China Corona: કોરોનાથી મોતના આંકડા છુપાવવા ચીનની નવી ચાલ, 10 લાખ મોતનું અનુમાન
China Corona: સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જો કોઈ દર્દીને પહેલાથી જ કોઈ બીમારી છે અને તેનું મોત થઈ ગયું છે, તો તેના ડેથ સર્ટિફિકેટમાં તે જ રોગને મોતનું કારણ લખો અને મોતનું કારણ કોરોનાને ન જણાવો.
ચીનની જિનપિંગ સરકાર કોરોનાના કારણે મોતના આંકડા છુપાવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે. ચીનના સરકારે ડોક્ટરોને આદેશ આપ્યો છે કે, મોતના પ્રમાણપત્રમાં દર્દીઓનું મોત કોરોનાના કારણે થયું છે તે ન લખે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ દર્દીને પહેલેથી જ કોઈ બીમારી છે અને તેનું મોત થઈ ગયું છે, તો તેના મોતના પ્રમાણપત્રમાં તે જ રોગથી મોત થયાનું લખો અને કોરોનાના કારણે તેનું મોત થયું નથી તેમ ડેથ સર્ટીફિકેટમાં લખવામાં આવે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, ખાનગી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે અને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈપણ દર્દીના મોત પ્રમાણપત્રમાં, કોરોનાના કારણે મોતનું કારણ ન જણાવો. રિપોર્ટ અનુસાર, ઘણા લોકોનું કહેવું છે કે આ આદેશ સરકાર તરફથી આવ્યો છે. જો કે, લોકોએ આ સમયગાળા દરમિયાન કોઈપણ વિભાગના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
30 દિવસમાં કોરોનાથી 60000 મોત: ચીન
ચીન પહેલાથી જ પોતાના દેશમાં કોરોનાને કારણે થયેલા મોતના આંકડા છુપાવી રહ્યું છે. જો કે છેલ્લા દિવસોમાં WHOના દબાણ બાદ તેમણે લગભગ 30 દિવસના આંકડાઓ જાહેર કર્યો હતા. ચીનના રાષ્ટ્રીય આયોગે જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં દેશમાં કોરોનાને કારણે લગભગ 60000 લોકોના મોત થયા છે. આ આંકડો પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો હતો. નેશનલ હેલ્થ કમિશને શનિવારે કહ્યું હતું કે 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી દેશની હોસ્પિટલોમાં કોરોનાને કારણે 59,938 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: ‘ડ્રેગન’ની અર્થવ્યવસ્થા ખોરવાઈ, ભારતની સરખામણીએ ચીનનો વિકાસ દર અડધો, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંત
કેસમાં વધારો અને દવા, બેડનો ઘટાડો
7 ડિસેમ્બરે ચીને દેશમાંથી ઝીરો કોવિડ પોલિસી હટાવી લીધી હતી. આ પછી દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થવા લાગ્યા. એક દિવસમાં હજારો લોકોના મોતના સમાચાર આવવા લાગ્યા. હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા. દવાઓ પૂર્ણ થવા લાગી, કોરોનાએ ચીનમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું.
10 લાખ લોકોના થયા મોત: નિષ્ણાતો
નિષ્ણાંતો કોરોનાને કારણે ભૂતકાળમાં ચીને રજૂ કરેલા ડેટા પર પણ શંકા કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનની સરકાર હજુ પણ સાચા આંકડા નથી જણાવી રહી. ચીનમાં કોરોનાને કારણે લગભગ 10 લાખ લોકોના મોત થયા છે.