AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : ખૈબર પખ્તુનખ્વામાં એક જ પરિવારના 9 લોકોની હત્યા, બંદૂકધારીઓએ ઘરમાં ઘૂસીને ગોળી ચલાવી

Pakistan News : અજાણ્યા બંદૂકધારીઓ કોણ હતા, તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે, ત્યાર બાદ જ તેઓ કંઈક કહી શકશે. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.

Pakistan : ખૈબર પખ્તુનખ્વામાં એક જ પરિવારના 9 લોકોની હત્યા, બંદૂકધારીઓએ ઘરમાં ઘૂસીને ગોળી ચલાવી
પાકિસ્તાનમાં 9 લોકોની હત્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 3:04 PM
Share

Pakistan News : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બુધવારે જોરદાર વરસાદ થયો છે. જ્યાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ એક ઘરમાં ઘૂસીને એક જ પરિવારના નવ લોકોની હત્યા કરી નાખી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને છ પુરૂષોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંદૂકધારીઓ ઓટોમેટિક હથિયારોથી સજ્જ હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જોકે હજુ સુધી આ ઘટના પાછળનું કારણ શું છે તે જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસે કહ્યું છે કે તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આ ઘટના પાછળનું કારણ શું છે તે શોધી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના મલાકંદ જિલ્લાના બટખેલા તાલુકાની છે. આજે સવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓ આવ્યા અને સીધા ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હજુ સુધી એ જાણી શકાયું નથી કે ઘરમાં માત્ર 9 લોકો હતા કે વધુ સભ્યો હતા.

બે મહિનામાં બીજી મોટી ઘટના

જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં પખ્તુનખ્વા પ્રાંતમાં ફાયરિંગની આ બીજી મોટી ઘટના છે. એપ્રિલ મહિનામાં ખુર્રમ જિલ્લામાં ગોળીબારની ઘટનામાં સાત લોકો માર્યા ગયા હતા અને તે તમામ શિક્ષકો હતા. જ્યારે શિક્ષકો પરીક્ષા માટે પેપરનો સેટ તૈયાર કરી રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ‘અમેરિકા-ભારતની મિત્રતા પહેલા કરતા વધુ મજબૂત’, બાયડેનની ટ્વીટ, PM મોદીએ કહ્યું- હું સંપૂર્ણપણે સંમત છું

બેરિકેડ તોડી અંદર પ્રવેશ્યા

ત્યારે જ, કેટલાક કાર સવાર હુમલાખોરો શાળાની બહારના બેરિકેડ તોડીને શાળામાં ઘૂસ્યા અને સીધા રૂમમાં ગયા જ્યાં શિક્ષકો પેપરનો સેટ તૈયાર કરી રહ્યા હતા. હુમલા સમયે પોલીસ કર્મચારીઓ પણ શાળાની બહાર હતા, પરંતુ ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ પણ પૂંછડી દબાવીને ભાગી ગયા હતા.

આ પણ વાચો: China Helping Pakistan : LoC પર ચીનનું મોટું પગલું, ભારત વિરુદ્ધ પાકિસ્તાની સેનાને મજબૂત કરી રહી છે

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">