AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ઈંફ્કેશન કરતા પણ વેક્સીન કેવી રીતે વધારે બનાવે છે એન્ટીબોડીઝ ?

કોવિડ સામે લડવા અને તેને ફેલાતો અટકાવવાની દિશામાં દરરોજ નવા સંશોધનો બહાર આવી રહ્યા છે. તાજેતરના નવા અભ્યાસમાં, એવું બહાર આવ્યું છે કે જે લોકોને ચેપ લાગ્યો હતો અથવા જેમને રસી આપવામાં આવી છે તેઓની રોગપ્રતિકારક શક્તિ વધુ અસરકારક છે.

જાણો ઈંફ્કેશન કરતા પણ વેક્સીન કેવી રીતે વધારે બનાવે છે એન્ટીબોડીઝ ?
Corona Vaccine - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:15 AM
Share

કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટની ત્રીજી લહેર (Third Wave ) કદાચ હવે ધીમી પડી રહી છે, પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે આ રોગચાળો (Pandemic ) ખતમ થવા જઈ રહ્યો છે, તો તમે બિલકુલ ખોટા છો. ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઓમિક્રોનના કારણે કોવિડના(Corona )  કેસ ખૂબ જ ઝડપથી વધ્યા હતા. Omicron એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં તબાહી મચાવી છે અને તેના પરિણામ સ્વરૂપે જ લોકોને છેલ્લી અને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી હતી.

રોગપ્રતિકારક શક્તિ તેની જાતે જ બનવાનું શરૂ કરે છે નિષ્ણાતો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે કોવિડનો શિકાર થયા પછી, માનવ શરીર આપોઆપ કુદરતી રોગપ્રતિકારક શક્તિ બનાવવાનું શરૂ કરે છે કારણ કે આપણા શરીરમાં એન્ટિબોડીઝ બનવાનું શરૂ થાય છે. આ જ કારણ છે કે ચેપના દરને રોકવા માટે વિશ્વભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

નવા સંશોધનથી નવું કિરણ આવ્યું કોવિડ સામે લડવા અને તેને ફેલાતો અટકાવવાની દિશામાં દરરોજ નવા સંશોધનો બહાર આવી રહ્યા છે. તાજેતરના નવા અભ્યાસમાં, એવું બહાર આવ્યું છે કે જે લોકોને ચેપ લાગ્યો હતો અથવા જેમને રસી આપવામાં આવી છે તેઓની રોગપ્રતિકારક શક્તિ વધુ અસરકારક છે.

જે વધુ એન્ટિબોડીઝ બનાવવામાં સક્ષમ છે અમેરિકાની સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં કરવામાં આવેલા સંશોધનમાં લગભગ 399 લોકો સામેલ હતા. હોસ્પિટલના એસોસિયેટ ફેકલ્ટી મેમ્બર ડો. જોશ વોલ્ફ કહે છે કે બેમાંથી કયું સારું છે તે કહેવું ઘણું મુશ્કેલ છે. હા, આ કહેવું ઘણું મુશ્કેલ છે. રસી અથવા ચેપ કરતાં વધુ એન્ટિબોડીઝ શું બનાવે છે તે શોધવું પણ ખૂબ મુશ્કેલ છે. જોકે, અભ્યાસમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું હતું અભ્યાસમાં એન્ટિજેન એક્સપોઝરની ત્રણ શ્રેણીઓ ટાંકવામાં આવી હતી. આમાં 120 લોકોને માત્ર કોવિડ ચેપ હતો, જ્યારે 237 લોકોને mRNA રસી આપવામાં આવી હતી. બાકીના 42 લોકોને પણ રસી આપવામાં આવી હતી અને તેમને પણ ચેપ લાગ્યો હતો. આ અભ્યાસ દરમિયાન આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા નામના 4 મુખ્ય પ્રકારો સામે રક્ષણ માટે એન્ટિબોડીઝના સ્તરની તપાસ કરવામાં આવી હતી. આ તમામ તપાસ આ ત્રણ કેટેગરીના લોકો પર કરવામાં આવી હતી.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી સામાન્ય ચેપ કરતાં વધુ એન્ટિબોડીઝ બનાવવાનું કામ કરે છે.

આ પણ વાંચો :

મહિલા આરોગ્ય: સ્વાસ્થ્ય માટે આ ભૂલો મહિલાઓ વારંવાર કરે છે અને પસ્તાય છે

Health Tips : આ છે હૃદયના સ્નાયુઓની નબળાઇના લક્ષણો, જાણો તેને કેવી રીતે બનાવશો મજબૂત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">