AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varicose Veins સમસ્યાથી મળશે મુક્તિ, અજમાવો આ ઉપાય

Varicose Veins Ayurvedic Treatment: લાંબા સમય સુધી ઊભા રહેવા અને ખરાબ જીવનશૈલીના કારણે લોકો વેરિકોઝ વેઇન્સની સમસ્યા થવા લાગે છે. તમે આયુર્વેદ અને યોગ દ્વારા આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો. જાણો કેવી રીતે?

Varicose Veins સમસ્યાથી મળશે મુક્તિ, અજમાવો આ ઉપાય
Varicose Veins
| Updated on: Aug 06, 2024 | 5:34 PM
Share

ઘણી વખત લોકો લાંબા સમય સુધી ઉભા રહેવાથી અથવા બેસી રહેવાથી અને ખોટી મુદ્રામાં ઉભા રહેવાને કારણે વેરિસોઝ વેઇન્સનો ભોગ બને છે. આવી સ્થિતિમાં, પગમાં દુખાવો, બળતરા, ખેંચાણ અને સોજો થાય છે. આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો, ત્યારે તેઓ તમને સર્જરી કરાવવાની સલાહ આપે છે. પરંતુ આ સમસ્યા સર્જરી પછી પણ ફરી થઈ શકે છે. તેથી, તમારી જીવનશૈલી અને કેટલીક આદતોમાં ફેરફાર કરીને Varicose veins ની સમસ્યાથી છુટકારો મેળવવો જરૂરી છે. યોગ, આયુર્વેદ અને પ્રાણાયામથી તમે શરીરમાં કોઈપણ પ્રકારના ઓપરેશન વિના તેનો ઈલાજ કરી શકો છો, જાણો વેરિસોઝ વેઈનથી છુટકારો મેળવવાનો ઉપાય શું છે?

Varicose veins શું છે

નસોનું કામ હૃદય સુધી લોહી પહોંચાડવાનું છે. વાલ્વ રક્ત પ્રવાહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે વાલ્વ નબળા પડી જાય છે અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે ત્યારે વાલ્વની નજીક લોહી જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં લોહી અટકી જવાથી નસોમાં સોજો આવવા લાગે છે. નસોના ગુચ્છા દોરડાની જેમ બનવાનું શરૂ કરે છે. તેનાથી પગમાં દુખાવો, ખેંચાણ અને સોજો પણ આવી શકે છે.

Varicose veins ના લક્ષણો

  • પગમાં સોજો
  • સ્નાયુ ખેંચાણ
  • વાદળી નસોની ગાંઠ
  • સ્પાઈડર વેન્સ
  • સ્કિન અલ્સર

વેરિકોઝ વેનનું કારણ

  • કલાકો બેસીને કામ કરો
  • કલાકો સુધી ઉભા રહેવું
  • સ્થૂળતા
  • કોઈ પણ શારીરિક પ્રવૃતીનો અભાવ
  • પારિવારિક હિસ્ટ્રી
  • હોર્મોનલ ફેરફારો
  • હાયપર ટેન્શન
  • હાઇ હિલ્સ
  • ગર્ભાવસ્થા
  • પેલ્વિક વિસ્તારમાં ચરબી

Varicose veins નો ઇલાજ

  • એપલ વિનેગરથી મસાજ કરો
  • ઓલિવ ઓઇલથી મસાજ
  • આઈસ મસાજ
  • ગિલોય અને અશ્વગંધા
  • ગુગ્ગડ, ગોખરુ અને પુનર્નવાનું સેવન કરો

વેરિકોઝ વેન માટે થેરાપી

  • કપિંગ થેરેપી
  • લીચ થેરેપી
  • માટીનો લેપ
  • રેડિયેશન થેરાપી

વેરિકોઝ વેઇન્સથી બચાવ

  • વજન નિયંત્રણ રાખવું
  • મીઠું ઓછું ખાવું
  • ખાંડ ઓછી ખાવી
  • ચુસ્ત કપડાં ન પહેરવા.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">