Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ JUI-Fના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. 

Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 6:35 PM

પાકિસ્તાનના (pakistan) ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ JUI-Fના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે.

આ બ્લાસ્ટ દુબઈ મોડ પાસે થયો છે. પોલીસ અને રેસક્યું ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ પોલીસે પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે.

ડીઆઈજી મલાકંદનું કહેવું છે કે વિસ્ફોટ કેવી રીતે થયો તે વિશે કંઈ કહી શકાય નહીં. માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલમાં અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ દરમિયાન, ભૂતપૂર્વ માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે બાજૌરમાં JUI-F સંમેલનમાં વિસ્ફોટના અહેવાલો “ચિંતાજનક” છે અને લોકોની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?

JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે તેઓ પણ આજે કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા, પરંતુ કેટલાક અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. તેમણે કહ્યું, ‘મને મળેલા રિપોર્ટ મુજબ 12 કામદારોના મોત થયા છે અને એક ડઝનથી વધુ ઘાયલ હોવાનું કહેવાય છે. હું વિસ્ફોટની સખત નિંદા કરું છું અને તેની પાછળના લોકોને સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. તેમણે કહ્યું કે આજની ઘટના માનવતા પર હુમલો છે.

આ પણ વાંચો : શું યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થશે ? સાઉદી અરેબિયાએ બોલાવી બેઠક, ભારતને પણ આમંત્રણ આપ્યું

JUI-Fએ ઉઠાવી માંગ, બ્લાસ્ટની તપાસ થવી જોઈએ

તેમણે માંગ કરી હતી કે વિસ્ફોટની તપાસ થવી જોઈએ. તેમનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે JUI-Fને નિશાન બનાવવામાં આવ્યું હોય. આવું પહેલા પણ બન્યું છે. અમારા કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમે સંસદમાં આ અંગે અમારો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">