Aryan Khan Drug Case: ફરાર ગોસાવીના સાથીનો ખુલાસો ! ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી, 18 કરોડની ડીલમાં સમીર વાનખેડેને 8 કરોડ મળવાનો આક્ષેપ

પ્રભાકર સેલે આરોપ લગાવ્યો છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેમને એક ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી હતી. જણાવી દઈએ કે, ગોસાવી એજ વ્યક્તિ છે જેમની સાથે આર્યન ખાનની એક સેલ્ફી વાયરલ થઈ હતી અને જેને એનસીબીએ બાદમાં આ બાબતે સ્વતંત્ર સાક્ષી ગણાવ્યા હતા.

Aryan Khan Drug Case: ફરાર ગોસાવીના સાથીનો ખુલાસો ! ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી, 18 કરોડની ડીલમાં સમીર વાનખેડેને 8 કરોડ મળવાનો આક્ષેપ
Aryan Khan Drug Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 3:27 PM

આર્યનખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drug Case)ના પંચનામામાં NCB ના સાક્ષી કેપી ગોસાવી (KP Gosavi)ના સાથી પ્રભાકર સેલે આક્ષેપ કર્યો છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેમને એક ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી હતી. જણાવી દઈએ કે, ગોસાવી એજ વ્યક્તિ છે જેમની સાથે આર્યન ખાનની એક સેલ્ફી વાયરલ થઈ હતી અને જેને એનસીબીએ બાદમાં આ બાબતે સ્વતંત્ર સાક્ષી ગણાવ્યા હતા.

પ્રભાકરે આગળ જણાવ્યું કે, કે પી ગોસાવીના શંકાસ્પદ રીતે ગુમ થયા બાદ હવે તેમને પણ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેથી જાનનો ખતરો લાગી રહ્યો છે. મળતી માહિતી અનુસાર પ્રભાકરે જણાવ્યું કે, તેઓ ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરતા હતા. મુંબઈમાં ક્રુઝ પર દરોડા પહેલા તેને અને ગોસાવીને એક કોરા પંચનામાં પર સાઈન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમને એ પણ દાવો કર્યો છે કે, ક્રૂઝમાંથી ડ્રગ્સ મળ્યુ હતું કે નહીં તેને ખબર નથી. પ્રભાકર અનુસાર આ એ જ પંચનામું છે જેને બાદમાં આર્યનના કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શાહરૂખના મેનેજર પાસેથી માંગ્યા હતા 25 કરોડ રૂપિયા !

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પ્રભાકર અનુસાર ‘સૈમ’ સાથે મુલાકાત બાદ ગોસાવી કોઈક સાથે ફોન પર વાત કરી રહ્યો હતો જેમાં ’25 કરોડનો બોમ્બ’ રાખવાનો ઉલ્લેખ હતો અને ડીલ 18 કરોડ પર સેટલ કરવાની હતી. જેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને મળવાના હતા. આ વાતચીતમાં શાહરૂખ ખાનના મેનેજર પૂજા ડડલાની પાસેથી આ પૈસા લેવાનો ઉલ્લેખ હતો. પૂજા ડડલાની ફોન ઉપાડી રહી ન હતી આ વાતનો પણ ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે.

મુંબઈ ક્રૂઝ રેડના ઠીક પહેલા કોઈક ‘સૈમ’ સાથે મળ્યા હતા ગોસાવી

Kiran Gosavi's bodyguard Prabhakar cell

Kiran Gosavi’s bodyguard Prabhakar cell

પ્રભાકરે આગળ જણાવ્યું કે, મુંબઈ ક્રૂઝમાં રેડના પહેલા ગોસાવી NCB ઓફિસ પાસે કોઈક ‘સૈમ ડિસૂઝા’ નામના વ્યક્તિ સાથે મળ્યા હતા. પ્રભાકરે કહ્યું કે, દરોડા દરમિયાન તેઓએ ખુબ સાવધાનીથી અમુક વીડિયો અને તસ્વીરો લીધી હતી. એક વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે, ગોસાવીને કસ્ટડીમાં લીધા પહેલા આર્યન ખાનની કોઈક સાથે ફોન પર વાત કરાવામાં આવી હતી. પ્રભાકરે આની પાછળ મોટા ષડયંત્રની શંકા પણ વ્યક્ત કરી છે.

પ્રભાકર સેલે એ પણ જણાવ્યું કે, તેને પંચ સાક્ષી બનાવા માટે સમીર વાનખેડે અને NCB ના અધિકારીઓએ લગભગ 7 થી 8 પેજ પર તેમના હસ્તાક્ષર લીધા જે ખાલી પેજ હતા. પ્રભાકર સેલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે, સમીર વાનખેડેથી તેમને ખતરો છે, કારણ કે, તેમની પણ પૂછપરછ શરૂ છે.

પ્રભાકરે NCB પર ઉઠાવ્યા સવાલ

પ્રભાકરે દાવો કર્યો કે NCB એ ગોસાવીને મજબૂર કરી આ બાબતમાં સાક્ષી બનાવ્યા હતા. તેઓએ કહ્યું કે, ગોસાવી એક સ્વતંત્ર સાક્ષી હતા અને એક સ્વતંત્ર સાક્ષીને દરોડાની જાણકારી કેવી રીતે મળી શકે છે. તેણે એ પણ કહ્યું કે, પંચનામું પહેલાથી જ તૈયાર કરવામાં આવ્યું હતું અને લોકો પાસેથી પહેલાથી જ તેના પર સાઈન પણ કરાવી લેવામાં આવી હતી.

પ્રભાકર મુજબ આ ષડયંત્ર પાછળ એ વ્યક્તિ છે જેણે ગોસાવીને આર્યનની ફોન પર વાત કરાવી હતી. આ વાતચીત બાદ જ આર્યનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો. પ્રભાકરે સૈમ નામના વ્યક્તિની પણ તપાસ કરવાની અપીલ કરી છે જેમાં ગોસાવી દરોડાના ઠીક પહેલા મળ્યા હતા.

આ પણ વાંચો: તમામ સરકારી કર્મચારી પહેરશે સ્માર્ટ વોચ, હાજરીથી લઈ કર્મચારીના કામ પર રખાશે નજર, આ રાજ્યના CM એ કરી જાહેરાત

આ પણ વાંચો: અમિત શાહે જમ્મુમાં નવા IIT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે કરશે મુલાકાત

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">