Health : આ આદતથી તમારુ માનસિક સ્વાસ્થ્ય આવી શકે છે ખતરામાં, રાખો આ કાળજી

|

Feb 24, 2022 | 7:34 PM

હાલમાં જોવા મળતું વર્ક ફ્રોમ હોમ પણ આ તણાવ માટે જવાબદાર છે. પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે જયારે બેલેન્સ ન જણાય ત્યારે બર્નઆઉટ થાય છે.

Health : આ આદતથી તમારુ માનસિક સ્વાસ્થ્ય આવી શકે છે ખતરામાં, રાખો આ કાળજી
Mental Health Tips (File Photo)

Follow us on

વ્યવસાયિક જગતમાં બર્નઆઉટ આજકાલ સૌથી સામાન્ય સમસ્યા તરીકે ઉભરી આવી છે. જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તેની ઝીણવટભરી અસરને સમજતા થયા છે. તાજેતરના સમયમાં વિવિધ સંઘર્ષોમાં બર્નઆઉટને અને તણાવને સ્થાન મળ્યું છે. જેનો સંબંઘ Gen-Z એટલે કે 1997-2012 વચ્ચે જન્મેલી પેઢી સાથે છે. અહીં કેટલીક એવી ટેવો દર્શાવી છે કે જે આગળ જતા બર્નઆઉટ અને તણાવ તરફ દોરી શકે છે. તમારા જીવનના અલગ- અલગ મુકામે મળતા લોકો તમારા માનસિક (mental health) અને શારીરિક એમ બંન્ને તબક્કે અસર પહોંચાડી શકે છે.

  1. તણાવ અને બર્નઆઉટ એ વર્કપ્લેસ પર જોવા મળતી આજની સૌથી ગંભીર સમસ્યાઓમાંની એક ગણાય છે. જેમાંથી આગળ જતા એન્ગઝાઈટી અને ડિપ્રેશન પણ થઇ શકે છે.
  2.  હાલમાં જોવા મળતું વર્ક ફ્રોમ હોમ પણ આ તણાવ માટે જવાબદાર છે. પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે જયારે બેલેન્સ ન જણાય ત્યારે બર્નઆઉટ થાય છે.
  3.  સમયના અભાવના લીઘે પણ લોકોમાં તણાવ વઘી રહયો છે. બ્રેક ટાઇમ મેનેજ ન થવાથી કામનું ભારણ વઘવાથી સ્ટ્રેસ સતત વઘતો જાય છે.
  4. ઓછી ઉંઘના લીઘે પણ તણાવ વઘે છે. દરરોજ 6 થી 8 કલાકની ઉંઘ ફરજીયાત છે. ઓછી ઉંઘના કારણે તમારા મગજની કાર્યશકિત ઘટી જાય છે, અને યાદશકિતમાં પણ ઘટાડો થાય છે.
  5. શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
    સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
    રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
    માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
    ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
    Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
  6.  તમે જો કોઇ કામ પરાણે કરો છો તો બેશક તણાવ વઘવાનો જ છે. મોટાભાગના લોકો તેમને ન ગમતું કામ પરાણે કરે છે, અને બીજાની દેખાદેખી કરે છે. ત્યારે પણ બર્નઆઉટ અને તણાવ થઇ શકે છે.

કામ કરવા માટે અપરાધભાવથી પ્રેરિત બનવું પણ તણાવ ઉત્પન કરે છે. દરેક માટે પ્રેરિત અને મહેનતુ બનવું એ હંમેશા આદર્શ પરિસ્થિતિ માનવામાં આવે છે. જો કે, આને જો અપરાધ કે તમારા ભૂતકાળ સાથે કંઈ લેવાદેવા હોય, તો તે બર્નઆઉટ અને તણાવ તરફ દોરી શકે છે.

 

આ પણ વાંચો : ડ્રાયનેસથી લઈને પિમ્પલ્સ સુધીની દરેક સમસ્યાનો ઈલાજ છે ચણાનો લોટ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Next Article