બલૂચિસ્તાનના નવા CMને લઈને સમગ્ર પાકિસ્તાનમાં હોબાળો , ખુરશી માટે અબજો રૂપિયાનો સોદો કરવો પડ્યો, આખરે કારણ શું છે

|

Mar 04, 2022 | 10:32 AM

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)બલૂચિસ્તાનના પૂર્વ પ્રમુખ યાર મોહમ્મદ રિંદે આરોપ લગાવ્યો હતો કે, બલૂચિસ્તાનના મુખ્યમંત્રી પદ 3.5 અબજ રૂપિયાના બદલામાં અબ્દુલ કુદ્દુસ બિજેન્જોને આપવામાં આવ્યું હતું.

બલૂચિસ્તાનના નવા CMને લઈને સમગ્ર પાકિસ્તાનમાં હોબાળો , ખુરશી માટે અબજો રૂપિયાનો સોદો કરવો પડ્યો, આખરે કારણ શું છે
યાર મોહમ્મદ રિંદ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભૂતપૂર્વ વિશેષ સહાયક(AP Photo)

Follow us on

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)બલૂચિસ્તાનના પૂર્વ પ્રમુખ યાર મોહમ્મદ રિંદે મોટો આરોપ લગાવ્યો છે કે બલૂચિસ્તાનનું મુખ્યમંત્રી પદ 3.5 અબજ રૂપિયાના બદલામાં અબ્દુલ કુદ્દુસ બિઝેન્જો(Abdul Quddus Bizenjo) ને આપવામાં આવ્યું હતું. યાર મોહમ્મદ રિંદે (Yar Mohammad Rind)બુધવારે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ના વિશેષ સહાયકના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક કાર્યક્રમમાં બોલતા અબ્દુલ કુદ્દુસ બિજેન્જો વિશે આ મોટી માહિતીનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે આ ડીલ ઈસ્લામાબાદમાં બે સેનેટરો અને એક રાજકીય વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ગયા વર્ષે બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP)ના નેતા મીર અબ્દુલ કુદ્દુસ બિજેન્જોને બલૂચિસ્તાનના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બલૂચિસ્તાન એસેમ્બલી સત્ર દરમિયાન અબ્દુલ બિજેન્જો આ પદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. સત્રની અધ્યક્ષતા બલૂચિસ્તાન વિધાનસભાના અધ્યક્ષ સરદાર બાબર મુસાખેલે કરી હતી.

મોહમ્મદ રિંદે રાજીનામામાં શું કહ્યું

આ મારો છેલ્લો નિર્ણય છે. વડાપ્રધાનના વિશેષ સહાયક તરીકે હું માત્ર નોટિફિકેશન બહાર પાડવાની હદ સુધી જ હતો. મારી પાસે કોઈ અધિકારો નહોતા. મને બલૂચિસ્તાન પર કોઈ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, ફેડરલ મંત્રીઓ સહિત કોઈએ પણ કોઈ બેઠક માટે મારો સંપર્ક કર્યો ન હતો. રિંદે કહ્યું કે સરકાર અને વડા પ્રધાનની “સતત અજ્ઞાનતા” ને કારણે તેણે આ સખત પગલું ભર્યું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રિંદની નિમણૂક ત્રણ વર્ષ પહેલા થઈ હતી

23 માર્ચ 2019 ના રોજ તેમને PM ઈમરાન દ્વારા તેમના વિશેષ સહાયક તરીકે નિયુક્ત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમને જળ સંસાધન મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની બાબતો જોવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગયા મહિને, રિંદે દાવો કર્યો હતો કે 2021માં કચ્છી જિલ્લામાં પીટીઆઈના ત્રણ કાર્યકરોની હત્યામાં નામના આરોપીઓની હજુ ધરપકડ કરવામાં આવી નથી. તેણે કહ્યું હતું કે પોલીસ ફરિયાદીઓ પર હત્યામાં કથિત રીતે સંડોવાયેલા બે આરોપીઓના નામ પાછા ખેંચવા દબાણ કરી રહી છે. રિંદે તેમના પક્ષના કાર્યકરો માટે ન્યાયની માંગ કરી હતી અને ન્યાય ન મળે ત્યાં સુધી શાંતિથી બેસવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચો : Russia Ukraine War Live Updates : બોરિસ જોન્સને પરમાણુ પ્લાન્ટ અંગે ઝેલેન્સ્કી સાથે કરી ચર્ચા, કહ્યું- UNની ઈમરજન્સી મીટિંગ બોલાવશે

Next Article