AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણી લો: દર 5 માંથી એક વ્યક્તિને હોય છે લીવરની બીમારી, અને તેને ખબર પણ નથી હોતી, વાંચો વિગતવાર માહિતી

ભારતમાં દર વર્ષે સરેરાશ 10 લાખ લોકો લીવર રોગથી પીડાય છે. દર પાંચમાંથી એક વ્યક્તિને લીવરનો રોગ છે. પરંતુ આ હોવા છતાં, લીવર રોગો વિશે લોકો વધારે જાગૃતિ નથી.

જાણી લો: દર 5 માંથી એક વ્યક્તિને હોય છે લીવરની બીમારી, અને તેને ખબર પણ નથી હોતી, વાંચો વિગતવાર માહિતી
The all information about liver disease
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:42 AM
Share

લીવરનો રોગ (Liver disease) એ નવી યુગની જીવનશૈલીમાં (Lifestyle) સામાન્ય વસ્તુ બની ગઈ છે. અગાઉ, હેપેટાઇટિસ બી અને સી સામાન્ય રીતે જાણીતા લીવરના રોગો હતા. હવે જાડાપણું અને આલ્કોહોલનું વધુ પડતું સેવન પણ આ રોગના કેસોમાં ઝડપથી વધારો કરી રહ્યા છે. આ કારણોસર, ભારતમાં દર વર્ષે સરેરાશ 10 લાખ લોકો લીવર સિરોસિસથી પીડાય છે. જો કે આવી ખરાબ પરિસ્થિતિ પછી પણ તેના વિશે કોઈ જાગૃતિ નથી. એક આંકડા મુજબ, દર 5 ભારતીય લોકોમાંથી એકને લીવરનો રોગ છે.

આવી સ્થિતિમાં, આ રોગથી બચવા માટે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. લીવર સમસ્યાઓનું કારણ શું છે, તેના લક્ષણો શું છે અને તે કેવી રીતે ટાળી શકાય છે તેના વિશે આપણે જાણવું જોઈએ. આ માટે જ ટીવી 9 હિન્દીએ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં કંચન મોટવાણી, એચપીબી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત સાથે વાત કરી હતી. જાણો તેમને શું કહ્યું.

લીવરને કેમ નુકસાન થાય છે?

આ માટે, સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે આપણા શરીરમાં લીવર શું કામ(Liver working) કરે છે. લીવર જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ તેને પચાવવામાં મદદ કરે છે. તેના પૌષ્ટિક તત્વો ખોરાકને પચાવ્યા પછી જ આપણા શરીરમાં પહોંચે છે. ખોરાકના પાચનની પ્રક્રિયામાં કેટલાક ટોક્સિન્સ (Toxins) પણ હાજર હોય છે. જ્યારે આ ઝેર આપણા લીવર પર અસર કરવાનું શરૂ કરે છે, ત્યારે લીવર ખરાબ થવા લાગે છે.

લીવરના રોગોનું કારણ શું છે?

લીવરને નુકસાન થવાનાં મુખ્યત્વે ત્રણ કારણો છે. પ્રથમ કારણ દારૂ છે. આલ્કોહોલ (Alcohol) આપણા લીવરને સીધું નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલના કારણે લીવરમાં ચરબી પણ એકઠી થવા લાગે છે. આપણા લીવરને પણ આની અસર થાય છે. બીજું કારણ આપણા શરીરમાં એકઠી થતી ચરબી પણ છે.

લીવરમાં ચરબી જમા થવાથી પણ તેની પર અસર પડે છે. વાયરલ ઇન્ફેકશન પણ લીવરના રોગોનું ત્રીજું કારણ છે. હેપેટાઇટિસ બી અને સીની જેમ આ પણ લીવરના કોષોને સીધી અસર કરે છે.

ફેટી લીવર શું છે અને તે કેટલું જોખમી છે?

આજની જીવનશૈલીમાં ફેટી લીવરનું (Fatty liver) જોખમ વધે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ઘરેથી કામ કરવા અને ફાસ્ટ ફૂડ ખાવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આ જ કારણ છે કે ભારતીય વસ્તીમાં પણ તે ખૂબ સામાન્ય બની ગયું છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં કાર્બોહાઈડ્રેટ જેવા ઘણા પ્રકારનાં પદાર્થો હોય છે. તે ફક્ત મીઠાઈમાં જ નહીં પરંતુ લગભગ દરેક પ્રકારના ખોરાકમાં પણ જોવા મળે છે.

તે પાચન દરમિયાન ફેટમાં ફેરવાઈ જાય છે અને આપણા લીવરમાં એકઠું થવા લાગે છે. જ્યારે તેની માત્રા વધવા લાગે છે, તે આપણા લીવરને અંદરથી નુકસાન કરવાનું શરૂ કરે છે. આને ફેટી લીવર કહેવામાં આવે છે. દુર્ભાગ્યે, શરૂઆતમાં તેના કોઈ લક્ષણો નથી. તેથી જ તે તેના વિશે જાણી શકાતું નથી.

ફેટી લીવરનું બીજું કારણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગો છે. મેદસ્વીપણાને લીધે લીવર પર પણ અસર થાય છે. મેદસ્વીપણા અથવા ડાયાબિટીસ જેવા રોગોમાં, શરીરનું જે પણ વધારાનું સુગર અથવા ચરબી હોય તે બધું આપણામાં લીવરમાં જમા થઈ જાય છે અને તેને બગાડે છે. પરંતુ, તેનો અર્થ એ નથી કે દૂબળા લોકોમાં ફેટી લીવરની ફરિયાદ નથી. મોટા પ્રમાણમાં તે જીવનશૈલી પર પણ આધાર રાખે છે.

લીવર ફાઇબ્રોસિસ શું છે?

જ્યારે લીવરમાં ચરબી એકઠી થાય છે, ત્યારે તે લીવરને પણ નુકસાન પહોંચાડે છે. તેને સ્કારિંગ પણ કહેવામાં આવે છે. જ્યારે લીવર સામાન્ય કરતા વધુ સખત બને છે, ત્યારે તેને લીવર ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે. આ ફેટી લીવરનો આગળનો તબક્કો છે.

લીવર સિરોસિસ એટલે શું?

ફાઈબ્રોસિસનો આગલો તબક્કો લીવર સિરોસિસ છે. જ્યારે લીવર અંદરથી ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને તેની મરામત કરી શકાતી નથી, ત્યારે તેને લીવર સિરોસિસ કહેવામાં આવે છે. આ જીવલેણ હોઈ શકે છે.

લીવરના રોગોનું નિદાન કેવી રીતે કરવું?

લીવર રોગો વિશેની સૌથી ખરાબ બાબતો એ છે કે તેના વિશે કેવી રીતે જાણ કવી. તેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. કોઈનું વજન ઓછું થવું, ખોરાકનો અપચો, કોઈને પેટમાં દુખાવા જેવી ફરિયાદો હોઈ શકે છે. આ સામાન્ય સમસ્યાઓ હોવાથી કોઈનું ધ્યાન લીવર તરફ જતું નથી. નિયમિત પરીક્ષણો કરવામાં આવે ત્યારે જ ફેટી લીવર શોધી શકાય છે.

આ પણ વાંચો: Health Tips : હીમોગ્લોબિનને જાળવી રાખવા ડાયટમાં સામેલ કરો આ ફુડ, રહેશો હેલ્ધી અને ફીટ

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">