Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: દહીંમાં મીઠું ઉમેરી ક્યારેય ખાવું ન જોઈએ, રાજીવ દીક્ષિતે જણાવ્યું શું ઉમેરી ખાવું જોઈએ ?, જુઓ Video

આજે અમે તમને રાજીવ દીક્ષિત દ્વારા જણાવવામાં આવેલી બીજી ઘરેલું રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. ઘણીવાર તમે જોયું હશે કે ઘણા લોકો દહીંમાં મીઠું ભેળવીને ખાતા હોય છે. દહીંમાં ક્યારેય મીઠું ઉમેરીને ખાવુ જોઈએ નહિ.

Rajiv Dixit Health Tips: દહીંમાં મીઠું ઉમેરી ક્યારેય ખાવું ન જોઈએ, રાજીવ દીક્ષિતે જણાવ્યું શું ઉમેરી ખાવું જોઈએ ?, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 7:00 AM

Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે તેમને જણાવેલા ઉપાયો આજે પણ લોકોને ઘરેલું સારવાર  પુરી પાડે છે. ઘણીવાર તમે જોયું હશે કે ઘણા લોકો દહીંમાં મીઠું ભેળવીને ખાતા હોય છે. દહીંમાં ક્યારેય મીઠું ઉમેરીને ખાવુ જોઈએ નહિ. જો દહીં ખાવું હોય તો દહીં હંમેશા મીઠી વસ્તુઓ સાથે ખાવું જોઈએ જેમ કે ખાંડ સાથે, ગોળ વગેરે સાથે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips : શું તમે પણ એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલું જમો છો તો ચેતી જજો, રાજીવ દીક્ષિતે જણાવ્યું એલ્યુંમિનિયમમાં રહેલા ઝેર વિશે, જુઓ Video

આ ક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે, તમારે લેન્સ ખરીદવાનો. હવે જો તમે દહીંમાં આ લેન્સથી જોશો તો તમને હજારો નાના બેક્ટેરિયા દેખાશે. તમે આ બેક્ટેરિયાને જીવંત અવસ્થામાં અહીં અને ત્યાં ફરતા જોશો. આ બેક્ટેરિયા જીવંત સ્થિતિમાં આપણા શરીરમાં પ્રવેશવા જોઈએ, કારણ કે જ્યારે આપણે દહીં ખાઈએ છીએ, ત્યારે આપણી અંદર એન્ઝાઇમની પ્રક્રિયા સારી રીતે થાય છે.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

એક ચપટી મીઠું નાખો, તો બધા બેક્ટેરિયા એક મિનિટમાં મરી જશે

આપણે દહીં માત્ર બેક્ટેરિયા માટે ખાઈએ છીએ. આયુર્વેદની ભાષામાં દહીંને બેક્ટેરિયાનું ઘર માનવામાં આવે છે. જો તમે દહીંના કપમાં બેક્ટેરિયા ગણો તો કરોડો બેક્ટેરિયા જોવા મળશે. જો તમે દહીંમાં કોઈ મીઠી વસ્તું નાખશો તો આ બેક્ટેરિયા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. એ જ રીતે, જો તમે દહીંમાં એક ચપટી મીઠું નાખો, તો બધા બેક્ટેરિયા એક મિનિટમાં મરી જશે અને ફક્ત તેમની ડેડ બોડી જ આપણી અંદર જશે, જેનો કોઈ ફાયદો થશે નહીં. જો તમે 100 કિલો દહીંમાં એક ચપટી મીંઠુ નાંખો તો દહીંના તમામ બેક્ટેરિયાના ગુણો નાશ પામે છે. કારણ કે મીંઠામાં રહેલા રસાયણો બેક્ટેરિયાના દુશ્મન છે.

ભગવાન કૃષ્ણ ખાંડ સાથે દહીં ખાતા હતા

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંમાં એવી વસ્તુઓ ભેળવી જોઈએ, જેનાથી બેક્ટેરિયા વધે અને તે મરી ન જાય. ગોળ સાથે દહીં ખાઓ. ગોળ ઉમેરવાની સાથે જ બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે અને તે એક કરોડથી બે કરોડ થઈ જાય છે. ગોળ મિક્સ કરીને થોડી વાર પડ્યું રહેવા દો. દહીંમાં બેક્ટેરિયાનો વિકાસ અનેક ગણો વધી જાય છે. જો સુગર દહીંમાં નાખવામાં આવે તો તે સારી રીતે કામ કરશે. ભગવાન કૃષ્ણ ખાંડ સાથે દહીં ખાતા હતા. જૂના જમાનાના લોકો દહીંમાં ગોળ નાખતા હતા. તેમાંથી કોઈ મીઠું વાપરતા નહોતા.

આવો જ બીજો નિયમ છે કે દૂધ ખાતી વખતે કે પીતી વખતે કોઈપણ મીઠાની વસ્તુ ન લેવી. દૂધ અને મીઠું વચ્ચે કોઈ મિત્રતા નથી. જો તમે દૂધની બનેલી વસ્તુ ખાતા હોવ તો તે મીઠાની બનેલી ન હોવી જોઈએ અને જો તમે મીઠાની બનેલી વસ્તુ ખાતા હોવ તો તે દૂધની ન હોવી જોઈએ.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

g clip-path="url(#clip0_868_265)">