AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનના પત્રકારે પૂર્વ પીએમ ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો !

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર વજાહત એસ. ખાને દાવો કર્યો છે કે ,ઇમરાન ખાનનું અવસાન થયું છે. પીટીઆઈના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટે તેમના દાવા અંગે ટ્વીટ કર્યું છે. પીટીઆઈએ શું કહ્યું છે તે જાણો.

Breaking News : પાકિસ્તાનના પત્રકારે પૂર્વ પીએમ ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો !
| Updated on: Aug 12, 2026 | 2:54 PM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનનુ જેલમાં મૃત્યુ થયું હોવાનું પાકિસ્તાનના એક પત્રકારે દાવો કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, પત્રકારે પણ પાકિસ્તાની આર્મીના ત્રણ અધિકારીઓના કહેવાને ટાંકિને આ દાવો કર્યો છે.

પાકિસ્તાની સરકાર અને સૈન્યના સૂત્રોને ટાંકીને વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર વજાહત એસ. ખાને દાવો કર્યો છે કે, ઇમરાન ખાનનું મૃત્યુ થયું છે. આ પછી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ મંગળવારે કહ્યું કે તેના સ્થાપક ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશેના “ચિંતાજનક સમાચાર” સમગ્ર દેશમાં ચિંતા અને ગભરાટ ફેલાવી રહ્યા છે. પાર્ટીએ માંગ કરી હતી કે સરકાર તેમને ઇમરાન ખાન સાથે મળવાની મંજૂરી આપે.

ઈમરાન ખાનના મોતનો દાવો!

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ આ નિવેદન પત્રકાર વજાહત સઈદ ખાનના એ રિપોર્ટ પછી આવ્યો છે. જેમાં ઈમરાન ખાનના કથિત મૃત્યુની વાત કહેવામાં આવી હતી. ઈમરાન ખાનના સ્વાસ્થ અને તેને મળવા દેવામાં ન આવતા પેહાલથી ચિંતા હતી.

અદિયાલા જેલમાં બંધ છે ઈમરાન ખાન

તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે. તેઓ 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચાર મામલે અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે. તેના પર 9 મે 2023ના રોજ વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા એન્ટી ટેરિઝમ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો છે. પીટીઆઈના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને કહ્યું કે, ઈમરાન ખાનના સ્વાસ્થને લઈ સતત આવી રહેલા ચિંતાજનક સમાચારએ આખા દેશને ચિંતામાં નાંખ્યો છે.

PTIએ હેલ્થને લઈ ચિંતા વ્યક્ત કરી

PTIના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સરકારને યાદ રાખવું જોઈએ કે, ઈમરાન ખાન કોઈ સામાન્ય રાજનેતા નથી. પરંતુ લાખો પાકિસ્તાનીએ પસંદ કરેલા લોકપ્રિય નેતા છે. તેના સ્વાસ્થ વિશે લોકોને ભરોસામાં લાવવાની જવાબદારી સરકારની છે.

ટીવી 9 ગુજરાતી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનના મૃત્યુનો દાવો, જાણો પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">