AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એર ઈન્ડિયાએ 5G રોલઆઉટ બાદ ફરી યુએસ ફ્લાઈટ્સ શરૂ કરી, જાણો સમગ્ર વિગત

એર ઈન્ડિયા આજથી યુએસ ફ્લાઇટ ફરી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસમાં એર ઈન્ડિયાએ યુએસમાં 5G રોલ આઉટ સંબંધિત સુરક્ષાને ધ્યાને લઈને આ કામગીરી બંધ કરી હતી.

એર ઈન્ડિયાએ 5G રોલઆઉટ બાદ ફરી યુએસ ફ્લાઈટ્સ શરૂ કરી, જાણો સમગ્ર વિગત
Air India Flight (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 11:54 AM
Share

Air India : એરલાઈનના અધિકારીઓએ (Airline Officer) જણાવ્યુ હતુ કે, યુએસ દ્વારા 5G રોલઆઉટ બાદ એર ઈન્ડિયાએ યુએસ ઓથોરિટીની (US Authority) મંજૂરી બાદ 21 જાન્યુઆરીથી દેશમાં B777 કામગીરી ફરી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે 5G રોલઆઉટને કારણે એર ઈન્ડિયાએ અગાઉ યુએસએની આઠથી વધુ ફ્લાઈટ્સ રદ કરી હતી.

એર ઇન્ડિયાએ આઠ ફ્લાઇટ્સ રદ કરી હતી

ઉલ્લેખનીય છે કે બોઈંગે એર ઈન્ડિયાને USમાં B777 પર સંચાલન કરવાની મંજૂરી આપી છે. તે મુજબ શુક્રવારે સવારે પ્રથમ ફ્લાઈટ જોન એફ કેનેડી માટે રવાના થઈ છે. સાથે જ અન્ય ફ્લાઈટ્સ શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો રવાના થશે. હાલ ફસાયેલા મુસાફરોને લઈ જવાની વ્યવસ્થા પર કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ બુધવારે, USમાં 5G વાયરલેસ નેટવર્કના રોલઆઉટ બાદ ભારતે એર ઈન્ડિયાની આઠ ફ્લાઈટ્સ રદ કરી હતી.

અગાઉ એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને  જણાવ્યુ હતુ કે, “યુએસએમાં 5G સંચારની કામગીરીને કારણે, અમે 19 જાન્યુઆરીની નીચેની ફ્લાઇટ્સનું સંચાલન કરી શકીશું નહી”

5G ઈન્ટરનેટ સેવાને કારણે ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી

એર ઈન્ડિયાએ ઉત્તર અમેરિકામાં 5G ઈન્ટરનેટ સેવાને કારણે બુધવારે ભારત-યુએસ રૂટ પર આઠ ફ્લાઈટ્સ રદ કરી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે યુએસ એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યુ હતુ કે, B777 સહિત ચોક્કસ પ્રકારના એરક્રાફ્ટમાં ફીટ કરાયેલા રેડિયો અલ્ટિમીટર 5G સેવાઓથી પ્રભાવિત થશે નહીં.

આ પણ વાંચો : Boeing Aircrafts: બોઇંગ 777 અથવા 717, 737… ક્યારેય વિચાર્યું છે કે દરેક બોઇંગ એરક્રાફ્ટ 7 નંબરથી જ કેમ શરૂ થાય છે?

આ પણ વાંચો :  Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">