Oral Health: સવારે બ્રશ કરતા પહેલા આ પાનનું કરો સેવન, પાયોરિયા જેવી સમસ્યા થશે દૂર

|

Feb 20, 2022 | 9:54 AM

દાંતમાંથી લોહી નિકળવું અથવા મોઢામાં દુર્ગંધ આવવી એ પાયોરિયાના લક્ષણો માનવામાં આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે હર્બલ વસ્તુઓની મદદ લઈ શકો છો. જાણો આ 5 પ્રકારના પાંદડા વિશે, જેનું સેવન સવારે બ્રશ કરતા પહેલા ફાયદાકારક સાબિત થઈ શકે છે.

1 / 5
તુલસી: તેમાં ઘણા એવા કુદરતી ગુણો છે, જે એક પ્રકારના એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે કામ કરે છે. દાંત અને મોઢાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સવારે વહેલા ઉઠીને તુલસીના 3 થી 4 પાન ચાવો અને તેને પાણી સાથે ગળી લો.

તુલસી: તેમાં ઘણા એવા કુદરતી ગુણો છે, જે એક પ્રકારના એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે કામ કરે છે. દાંત અને મોઢાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સવારે વહેલા ઉઠીને તુલસીના 3 થી 4 પાન ચાવો અને તેને પાણી સાથે ગળી લો.

2 / 5
ફુદીનાના પાન: ફુદીનાના પાન પાયોરિયા જેવી ગંભીર સમસ્યાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલું તત્વ બેક્ટેરિયાને મારી નાખે છે. આ કારણથી ટૂથપેસ્ટમાં પણ ફુદીનો નાખવામાં આવે છે.

ફુદીનાના પાન: ફુદીનાના પાન પાયોરિયા જેવી ગંભીર સમસ્યાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલું તત્વ બેક્ટેરિયાને મારી નાખે છે. આ કારણથી ટૂથપેસ્ટમાં પણ ફુદીનો નાખવામાં આવે છે.

3 / 5
લીમડો : નિષ્ણાંતોના મતે મોઢામાંથી આવતી દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાના પાન સારા માનવામાં આવે છે. આ માટે ખાલી પેટે લીમડાના પાન ચાવવા. તેનાથી પેટની સમસ્યા પણ દૂર રહેશે

લીમડો : નિષ્ણાંતોના મતે મોઢામાંથી આવતી દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાના પાન સારા માનવામાં આવે છે. આ માટે ખાલી પેટે લીમડાના પાન ચાવવા. તેનાથી પેટની સમસ્યા પણ દૂર રહેશે

4 / 5
જામફળના પાનઃ પાયરિયા જેવી સમસ્યાને દૂર કરવા માટે જામફળના પાન ચાવવા જોઈએ. આમ કરવાથી પેઢામાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જાય છે. તેમાં હાજર વિટામિન સી દાંત માટે ખૂબ જ જરૂરી છે.

જામફળના પાનઃ પાયરિયા જેવી સમસ્યાને દૂર કરવા માટે જામફળના પાન ચાવવા જોઈએ. આમ કરવાથી પેઢામાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જાય છે. તેમાં હાજર વિટામિન સી દાંત માટે ખૂબ જ જરૂરી છે.

5 / 5
દાડમના પાનઃ દાડમના ફળ સિવાય તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાયરિયાને દૂર કરવા માટે દાડમના પાન અને કાળા મરીને મોંમાં નાખીને ચાવો. આ અઠવાડિયામાં લગભગ 3 વખત કરો.

દાડમના પાનઃ દાડમના ફળ સિવાય તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાયરિયાને દૂર કરવા માટે દાડમના પાન અને કાળા મરીને મોંમાં નાખીને ચાવો. આ અઠવાડિયામાં લગભગ 3 વખત કરો.

Next Photo Gallery