‘પીળું એટલું સોનું’, સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે પીળા રંગના આ ફળ અને શાકભાજી

પીળા ખોરાકમાં કેરોટિનોઈડ્સ અને બાયોફ્લેવોનોઈડ્સ હોય છે. જે એન્ટીઓકિસડન્ટોનું કામ કરે છે અને અનેક રોગોથી રક્ષણ કરે છે. એન્ટીઓકિસડન્ટ્સ એસીડીટી ઘટાડે છે.

'પીળું એટલું સોનું', સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે પીળા રંગના આ ફળ અને શાકભાજી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 15, 2021 | 5:16 PM

પીળા ફળો સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક

પીળા ખોરાકમાં કેરોટિનોઈડ્સ અને બાયોફ્લેવોનોઈડ્સ હોય છે. જે એન્ટીઓકિસડન્ટોનું કામ કરે છે અને અનેક રોગોથી રક્ષણ કરે છે. એન્ટીઓકિસડન્ટ્સ એસીડીટી ઘટાડે છે. જે ઘણા રોગો સાથે સંકળાયેલ છે, તેમજ ફ્રી-રેડિકલથી થતાં નુકસાન સામે રક્ષણ આપે છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

પીળા ફળ ખાવાના ફાયદા

1. કેન્સરનું જોખમ ઘટે છે

પીળા ફળોમાં કેરોટિનોઈડ્સ અને બાયોફ્લેવોનોઇડ્સ હોવાના કારણે, પીળા ફળોનો ઉપયોગ એન્ટીઓક્સિડન્ટના રૂપમાં કરવામાં આવે છે. આના કારણે કેન્સર તેમજ અન્ય ગંભીર બીમારીને તે તમારાથી દુર રાખે છે. જેમાં Yellow bell peppers વિશેષ રૂપે સારી માનવામાં આવે છે.

2. પેટ માટે ફાયદાકારક

કેળા જેવા પીળા ફળોમાં પોટેશિયમ હોય છે. જે એક સ્વસ્થ આહારના પ્રમુખ તત્વોમાં એક છે. વિશેષરૂપે ડેંડિલિઅન (વિલાયતી ફૂલ)નો ઉપયોગ પેટ સ્વસ્થ રાખવા અને પેટ ફૂલવા તેમજ લીવરના સ્વાસ્થ્ય માટે થાય છે. ડેંડિલિઅનને એક ઔષધી માનવામાં આવે છે.

3. હાડકા અને હૃદયને બનાવે સ્વસ્થ

લીંબુ અને કેરી જેવા ફળ વિટામીન સીથી ભરપુર હોય છે. આ એક માત્ર વિટામિન છે, જે શરીરમાં કુદરતી રીતે પેદા કરતું નથી. તેથી તેને બાહ્ય સ્રોતની જરૂર છે. આ ખોરાકનું નિયમિત સેવન કરવાથી હાડકા અને સાંધાના સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેઓ બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલના સ્તરને પણ સંતુલિત કરે છે. જે હાર્ટ પ્રોબ્લેમ્સનું જોખમ ઘટાડે છે.

4. પીળા ફળના અન્ય લાભ

પીળો ખોરાક તમારા માનસિક સુખાકારીના સ્તરમાં સુધારો કરી શકે છે. સાથે તે ત્વરિત મૂડ બૂસ્ટર હોય છે. આનાથી ત્વચાના આરોગ્ય, વાળના આરોગ્ય, હાડકાના આરોગ્ય અને દાંતના આરોગ્યમાં પણ સકારાત્મક પરિણામ મળે છે.

આહારમાં લો આ પીળા ફળ

1. કેળા: ખાવામાં સરળ અને અત્યંત ફાયદાકારક. વજન ઘટાડવામાં મદદરૂપ, ઉપરાંત તે ઘણા આરોગ્યમાં લાભદાયી.

2. અનાનસ: તે પાચનમાં ખૂબ જ સારું છે અને બળતરા ઘટાડે છે.

3. યલો બેલ પેપર: તે ફાઈબર, ફોલેટ, આયર્ન અને એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે.

4. લીંબુ: લીંબુમાં હાઈડ્રેટિંગ અને આલ્કલાઈન ગુણધર્મો હોય છે. જે કિડનીના પત્થરોની સમસ્યાને દૂર કરે છે અને પાચન શક્તિ વધારે છે.

5. કેરી: કેરીનો ખોરાક કોને ન ગમે? આંખના આરોગ્યમાં સુધારો થાય છે, મોતિયા અને મૈક્યુલર અધોગતિને અટકાવે છે. કેરીમાં ઝેક્સૈન્થિનનું પ્રમાણ ઊંચું હોય છે. આ એક આરોગ્યપ્રદ ફળ છે.

6. ડેંડિલિઅન: આ ઔષધિ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને લીવર માટે શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો: TEA સાથે Cigarette પીવાની આદત હોય તો ચેતી જજો, થઇ શકે છે આ જીવલેણ બીમારી

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">