કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાનો ડ્રોનથી હુમલો, 3 બાળકોના પણ મોત

અમેરિકાના મતે, હુમલાખોરને મારી નાખ્યો છે. વાહનમાં મોટીમાત્રામાં વિસ્ફોટકો હતા. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના લોકોને બહાર કાઢવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.

કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાનો ડ્રોનથી હુમલો, 3 બાળકોના પણ મોત
કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટક સાથે હુમલો કરતા જઈ રહેલા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાનો ડ્રોન હુમલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 7:40 AM

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવ્યા અનુસાર, રવિવારે અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં ત્રણ બાળકો માર્યા ગયા હતા. અમેરિકાએ કહ્યું છે કે તેણે ISIS ના આત્મઘાતી કાર બોમ્બરોને મારી નાખ્યા છે. આ આત્મઘાતી હુમલાખોરો કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જઈ રહ્યા હતા. કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇવેક્યુશન ઓપરેશનની વચ્ચે રવિવારે અમેરિકાએ ઘણા ઇસ્લામિક સ્ટેટ આત્મઘાતી બોમ્બરોને લઇ જતા વાહનને ઉડાવી દીધું હતું. ગત ગુરુવારે કાબુલ એરપોર્ટ પર ISIS આત્મઘાતી હુમલા બાદ યુએસ લશ્કરી દળો દ્વારા આ બીજો ડ્રોન હુમલો હતો. કાબુલમાં થયેલા વિસ્ફોટોમાં 13 અમેરિકન સૈનિકો અને દેશ છોડવાનો પ્રયાસ કરતા ઘણા અફઘાન લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા.

બે યુએસ લશ્કરી અધિકારીઓએ ડ્રોન દ્વારા કરાયેલા હવાઈ હુમલાને સફળ ગણાવતા કહ્યું કે વાહનની અંદર ઘણા બોમ્બર્સ હતા. સૈન્ય પ્રવક્તા અને યુએસ નેવી કેપ્ટન બિલ અર્બને કહ્યું કે યુએસ દ્વારા ડ્રોન સ્ટ્રાઈક સંરક્ષણના ભાગરૂપે કરવામાં આવી હતી. એરસ્ટ્રાઈકમાં કોઈ નાગરિકો માર્યા ગયા છે કે કેમ તે અંગે સૈન્ય તપાસ કરી રહ્યું છે, અર્બને જણાવ્યું હતું કે, હુમલામાં કોઈપણ નિર્દોષ લોકોના જીવ ગયા હશે તો અમેરિકા ઘણું દુખી થશે.

કારમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો હતો બિલ અર્બને કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે લક્ષ્યને સફળતાપૂર્વક મારી નાખ્યું છે. તે દર્શાવે છે કે વાહનમાં મોટીમાત્રામાં વિસ્ફોટકો હતા. અફઘાનિસ્તાનમાંથી અમેરિકના નાગરીકોને બહાર કાઢવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે લગભગ 100 દેશો, તેમજ નાટો અને યુરોપિયન યુનિયન દ્વારા સહી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેને તાલિબાન તરફથી “ખાતરી” મળી છે કે મુસાફરી દસ્તાવેજો ધરાવતા લોકો હજુ પણ દેશ છોડી શકશે. તાલિબાને કહ્યું છે કે તેઓ મંગળવારે અમેરિકા દ્વારા જાહેર કરાયેલ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, એરપોર્ટ પરથી સામાન્ય મુસાફરીની મંજૂરી આપવામાં આવશે અને એરપોર્ટ ઉપર નિયંત્રણ લઈ લેવાશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એરપોર્ટ પર હુમલાનો વ્યક્ત કરાયો હતો ભય  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે હવાઈ હુમલા ચાલુ રાખવાનું ચેતવણી આપતા કહ્યું હતુ કે કાબુલ એરપોર્ટ પર વધુ હુમલો થવાની સંભાવના છે. અમેરિકાના વિદેશ વિભાગે હુમલાની ચેતવણીને “ચોક્કસ” અને “વિશ્વસનીય” ગણાવી હતી. ગત ગુરુવાર 26મી ઓગસ્ટના રોજ થયેલા આતંકી આત્મધાતી હુમલા બાદ તાલિબાનોએ એરપોર્ટની આસપાસ સુરક્ષા વધારી દીધી છે, અને વિશ્વના અન્ય દેશ દ્વારા ચાલી રહેલ એરલિફ્ટ દ્વારા અફધાન છોડવાની આશામાં એરપોર્ટના ગેટની બહાર ભેગા થયેલા મોટી ભીડને વિખેરી નાખી છે. તાલિબાને અમેરિકા અને તેના સહયોગીઓ સાથે કામ કરનારાઓ સહીત તમામ અફઘાનિસ્તાનીઓને માફી આપવાનું વચન આપ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">