AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં લાકડાં સળગાવવા પડી શકે છે ‘ભારે’, ધુમાડાથી વધી રહ્યું છે ‘મોતનું જોખમ’

શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઝડપથી નીચે જાય છે, ત્યારે શરીરને ગરમ રાખવા માટે લોકો અવારનવાર તાપણું અથવા અંગીઠીનો સહારો લે છે. જો કે, આ આગ પાછળ છુપાયેલું જોખમ ઘણીવાર જીવ પણ લઈ શકે છે.

શિયાળામાં લાકડાં સળગાવવા પડી શકે છે 'ભારે', ધુમાડાથી વધી રહ્યું છે 'મોતનું જોખમ'
| Updated on: Jan 26, 2026 | 7:48 PM
Share

શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઝડપથી નીચે જાય છે, ત્યારે શરીરને ગરમ રાખવા માટે લોકો અવારનવાર તાપણું અથવા અંગીઠીનો સહારો લે છે. ગામ હોય કે શહેર, ઠંડી રાતોમાં સળગતા લાકડાની આગ લોકોને રાહત અને શાંતિનો અહેસાસ કરાવે છે.

પરિવાર અને પડોશીઓ સાથે આગ પાસે બેસવું એ એક સામાન્ય અને જૂની પરંપરા પણ માનવામાં આવે છે. જો કે, જે હૂંફને આપણે આરામ અને સુરક્ષા સાથે જોડીએ છીએ, તેની પાછળ છુપાયેલું જોખમ ઘણીવાર અવગણવામાં આવે છે.

તાજેતરના અભ્યાસમાં થયો ખુલાસો

તાજેતરના સંશોધનો અને વૈજ્ઞાનિક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, સળગતા લાકડામાંથી નીકળતો ધુમાડો માત્ર વાતાવરણને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

આ ધુમાડો હવામાં અત્યંત સૂક્ષ્મ કણોનું પ્રમાણ વધારે છે, જે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. લાંબાગાળે તેની અસર હૃદય, ફેફસાં અને સમગ્ર શ્વસનતંત્ર પર પડી શકે છે. આ જ કારણ છે કે, હવે તાપણાંની ગરમી સામે સવાલો ઊઠી રહ્યા છે.

સૌથી મોટું કારણ કયું?

નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, શિયાળામાં હવામાં રહેલા PM 2.5 પ્રદૂષણનો લગભગ 22% હિસ્સો માત્ર લાકડાં સળગાવવાથી પેદા થાય છે. ટૂંકમાં, ઠંડીની મોસમમાં પ્રદૂષણ માટેનું આ સૌથી મોટું કારણ બની ગયું છે.

લાકડાં સળગાવવાથી નીકળતો ધુમાડો અત્યંત સૂક્ષ્મ કણોથી ભરેલો હોય છે, જે શ્વાસ દ્વારા સીધા શરીરમાં પ્રવેશ કરે છે. આ કણો હૃદય સંબંધિત રોગોનું જોખમ વધારી દે છે. નિષ્ણાતોના મતે, આ અસર જંગલની આગના ધુમાડા જેટલી જ ખતરનાક છે.

રિસર્ચ મોડલ્સ દર્શાવે છે કે, અમેરિકામાં દર વર્ષે લગભગ 8,600 જેટલા મૃત્યુનો સંબંધ રહેણાંક વિસ્તારોમાં લાકડાં સળગાવવાથી થતા પ્રદૂષણ સાથે છે. આ આંકડો દર્શાવે છે કે, લાકડાં સળગાવવાની સમસ્યા કેટલી ગંભીર છે અને અત્યાર સુધી તેને કેટલી નજરઅંદાજ કરવામાં આવી છે.

ધુમાડો હવાને પણ ઝેરી બનાવે છે

લાકડાં સળગાવવાની અસર માત્ર ઘર પૂરતી સીમિત રહેતી નથી. પવનની સાથે આ ધુમાડો ઉપનગરો (suburbs) થી વહીને ગીચ વસ્તી ધરાવતા શહેરો સુધી પહોંચી જાય છે. એવામાં ભલે શહેરોમાં લાકડાં ઓછા સળગાવવામાં આવતા હોય પરંતુ બહારથી આવેલો ધુમાડો ત્યાંની હવાને પણ ઝેરી બનાવી દે છે.

આનાથી બચવું કઈ રીતે?

સારી વાત એ છે કે, આનો ઉકેલ મુશ્કેલ નથી. જો લાકડાના સ્ટવ અને ફાયરપ્લેસની જગ્યાએ આધુનિક, સ્વચ્છ અને દહનમુક્ત (વગર સળગતા) હીટિંગ વિકલ્પો અપનાવવામાં આવે, તો હવાની ગુણવત્તામાં મોટો સુધારો થઈ શકે છે. તાપણાંની જગ્યાએ સુરક્ષિત હીટિંગ સાધનો અપનાવીને ન માત્ર આપણે આપણું સ્વાસ્થ્ય બચાવી શકીએ છીએ પરંતુ આખા વિસ્તારની હવાને પણ શુદ્ધ રાખી શકીએ છીએ.

આ પણ વાંચો: 27 જાન્યુઆરીએ ઇતિહાસ લખાશે ! ભારત-EU ટ્રેડ ડીલમાં લેવામાં આવશે આ ‘મોટો નિર્ણય’

આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
g clip-path="url(#clip0_868_265)">