AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ JUI-Fના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. 

Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 6:35 PM
Share

પાકિસ્તાનના (pakistan) ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ JUI-Fના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે.

આ બ્લાસ્ટ દુબઈ મોડ પાસે થયો છે. પોલીસ અને રેસક્યું ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ પોલીસે પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે.

ડીઆઈજી મલાકંદનું કહેવું છે કે વિસ્ફોટ કેવી રીતે થયો તે વિશે કંઈ કહી શકાય નહીં. માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલમાં અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ દરમિયાન, ભૂતપૂર્વ માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે બાજૌરમાં JUI-F સંમેલનમાં વિસ્ફોટના અહેવાલો “ચિંતાજનક” છે અને લોકોની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે તેઓ પણ આજે કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા, પરંતુ કેટલાક અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. તેમણે કહ્યું, ‘મને મળેલા રિપોર્ટ મુજબ 12 કામદારોના મોત થયા છે અને એક ડઝનથી વધુ ઘાયલ હોવાનું કહેવાય છે. હું વિસ્ફોટની સખત નિંદા કરું છું અને તેની પાછળના લોકોને સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. તેમણે કહ્યું કે આજની ઘટના માનવતા પર હુમલો છે.

આ પણ વાંચો : શું યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થશે ? સાઉદી અરેબિયાએ બોલાવી બેઠક, ભારતને પણ આમંત્રણ આપ્યું

JUI-Fએ ઉઠાવી માંગ, બ્લાસ્ટની તપાસ થવી જોઈએ

તેમણે માંગ કરી હતી કે વિસ્ફોટની તપાસ થવી જોઈએ. તેમનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે JUI-Fને નિશાન બનાવવામાં આવ્યું હોય. આવું પહેલા પણ બન્યું છે. અમારા કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમે સંસદમાં આ અંગે અમારો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">