AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી માનસિક બીમારી થવાનું જોખમ, અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોનો અહેવાલ

તાજેતરનો અભ્યાસ કહે છે કે કોવિડ સર્વાઈવર્સની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ સારી નથી. કોવિડમાં બચી ગયેલા લોકોમાં માનસિક સ્વાસ્થ્યની તકલીફો દેખાઈ રહી છે. તે લોકો ચિંતા, હતાશાથી પીડાય છે.

કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી માનસિક બીમારી થવાનું જોખમ, અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોનો અહેવાલ
Risk of mental illness for up to one year after recovery from corona
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 2:32 PM
Share

જે લોકો કોરોના (Corona) રોગચાળા દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. તેમનામાં માનસિક બીમારી (Mental illness)નું જોખમ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. જે લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે, તેમના માટે બધું હજી સરખુ થયુ નથી. અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટી (Washington University)ના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે. આ અહેવાલ બીએમજે મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.

બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)માં પ્રસિદ્ધ થયેલા વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયામાં કોરોના પછી સાજા થયેલા દોઢ કરોડ કરતાં વધુ લોકોને માનસિક બીમારીનો સામનો કરવો પડયો હતો અને એકલા અમેરિકામાં જ 28 લાખ લોકો માનસિક બીમારીનો ભોગ બન્યા હતા.

તાજેતરનો અભ્યાસ કહે છે કે કોવિડ સર્વાઈવર્સની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ સારી નથી. કોવિડમાં બચી ગયેલા લોકોમાં માનસિક સ્વાસ્થ્યની તકલીફો દેખાઈ રહી છે. તે લોકો ચિંતા, હતાશાથી પીડાય છે. તેમનામાં જ્ઞાનાત્મક ઘટાડો પ્રમાણમાં ઝડપથી થઈ રહ્યો છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર જોખમોનો સામનો કરી રહ્યું છે.

અહેવાલ પ્રમાણે કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી વિવિધ માનસિક બીમારીનો ખતરો રહે છે. ખાસ તો સ્લીપિંગ ડિસઓર્ડર્સ, એંગ્ઝાઈટી, ડિપ્રેશન વગેરેનો શિકાર બનવાની શક્યતા છે. લોકો કોરોના પછી આવી માનસિક બીમારી બાબતે ખાસ ધ્યાન આપતા નથી અને તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે.

વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ એવી ભલામણ કરી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ વધારે થયું હોય તેમણે માનસિક બીમારીથી સાવધાન રહેવું જોઈએ. કોરોના સર્વાઈવર્સે એક વર્ષ સુધી દિમાગમાં કંઈ ફેરફાર જણાય તો તેને ગંભીરતાથી લઈને ઈલાજ કરાવવો હિતાવહ છે.

આ પણ વાંચો- Corona: કોરોના મહામારી સમાપ્ત થઇ નથી, હવે નવા પ્રકારો આવવાનો ભય -નિષ્ણાત

આ પણ વાંચો- Side Effects of Papaya: પાંચ પ્રકારના લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">