AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોસ્કોમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં 1 ભારતીયનું મોત, 3 ઘાયલ, ભારતીય દૂતાવાસ મદદ માટે પહોંચ્યું

રશિયામાં ભારતીય દૂતાવાસે મોસ્કોમાં ડ્રોન હુમલામાં એક ભારતીયનું મૃત્યુ અને 3 અન્ય લોકોના ઘાયલ થવા પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે. દૂતાવાસના કર્મચારીઓ ઘાયલોને મળ્યા અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.

Breaking News : મોસ્કોમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં 1 ભારતીયનું મોત, 3 ઘાયલ, ભારતીય દૂતાવાસ મદદ માટે પહોંચ્યું
| Updated on: May 18, 2026 | 10:55 AM
Share

રશિયાના મોસ્કોમાં ડ્રોન હુમલામાં એક ભારતીય મજુરનું મૃત્યું થયું છે. જ્યારે 3 ઘાયલ થયા છે. મોસ્કો સ્થિત ભારતીય દુતાવાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ઘાયલો સાથે મુલાકાત કરી હતી. ભારતીય દુતાવાસનું કહેવું છે કે,તે ઈજાગ્રસ્તોના સંપર્કમાં છે. તેમજ જરુરી સહાયતા પહોંચાડવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં એક ભારતીય સહિત 4 લોકોના જીવ ગયા છે.

ઘાયલોના સંપર્કમાં ભારતીય દૂતાવાસ

મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલા બાદ ભારતીય દુતાવાસે એક્સ પોસ્ટમાં કહ્યું કે, મોસ્કોમાં ડ્રોન હુમલાના કારણે એક ભારતીય નાગરિકનું મૃત્યું થયું છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દૂતાવાસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે તેમજ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી રહ્યા છે. દૂતાવાસ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમજ પીડિતોને જરુરી સહાયતા પુરી પાડવાનો સંભવ પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે કંપની મેનેજમેન્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છીએ.

રશિયાના દુતાવાસે શું કહ્યું જાણો

નવી દિલ્હી સ્થિત રશિયાના દુતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ભારતીય નાગરિકના મૃત્યું પર દુખ વ્યક્ત કર્યું છે. જેમાં કહ્યું કે, રશિયાના દૂતાવાસે ભારતીયના મૃત્યું પર દુખ વ્યક્ત કર્યું છે. તેમજ મોસ્કો ક્ષેત્રમાં નાગરિક સુવિધાઓ પર યુક્રેની હુમલામાં ઈજાગ્રસ્તો લોકો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. પોસ્ટ મુજબ રિપોર્ટ અનુસાર મોસ્કો શહેરમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે મોસ્કો ક્ષેત્રમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રશિયા પર વધ્યા યુક્રેનના હુમલા

રશિયાના મીડિયાએ જણાવ્યું કે, શનિવારની રાત્રે મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલામાં 3 લોકોના મૃત્યું થયા છે. તેમજ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકની રાષ્ટ્રીયતાનો ખુલાસો કર્યો નથી. આ ઘટના રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ છે.યુક્રેને રાતભર મોસ્કોના અનેક ઠેકાણા પરનિશાન બનાવી હુમલા કર્યા છે. સમાચાર એજન્સી મુજબ રશિયાએ છેલ્લા 24 કલાકમાં મોસ્કો દ્વારા આવી રહેલા 120 થી વધુ ડ્રોન તોડી પાડ્યા છે.

ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષનો વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવાના પ્રયાસો છતાં, રશિયા અને યુક્રેને તાજેતરના મહિનાઓમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ વધારી દીધા છે.

વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ રશિયા સૌથી મોટો દેશ છે. 1,70,75,000 ચો કિમી. જેટલો વિસ્તાર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">