AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિએટિનાઇન એટલે શું ? કિડનીમાં તે વધી જાય તો શું થાય ?

જો તમારા કિડની રિપોર્ટમાં ક્રિએટિનાઇનનું પ્રમાણ વધે છે, તો તે કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે. જાણો ક્રિએટિનાઇન શું છે અને તેના લક્ષણો શું છે? સમયસર કિડનીને કેવી રીતે બચાવી શકાય.

ક્રિએટિનાઇન એટલે શું ? કિડનીમાં તે વધી જાય તો શું થાય ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2025 | 6:30 PM

આજકાલ કિડની સંબંધિત રોગ વધી રહ્યાં છે. ખાસ કરીને યુવાનોમાં કિડની અંગેના રોગનુ પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. કિડની આપણા શરીરને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. કિડની પેશાબ વાટે શરીરમાંથી ઝેરી પદાર્થોની સાથે ઘણુ પ્રવાહી પણ દૂર કરે છે. એક રીતે, તે ફિલ્ટરનું કામ કરે છે. આને કારણે, બ્લડ પ્રેશર અને pH સ્તર પણ નિયંત્રણમાં રહે છે અને હોર્મોન્સનું સ્તર પણ સંતુલિત રહે છે.

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ખરાબ કિડનીના મોટાભાગના કિસ્સાઓમાં, ક્રિએટિનાઇનની માત્રામાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ જો જીવનશૈલીમાં ફેરફાર, આહાર નિયંત્રણ અને ડૉક્ટરની સલાહ સાથે સમયસર સારવાર શરૂ કરવામાં આવે, તો આ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ કે આ ક્રિએટિનાઇન શું છે અને તે કિડનીને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.

ક્રિએટિનાઇન શું છે?

સર ગંગા રામ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના ડૉ. મનીષ તિવારી સમજાવે છે કે, ક્રિએટિનાઇન એક રાસાયણિક કચરો છે, જે સ્નાયુઓની સામાન્ય પ્રવૃત્તિ દરમિયાન શરીરમાં બને છે. તે લોહી દ્વારા કિડની સુધી પહોંચે છે અને ત્યાંથી તે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે આ ક્રિએટિનાઇન શરીરમાં એકઠું થવા લાગે છે અને તેનું સ્તર વધે છે અથવા તે મોટી માત્રામાં એકઠું થવા લાગે છે.

આજનું રાશિફળ તારીખ : 08-07-2025
પ્લેને ઉડાન ભર્યા બાદ હવામાં જ વિમાનનો Exit ગેટ ખુલી જાય તો શું થાય?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
BCCI આકાશદીપને એક ટેસ્ટ રમવાના કેટલા પૈસા આપે છે?
ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલની ઉંમર કેટલી છે? જાણો
શરીરમાં યુરિક એસિડ ઘટવાથી આ સમસ્યાઓ થાય છે

ક્રિએટિનાઇન વધે ત્યારે શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે?

  • થાક અને નબળાઇ શરીરમાં ઝેરી પદાર્થોના સંચયને કારણે, દર્દી હંમેશા થાક અનુભવે છે.
  • ખાસ કરીને પગ, પગની ઘૂંટી અને ચહેરા પર સોજો આવી શકે છે, કારણ કે શરીરમાં પાણી સ્થિર થવા લાગે છે.
  • પેશાબમાં ફેરફાર થાય છે. પેશાબ ઓછો થવો, ફીણવાળો પેશાબ થવો અથવા વારંવાર પેશાબ થવો.
  • ભૂખ ન લાગવી અને ઉલટી ઉબકા થવા જેવું લાગવું શરીરમાં ઝેરી તત્વોના સંચયને કારણે આ લક્ષણો જોવા મળે છે.
  • શ્વાસ લેવામાં તકલીફ જ્યારે ક્રિએટિનાઇનનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે, ત્યારે તે લોહીમાં યુરિયા પણ વધારે છે, જે શ્વાસ લેવામાં તકલીફનું કારણ બની શકે છે.

ક્રિએટિનાઇનના સ્તરમાં વધારો કેવી રીતે અટકાવી શકાય?

ડૉ. તિવારી કહે છે કે, ક્રિએટિનાઇનના સ્તરમાં વધારો અટકાવવા માટે, ઓછા પ્રોટીનવાળા ખોરાક ખાઓ (ડૉક્ટરની સલાહ મુજબ). મીઠું અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો. પુષ્કળ પાણી પીઓ પણ મર્યાદિત માત્રામાં. નિયમિતપણે લોહી અને પેશાબની તપાસ કરાવો. ઉપરાંત, લાંબા સમય સુધી પેઇનકિલર્સનું સેવન ન કરો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો, કારણ કે તે કિડનીને અસર કરે છે.

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">