India-China Border Dispute: ભારત સાથે તણાવ વચ્ચે ચીનની નવી ચાલ, પ્રાદેશિક અખંડતાનો હવાલો આપી પસાર કર્યો ‘જમીન સરહદ કાયદો’

India-China Border Dispute: સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર મુજબ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NCP)ની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદની સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી છે.

India-China Border Dispute: ભારત સાથે તણાવ વચ્ચે ચીનની નવી ચાલ, પ્રાદેશિક અખંડતાનો હવાલો આપી પસાર કર્યો 'જમીન સરહદ કાયદો'
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 4:48 PM

દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પવિત્ર જણાવતા ચીન(China)ની સંસદે ફ્રન્ટલાઈન વિસ્તારોના સંરક્ષણ અને ઉપયોગ સંબંધી એક નવો કાયદો પસાર કર્યો છે. જેની અસર ભારત સાથે બેઇજિંગ (Beijing)ના સીમા વિવાદ (India-China Border Dispute) પર પડી શકે છે.

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર મુજબ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NCP)ની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદની સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી છે. આ કાયદો આગામી વર્ષના 1 જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવશે. તેના મુજબ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતા પાવન અને પવિત્ર છે.

શિન્હુઆ મુજબ કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સીમા સુરક્ષાને મજબૂત કરવા, આર્થિક તેમજ સામાજિક વિકાસમાં મદદ આપવા, ફ્રન્ટલાઈન વિસ્તારોને ખોલવા, એવા ક્ષેત્રોમાં જનસેવા અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારૂ બનાવા અને ત્યાંના લોકોના જીવન તેમજ કાર્યમાં મદદ આપવા માટે દેશ પગલા ભરી શકે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

તેઓ સીમાઓ પર રક્ષા, સામાજીક તેમજ આર્થિક વિકાસમાં સમન્વયને વધારવા માટે ઉપાય કરી શકે છે. દેશ સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાતચીતના સિદ્ધાંતોના પાલન કરતા પડોશી દેશો સાથે જમીની સીમા સંબંધી મુદ્દાથી ઉકેલાશે અને ઘણા સમયથી સીમા સંબંધી બાકી મુદ્દાઓ અને વિવાદોને યોગ્ય સમાધાન માટે વાતચીતનો સહારો લેશે.

બેઈજિંગએ પોતાના 12 પડોશીઓ સાથે સીમા સંબંધી વિવાદ ઉકેલી લીધો છે. પરંતુ ભારત અને ભૂટાન (Bhutan) સાથે તેમને અત્યાર સુધી સીમા સંબંધી કરારને અંતિમ રૂપ આપ્યું નથી. ભારત અને ચીન (India-China Relations)વચ્ચે સીમા વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 3,488 કિલોમીટરના ક્ષેત્રમાં છે જ્યારે ભૂટાન સાથે ચીન (Bhutan-China Dispute)નો વિવાદ 400 કિલોમીટરની સીમા પર છે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા (Harsh Vardhan Shringla)એ ગત અઠવાડીયે કહ્યું હતું કે, પૂર્વી લદાખ (Eastern Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઘટનાક્રમોએ ફ્રન્ટલાઈન વિસ્તારોમાં સુખ-શાંતિને ગંભીર રીતે અસર કર્યું છે અને સામાન્ય રીતે તેની અસર સંબંધો પર પણ પડી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષથી જ ભારત અને ચીન વચ્ચે સીમા પર વિવાદ ચાલે છે. જે હજુ સુધી ઉકેલી શકાયો નથી.

આ પણ વાંચો: Aryan Khan Drug Case: ફરાર ગોસાવીના સાથીનો ખુલાસો ! ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી, 18 કરોડની ડીલમાં સમીર વાનખેડેને 8 કરોડ મળવાનો આક્ષેપ

આ પણ વાંચો: તમામ સરકારી કર્મચારી પહેરશે સ્માર્ટ વોચ, હાજરીથી લઈ કર્મચારીના કામ પર રખાશે નજર, આ રાજ્યના CM એ કરી જાહેરાત

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">