AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: કેનેડાને લાગ્યા મરચા! એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બાદ ઓસ્ટ્રેલિયન ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ, ભારતે નોંધાવ્યો વિરોધ

ભારત પ્રત્યેનું કેનેડાનું વલણ દિવસેને દિવસે બદલાતું જણાય છે. આજે કેનેડાએ ગભરાટમાં એક ઓસ્ટ્રેલિયન ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના પછી ટ્રુડો સરકાર સતત સવાલોનો સામનો કરી રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.

Video: કેનેડાને લાગ્યા મરચા! એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બાદ ઓસ્ટ્રેલિયન ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ, ભારતે નોંધાવ્યો વિરોધ
| Updated on: Nov 07, 2024 | 11:05 PM
Share

તેમણે આજે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય વિદેશ મંત્રીએ કેનેડાનો મુદ્દો ઉઠાવ્યો હતો કે જે કોઈ પુરાવા વગર ભારત પર આરોપ લગાવે છે. આ પછી તરત જ કેનેડાએ ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાની આ કાર્યવાહી સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને મોટી વાત કહી છે.

કેનેડામાં આજે ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બાદ કેનેડા સરકારે આ નિર્ણય લીધો છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, કેનેડામાં દર્શકો માટે એક મહત્વપૂર્ણ ડાયસ્પોરા આઉટલેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેની વોંગ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સના થોડા કલાકો બાદ આ બન્યું. આવી કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતી કરે છે.

તમે જોયું જ હશે કે વિદેશ મંત્રીએ તેમના મીડિયા કાર્યક્રમોમાં ત્રણ બાબતો વિશે વાત કરી હતી. પ્રથમ, કેનેડાએ કોઈ ચોક્કસ પુરાવા વિના આક્ષેપો કર્યા અને બીજું, તેણે કેનેડામાં થઈ રહેલા ભારતીય રાજદ્વારીઓના સર્વેલન્સ પર પ્રકાશ પાડ્યો, જેને તેણે અસ્વીકાર્ય ગણાવ્યો. ત્રીજી બાબત તેમણે હાઈલાઈટ કરી તે હતી કેનેડામાં ભારત વિરોધી તત્વોને આપવામાં આવેલી રાજકીય જગ્યા. તેથી તમે આના પરથી તમારા પોતાના તારણો કાઢી શકો છો કે ઓસ્ટ્રેલિયા ટુડે ચેનલને કેનેડા દ્વારા કેમ બ્લોક કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને દેખરેખ હેઠળ રાખવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

રણધીર જયસ્વાલ કહ્યું કે, અમે અમારા રાજદ્વારીઓને જ્યાં કોન્સ્યુલર કેમ્પ રાખવાનો હતો ત્યાં સુરક્ષા આપવા કહ્યું હતું. કેનેડિયન પક્ષ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી આપણે ભારતીય રાજદ્વારીઓ પર હુમલા, ધમકીઓ અને હેરાનગતિ થતા જોયા છે. ભારતીય રાજદ્વારીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અમે તેના વિશે વાત કરી છે અને આ બાબતને કેનેડિયન પક્ષ સાથે ખૂબ જ ભારપૂર્વક મુદ્દો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો: કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ, વિરોધ કરવા માટે એકઠા થયા લોકો, PM મોદી અને વિદેશ પ્રધાને કહી આ મોટી વાત

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">