AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટિકટોક બેન : ભારત પછી નેપાળે ચીનને આપ્યો મોટો ઝટકો, ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ

વર્ષ 2020માં લદ્દાખ બોર્ડર પર ચીન સાથેના વિવાદ બાદ ભારત સરકારે મોટી સંખ્યામાં ચાઈનીઝ એપ્સ સામે કડક કાર્યવાહી કરી હતી. આ બાદ ભારતમાં ટિક-ટોક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ભારતની તર્જ પર વધુ એક દેશ ટીકટોક પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યો છે.

ટિકટોક બેન : ભારત પછી નેપાળે ચીનને આપ્યો મોટો ઝટકો, ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ
| Updated on: Nov 13, 2023 | 10:42 PM
Share

ભારત અને ચીનના પાડોશી દેશ નેપાળે નિર્ણય લીધો છે કે તે ટૂંક સમયમાં જ પોતાના દેશમાં ટીકટોક પર પ્રતિબંધ લગાવશે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, નેપાળ કેબિનેટની બેઠકમાં, સામાજિક સમરસતા પર તેની નકારાત્મક અસરને ટાંકીને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટિકટોક પર પ્રતિબંધનો નિર્ણય ક્યારે અમલમાં આવશે તે અંગે કેબિનેટના નિર્ણયમાં કોઈ ઉલ્લેખ નથી. સરકારના પ્રવક્તા રેખા શર્માએ મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું કે કોઈપણ અભિવ્યક્તિની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે, પરંતુ આ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તેના પર થતી પ્રવૃત્તિઓને કારણે લેવામાં આવ્યો છે, જે સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડે તેવું માનવામાં આવે છે.

નેપાળે આટલું કડક પગલું કેમ ભર્યું?

રિપોર્ટ અનુસાર, નેપાળમાં છેલ્લા ચાર વર્ષમાં ટિકટોક દ્વારા સાયબર ક્રાઇમના કુલ 1,647 કેસ નોંધાયા છે. થોડા સમય પહેલા TikTok અધિકારીઓ અને નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને અન્ય એજન્સીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. તેને નેપાળમાં સાયબર ક્રાઈમના નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. નેપાળના નવા સાયબર ક્રાઈમ નિયમો જણાવે છે કે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે દેશમાં ઓફિસ ખોલવી પડશે.

આ પણ વાંચો : ઋષિ સુનકે ભારતીય મૂળના સુએલા બ્રેવરમેનને ગૃહમંત્રી પદેથી હટાવ્યા, જાણો કારણ

ચીન ગુસ્સે થઈ શકે છે !

એવું માનવામાં આવે છે કે બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ ન થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળ અને ચીન વચ્ચે હાલમાં સારા સંબંધો છે. આવી સ્થિતિમાં આ નિર્ણયથી બંને દેશોના સંબંધો પર અસર પડી શકે છે. ચીન-નેપાળના સંબંધોમાં ખટાશ આવવાની પણ શક્યતા છે. નેપાળ સરકારનું કહેવું છે કે તેમના દેશમાં TikTokની કોઈ ઓફિસ નથી, તેથી તેને આ પ્લેટફોર્મ સાથે સંબંધિત અપરાધિક મામલાઓનો ઉકેલ લાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">