ઝેરી હવાનું પ્રદૂષણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સાથે શહેરમાં વાયુ પ્રદૂષણને વધી જતા ત્વચાની સમસ્યાઓ પણ વધી જાય છે. પ્રદૂષિત હવા ત્વચાને શ્વાસ લેવામાં મુશ્કેલી બનાવે છે, જેના કારણે ત્વચા શુષ્ક પડી જાય છે અને ખંજવાળ આવે છે. ત્વચામાં લાલાશની સાથે-સાથે રોસેશિયા અને એક્ઝીમા એલર્જીની સમસ્યા પણ વધે છે. આ સિવાય આંખોની નીચે ડાર્ક સર્કલ, ત્વચાના રંગમાં ફેરફાર અને ત્વચાના કેન્સરના કેસ વધવા લાગે છે.
આજના સમયમાં, ચામડીના રોગોથી પીડિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વાયુ પ્રદૂષણ ત્વચાના રોગનું કારણ બની શકે છે,પ્રદૂષણની ત્વચા પર શું અસર થાય છે અને તેના કારણે કેવી સમસ્યા કે ત્વચાની એલર્જી થઈ શકે તેમજ હવાના પ્રદૂષણથી બચવા શું કરવું?
વાયુ પ્રદૂષણની ત્વચા પર ભારે અસર પડે છે. વાયુ પ્રદૂષણમાં નાના ખતરનાક કણો હોય છે, જે શ્વાસમાં લેવાથી શરીરની ત્વચામાં પ્રવેશ કરે છે અને વાળના મૂળમાં પણ પ્રવેશ કરે છે, જે ધીમે ધીમે આપણને ગંભીર રીતે બીમાર કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ચામડીનું કેન્સર લાંબા સમય પછી પણ થઈ શકે છે. જો તમે સિગારેટ પીતા હોવ અથવા તમારી આસપાસની કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરતી હોય તો તેના પ્રદૂષણની અસર પણ તમારી ત્વચા પર પણ પડે છે.
જો તમે ખૂબ જ ધૂળવાળી જગ્યાની નજીક રહો છો અથવા તમે એવી જગ્યાએથી દરરોજ મુસાફરી કરો છો જ્યાં પ્રદૂષણનું પ્રમાણ રહેતુ હોય છે, તો તમને ત્વચાની બિમારી થઈ શકે છે, જેના કારણે તમને ત્વચાના કેટલાક પ્રકારના રોગો પણ થઈ શકે છે. જેમ કે ખીલ, એલર્જી, ખરજવું, શિળસ , કેલોઇડ, લિકેન પ્લાનસ અને સૉરાયિસસ અને ત્વચાનુ કેન્સર પણ થઈ શકે છે.
જો આપણે સૌથી મહત્વના લક્ષણ વિશે વાત કરીએ તો તે છે ત્વચા શુષ્ક થઈ જવી અને નાની ઉંમરમાં વાળ નિર્જીવ થઈ જવું. જો તમારી ત્વચા પર કોઈપણ કારણ વગર પટ્ટાઓ બની રહ્યા છે અને ત્વચા એકદમ નિર્જીવ બની જાય છે જેમ કે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે, તો આ લક્ષણો ત્વચા સંબંધિત કોઈ રોગના હોઈ શકે છે.
વધુ પડતા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળો, અને ઉચ્ચ ધૂળના પ્રદૂષણવાળા સ્થળોએ માસ્ક પણ પહેરો. નિસ્તેજ ત્વચા માટે સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો. શક્ય તેટલું વધુ પાણી પીઓ અને સારો આહાર જાળવો જેથી તમે તમારા શરીરને સંપૂર્ણ પોષણ મેળવી શકો.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Published On - 3:10 pm, Fri, 3 November 23