Chicago News: શિકાગોના રસ્તા પર ભટકતી આ મહિલા બની ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ

Chicago News:પીડિત મહિલાની ઓળખ સૈયદા ઝૈદી તરીકે થઈ છે સૈયદા ઝૈદી ડેટ્રોઈટની ટ્રાઈન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. અગાઉ 22 જુલાઈના રોજ, MBT નેતા અને સામાજિક કાર્યકર્તા અમજદ ઉલ્લા ખાને શિકાગોમાં સૈયદા ઝૈદીની સ્થિતિ વિદેશ મંત્રાલયના ધ્યાન પર લાવી હતી.

Chicago News: શિકાગોના રસ્તા પર ભટકતી આ મહિલા બની ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ
Chicago News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 6:26 PM

Chicago News: અમેરિકાના શિકાગોના રસ્તાઓ પર ભટકતી એક ભારતીય મહિલા ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ભારત પરત લાવવાની માગ કરી રહ્યા છે. લોકોની અપીલને ગંભીરતાથી લેતા અમેરિકામાં ભારતીય દૂતાવાસે પીડિત મહિલાની મદદ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, આ દરમિયાન એવા સમાચાર છે કે ભારતીય મહિલાએ તેના ઘરે (ભારત) આવવાની ના પાડી દીધી છે.

આપને જણાવી દઈએ કે શિકાગોના રસ્તાઓ પર ભૂખ અને તરસથી પીડાતી આ મહિલાની ઓળખ સૈયદા ઝૈદી તરીકે થઈ છે, જે મૂળ ભારતના હૈદરાબાદની છે. આ મહિલાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. મહિલાની હાલત જોઈને લોકો તેને સુરક્ષિત રીતે ભારત લાવવાની માગ કરવા લાગ્યા. પીડિતાની માતા અને ભારતમાં પરિવારની અપીલ બાદ શિકાગો સ્થિત ભારતીય દૂતાવાસે મહિલાની મદદ માટે પહેલ કરી હતી.

આ પણ વાંચો : Chicago News: શિકાગોથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરની ગેરવર્તણૂક, પહેલા કોકપિટમાં ઘુસ્યો, પછી એક્ઝિટ ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ભારત પાછા ફરવાની ના પાડી

જે પછી, શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટે મહિલાનો સંપર્ક કર્યો અને તેણીને ભારત પરત ફરવા માટે તબીબી અને મુસાફરી સહાયની ઓફર કરી. મહિલાએ આ વાત સ્વીકારવાની ના પાડી દીધી અને હજુ પણ પોતાના નિર્ણય પર અડગ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, શિકાગોમાં ભારતીય દૂતાવાસે તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે ‘અમે વારંવાર સૈયદા ઝૈદીને ભારત પરત ફરવા માટે સંપૂર્ણ સમર્થનની ઓફર કરી છે, પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ આવ્યો નથી.

સૈયદા ઝૈદી ભણવા શિકાગો ગઈ હતી

રિપોર્ટ અનુસાર, ભારતીય દૂતાવાસનું આ નિવેદન હૈદરાબાદમાં ACT પબ્લિક વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ મોહમ્મદ રહીમ ખાનના પત્રના જવાબમાં છે, જેણે સોશિયલ મીડિયા દ્વારા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે સૈયદા ઝૈદી ડેટ્રોઈટની ટ્રાઈન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. અગાઉ 22 જુલાઈના રોજ, MBT નેતા અને સામાજિક કાર્યકર્તા અમજદ ઉલ્લા ખાને શિકાગોમાં સૈયદા ઝૈદીની સ્થિતિ વિદેશ મંત્રાલયના ધ્યાન પર લાવી હતી. બે હૈદરાબાદી યુવકોએ તેણીને શિકાગોના રસ્તાઓ પર ફરતી જોઈ હતી અને જ્યારે તેઓએ તેની પૂછપરછ કરી ત્યારે તેણે તેનું નામ અને તે હૈદરાબાદની હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે હૈદરાબાદમાં તેની માતા સૈયદા વહાજ ફાતિમા સાથે પણ વીડિયો કોલ દ્વારા વાત કરી, પરંતુ ઝૈદીએ ભારત પરત ફરવામાં રસ દાખવ્યો નહીં.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">