અમુલ્ય: સૂકી દ્રાક્ષના પાણીના આ લાભો વિશે શું તમે જાણો છો? જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Raisin Water Benefits : આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ, કિસમિસનું પાણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં મદદ કરી શકે છે.

અમુલ્ય: સૂકી દ્રાક્ષના પાણીના આ લાભો વિશે શું તમે જાણો છો? જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
Raisin Water Benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 6:52 PM

કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ લોકપ્રિય સૂકામેવામાની એક છે. તેનો ઉપયોગ મોટાભાગે મીઠાઈ બનાવવા માટે થાય છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદ સિવાય આ ડ્રાયફ્રૂટ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કિસમિસનું પાણી એ તમારા શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે ઉર્જા પ્રદાન કરવાની એક સરસ રીત છે.

તમારા હૃદયની તંદુરસ્તી સુધારવાથી લઈને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી, કિસમિસના પાણીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. કિસમિસનું પાણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. તે લિવર સંબંધિત સમસ્યાઓની સારવાર માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે તમે ઘરે કિસમિસનું પાણી કેવી રીતે બનાવી શકો છો અને તેને રોજ પીવાથી શું ફાયદા થાય છે.

કિસમિસનું પાણી કેવી રીતે બનાવવું?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2 કપ પાણી અને 150 ગ્રામ કિસમિસ લો. એક કડાઈમાં પાણી નાખો અને તેને ઉકાળો. હવે તેમાં કિસમિસ ઉમેરો અને તેને આખી રાત પલળવા દો. સવારે આ પાણીને ગાળી લો અને તેને ધીમી આંચ પર ગરમ કરો. આ પાણી સવારે ખાલી પેટ પીવો. તેનું નિયમિત સેવન કરો.

કિસમિસનું પાણી પીવાના ફાયદા

યકૃતને ડિટોક્સ કરે છે

કિસમિસનું પાણી પીવાથી તમારા શરીરમાંથી તમામ હાનિકારક તત્વો બહાર આવી જાય છે. આ પાણી લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જે તમારા લીવરને સરળતાથી ડિટોક્સ કરે છે.

પેટમાં એસિડને નિયંત્રિત કરે છે

જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો તો કિસમિસનું પાણી પીવું તમારા માટે એક ઉત્તમ ઉપાય છે. આ પાણી તમારા પેટમાં રહેલા એસિડને નિયંત્રિત કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે

કિસમિસ પાણીમાં એન્ટીઓકિસડન્ટ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, તમારે કિસમિસના પાણીને તમારા આહારનો એક ભાગ બનાવવો જોઈએ.

હૃદયનું સ્વાસ્થ્ય જાળવે છે

કિસમિસનું પાણી તમારા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. તે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને તે તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

કેન્સર અટકાવે છે

કિસમિસમાં હાજર એન્ટીઓકિસડન્ટ તમારા શરીરને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે જે કેન્સર તરફ દોરી શકે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

સવારે કિસમિસનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. કિસમિસ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી સમૃદ્ધ છે જે તમને ઉર્જાથી ભરપૂર રાખે છે. તેમાં ફાઇબર પણ હોય છે જે તમને લાંબા સમય સુધી ભરેલા પેટનો અનુભવ કરાવે છે.

આ પણ વાંચો: ડાયાલિસિસથી પરેશાન દર્દીઓ માટે રાહતના સમાચાર, કૃત્રિમ કિડનીની મદદથી ડાયાલિસિસમાંથી મળશે મુક્તિ !

આ પણ વાંચો: જો તમે એક મહિના સુધી બ્રશ ન કરો તો દાંતનું શું થશે ? જાણો કેવી રીતે તમારા સ્વાસ્થ્યને થશે નુકસાન

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">