો  અંતિમ સંસ્કાર કરવા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ચીનમાં લોકો શબને દફનાવીને પરંપરાગત અંતિમ સંસ્કાર કરવાને બદલે તેમને બાળીને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.

ચીનમાં મૃત્યુના કેસ ફરી વધ્યા

ચીનમાં કોરોના વાયરસથી કોઈ મૃત્યુ કેસ ફરી વધી રહ્યા છે. આ મામલા એવા સમયે વધી રહ્યા છે જ્યારે સરકારે વ્યાપક વિરોધ વચ્ચે ગયા મહિને કોવિડ-19 સંબંધિત કડક પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું હતું.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, સંક્રમણને કારણે કેટલા લોકોના મોત થઈ રહ્યા છે. એક મહિલાએ જણાવ્યું કે તેનો વૃદ્ધ સંબંધી ડિસેમ્બરની શરૂઆતમાં બીમાર પડ્યો હતો અને તે કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો અને શુક્રવારે સવારે ઇમરજન્સી વોર્ડમાં તેનું મોત થયું હતું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

મૃત્યુનું કારણ ન્યુમોનિયા

તેમણે કહ્યું કે ઘણા ચેપગ્રસ્ત દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંભાળ રાખવા માટે પૂરતી નર્સો નહોતી. કેટલાક લોકોએ ધ્યાન દોર્યું કે કોવિડ-19થી ચેપ લાગ્યો હોવા છતાં મૃત્યુનું કારણ મૃત્યુ પ્રમાણપત્રમાં ન્યુમોનિયા તરીકે દર્શાવવામાં આવ્યું છે. સ્મશાનના પરિસરમાં આવેલી દુકાનોના ત્રણ કર્મચારીઓમાંથી એકનો અંદાજ છે કે દરરોજ લગભગ 150 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આરોગ્ય એજન્સીએ જણાવ્યુ છે કે, કોરોના કેસની ચોક્કસ સંખ્યાને ટ્રેક કરવુ અશક્ય બન્યુ.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">