Rajiv Dixit Health Tips : આ દેશી જુગાડ સામે એક પણ મચ્છર ટકી શકશે નહીં ! રાજીવ દીક્ષિતે જણાવ્યા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય, જુઓ Video

આ મચ્છર નાશક ક્યારેક માણસોને પણ મારી નાખે છે. આમાંથી નીકળતી સુગંધમાં ધીમું ઝેર હોય છે, જે ધીમે ધીમે શરીરમાં જાય છે. તમારી સાથે ઘણી વખત એવુ બને છે કે આ સુગંધથી તમારા ગળામાં થોડી થોડી બળતરા પણ થાય છે.

Rajiv Dixit Health Tips : આ દેશી જુગાડ સામે એક પણ મચ્છર ટકી શકશે નહીં ! રાજીવ દીક્ષિતે જણાવ્યા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 7:00 AM

Ahmedabad: મચ્છરોને ભગાડવા માટે તમે ઘણીવાર ઘરે અલગ-અલગ દવાઓનો ઉપયોગ કરો છો! કેટલાક પ્રવાહી સ્વરૂપમાં છે! અને કેટલાક કોઇલના રૂપમાં અને કેટલાક નાના ટીકિયાના રૂપમાં અને બીજા જે માર્કેટમાં મળનારા હિટ જેવા જુદા જુદા નામોથી વેચાય છે ! આ બધામાં વપરાયેલું કેમિકલ ! તે ડી’એથલીન છે, મેલ્ફો રાણી છે અને ફોસ્ટિન છે, આ ત્રણ ખતરનાક રસાયણો છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, રાજીવ દીક્ષિતે જણાવેલા ઉપાયો આજે પણ વિવિધ રોગો સામે ફાયદો કરે છે અને તેમને જણાવેલા મોટા ભાગના ઉપાયો રસોડામાં વપરાતી વસ્તુઓના છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips : શું તમે પણ એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલું જમો છો તો ચેતી જજો, રાજીવ દીક્ષિતે જણાવ્યું એલ્યુંમિનિયમમાં રહેલા ઝેર વિશે, જુઓ Video

છેલ્લા 20 વર્ષથી યુરોપના અન્ય 56 દેશોમાં આ પ્રતિબંધિત છે અને તેને ઘરે નાના બાળકોની આજુ બાજુ મૂકીએ છીએ અને તેને છોડી દઈએ છીએ, 2-3 મહિનાનું બાળક સૂઈ રહ્યું છે અને તે જ સમયે આ ઝેર બળી રહ્યું છે. ટીવી જાહેરાતોએ સામાન્ય માણસનું મન સંપૂર્ણપણે બગાડી દીધું છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

સુગંધથી તમારા ગળામાં થોડી થોડી બળતરા પણ થાય

વૈજ્ઞાનિકો કહે છે કે આ મચ્છર નાશક ક્યારેક માણસોને પણ મારી નાખે છે. આમાંથી નીકળતી સુગંધમાં ધીમું ઝેર હોય છે, જે ધીમે ધીમે શરીરમાં જાય છે. તમારી સાથે ઘણી વખત એવુ બને છે કે આ સુગંધથી તમારા ગળામાં થોડી થોડી બળતરા પણ થાય છે.

ડી એથલીન, મેલ્ફો ક્વીન અને ફોસ્ટીન આ ત્રણ ખતરનાક રસાયણો છે. આના પર વિદેશી કંપનીઓનો કંટ્રોલ છે. જેઓ ભારતમાં આયાત અને વેચાણ કરે છે અને તેમની સાથે આ ધંધામાં કેટલીક સ્વદેશી કંપનીઓ પણ સામેલ છે અને આ કંપનીઓ દ્વારા બનાવેલી કોઇલમાંથી જે ધુમાડો નીકળે છે તે પણ ખૂબ જ ખતરનાક છે. થોડાં વર્ષ પહેલાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એક કોઇલ 100 સિગારેટ જેટલો ધુમાડો બહાર કાઢે છે. મચ્છર ભગાડનાર તમને અને તમારા પરિવારને કેટલું મોંઘુ પડી શકે છે.

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે ગાયના છાણામાં થોડુ ગાયનું ઘી ઉમેરી તેનામાં ઉપરથી તેમાં લીંબડાના પાન ઉમેરી તેનો ધુમાડો કરવાથી એક પણ મચ્છર ઘરમાં રહેશે નહિ અને ગાયના ઘીને સળગાવવાથી ઘરમાં ઓક્સિજનની માત્રા પણ વધે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">