AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોસ્કોમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં 1 ભારતીયનું મોત, 3 ઘાયલ, ભારતીય દૂતાવાસ મદદ માટે પહોંચ્યું

રશિયામાં ભારતીય દૂતાવાસે મોસ્કોમાં ડ્રોન હુમલામાં એક ભારતીયનું મૃત્યુ અને 3 અન્ય લોકોના ઘાયલ થવા પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે. દૂતાવાસના કર્મચારીઓ ઘાયલોને મળ્યા અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.

Breaking News : મોસ્કોમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં 1 ભારતીયનું મોત, 3 ઘાયલ, ભારતીય દૂતાવાસ મદદ માટે પહોંચ્યું
| Updated on: May 18, 2026 | 10:55 AM
Share

રશિયાના મોસ્કોમાં ડ્રોન હુમલામાં એક ભારતીય મજુરનું મૃત્યું થયું છે. જ્યારે 3 ઘાયલ થયા છે. મોસ્કો સ્થિત ભારતીય દુતાવાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ઘાયલો સાથે મુલાકાત કરી હતી. ભારતીય દુતાવાસનું કહેવું છે કે,તે ઈજાગ્રસ્તોના સંપર્કમાં છે. તેમજ જરુરી સહાયતા પહોંચાડવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં એક ભારતીય સહિત 4 લોકોના જીવ ગયા છે.

ઘાયલોના સંપર્કમાં ભારતીય દૂતાવાસ

મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલા બાદ ભારતીય દુતાવાસે એક્સ પોસ્ટમાં કહ્યું કે, મોસ્કોમાં ડ્રોન હુમલાના કારણે એક ભારતીય નાગરિકનું મૃત્યું થયું છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દૂતાવાસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે તેમજ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી રહ્યા છે. દૂતાવાસ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમજ પીડિતોને જરુરી સહાયતા પુરી પાડવાનો સંભવ પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે કંપની મેનેજમેન્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છીએ.

રશિયાના દુતાવાસે શું કહ્યું જાણો

નવી દિલ્હી સ્થિત રશિયાના દુતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ભારતીય નાગરિકના મૃત્યું પર દુખ વ્યક્ત કર્યું છે. જેમાં કહ્યું કે, રશિયાના દૂતાવાસે ભારતીયના મૃત્યું પર દુખ વ્યક્ત કર્યું છે. તેમજ મોસ્કો ક્ષેત્રમાં નાગરિક સુવિધાઓ પર યુક્રેની હુમલામાં ઈજાગ્રસ્તો લોકો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. પોસ્ટ મુજબ રિપોર્ટ અનુસાર મોસ્કો શહેરમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે મોસ્કો ક્ષેત્રમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રશિયા પર વધ્યા યુક્રેનના હુમલા

રશિયાના મીડિયાએ જણાવ્યું કે, શનિવારની રાત્રે મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલામાં 3 લોકોના મૃત્યું થયા છે. તેમજ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકની રાષ્ટ્રીયતાનો ખુલાસો કર્યો નથી. આ ઘટના રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ છે.યુક્રેને રાતભર મોસ્કોના અનેક ઠેકાણા પરનિશાન બનાવી હુમલા કર્યા છે. સમાચાર એજન્સી મુજબ રશિયાએ છેલ્લા 24 કલાકમાં મોસ્કો દ્વારા આવી રહેલા 120 થી વધુ ડ્રોન તોડી પાડ્યા છે.

ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષનો વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવાના પ્રયાસો છતાં, રશિયા અને યુક્રેને તાજેતરના મહિનાઓમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ વધારી દીધા છે.

વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ રશિયા સૌથી મોટો દેશ છે. 1,70,75,000 ચો કિમી. જેટલો વિસ્તાર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
g clip-path="url(#clip0_868_265)">