AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી સાથે મુલાકાત બાદ બ્રિટિશ PM જોન્સને કહ્યું, ઈન્ડો-પેસિફિકમાં બંને દેશોના સમાન હિત, અવકાશ અને દરિયાઈ ખતરાનો સામનો કરવા સમંત

PM Modi-Boris Johnson: પીએમ મોદી અને બોરિસ જોન્સને (Boris Johnson) બેઠક બાદ સંયુક્ત નિવેદન આપ્યું છે. જેમાં બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત રાખવામાં બંને દેશોનું સમાન હિત છે.

PM મોદી સાથે મુલાકાત બાદ બ્રિટિશ PM જોન્સને કહ્યું, ઈન્ડો-પેસિફિકમાં બંને દેશોના સમાન હિત, અવકાશ અને દરિયાઈ ખતરાનો સામનો કરવા સમંત
British pm Boris JohnsonImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 4:19 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન (PM Modi Boris Johnson Meeting) શુક્રવારે દિલ્હીના (Delhi) હૈદરાબાદ હાઉસમાં મળ્યા હતા. સંયુક્ત નિવેદનમાં, યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે, “બ્રિટન અમલદારશાહી ઘટાડવા અને સંરક્ષણ પ્રાપ્તિ માટે ડિલિવરીનો સમય ઘટાડવા માટે ભારત વિશિષ્ટ ઓપન જનરલ એક્સપોર્ટ લાઇસન્સ બનાવી રહ્યું છે.” તેમણે કહ્યું કે આજે અમારી વચ્ચે અદ્ભુત વાતચીત થઈ અને અમે અમારા સંબંધોને દરેક રીતે મજબૂત કર્યા છે. ભારત અને યુકે (India UK Relations) વચ્ચેની ભાગીદારીએ આપણા સમયની નિર્ધારિત મિત્રતાઓમાંની એક છે.

બોરિસ જ્હોન્સને કહ્યું કે બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત રાખવામાં સમાન હિત ધરાવે છે. બંને દેશો હવાઈ, અવકાશ અને દરિયાઈ ખતરાનો સામનો કરવા સંમત થયા છે. અમે ટકાઉ, સ્થાનિક ઉર્જા માટે પગલાં લઈશું. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે. પીએમ મોદી અને બોરિસ જોન્સન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ છે. જોનસન શુક્રવારે સવારે દિલ્હી આવ્યો હતો. જ્યાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ ગયા હતા. આ પછી વાત કરવા હૈદરાબાદ હાઉસ આવ્યા. જ્યારે તેમણે ગુજરાતમાં અમદાવાદથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી.

પીએમ મોદીએ યુક્રેન મુદ્દે વાત કરી હતી

પીએમ મોદીએ યુક્રેનના મુદ્દા પર સંયુક્ત નિવેદનમાં કહ્યું, અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને સમસ્યાના નિરાકરણ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. અમે તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના આદરના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે હું બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનનું ભારતમાં સ્વાગત કરું છું. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત મુલાકાત ઐતિહાસિક છે.

વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ગયા વર્ષે અમે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પણ સ્થાપિત કરી હતી. અમે રોડમેપ 2030 પણ લોન્ચ કર્યો છે. બંને દેશોની ટીમ FTA અંગે કામ કરી રહી છે અને વાતચીતમાં પ્રગતિ થઈ રહી છે. અમે આ વર્ષના અંત સુધીમાં FTA સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે અમે અમારી આબોહવા અને ઊર્જા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો નિર્ણય કર્યો છે. અમે યુકેને ભારતના નેશનલ હાઈડ્રોજન મિશનમાં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ.

આ પણ વાંચો: મોદીની કાશ્મીર મુલાકાત પૂર્વે, CISF જવાનોને લઈ જતી બસ પર આતંકી હુમલો, એક જવાન શહીદ-બે ઘાયલ

આ પણ વાંચો: ચીન અને સોલોમન ટાપુઓ વચ્ચે ‘સિક્યોરિટી એગ્રીમેન્ટ’ને કારણે અમેરિકા તણાવમાં, સેના મોકલીને દેશને અસ્થિર કરી શકે છે ડ્રેગન

Follow Us
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">