AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Leaves Benefits: આંબાના પાનથી ઘણી બધી બીમારીઓમાંથી મળશે છૂટકારો, જાણો શું છે તેના ફાયદા

Mango Leaves Benfits : આપણે જાણીએ છે કે કેરી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભ દાયક છે પણ આંબાના પાન પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. ચાલો જાણીએ આંબાના પાનના ફાયદા.

Mango Leaves Benefits: આંબાના પાનથી ઘણી બધી બીમારીઓમાંથી મળશે છૂટકારો, જાણો શું છે તેના ફાયદા
Mango LeavesImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 8:31 PM
Share

ફળો અને ફળોનો રસ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફળોમાં રહેલા વિટામીન શરીરને ઘણી રીતે લાભ આપે છે. જેમ કે રોગ પ્રતિકારક શકિત વધારે, બીમારી સામે લડવામાં મદદ રુપ થાય છે. તેવુ જ એક ફળ છે કેરી. કેરી એટલે ફળોનો રાજા. ઉનાળામાં કેરીને (Mango) વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીના પાન એટલે કે આંબાના પાન પણ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. આ પાન ઔષધીય ગુણો ધરાવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન A, B, C હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ અને બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આંબાના પાનના ફાયદા (Mango Leaves Benefits).

પેટ માટે ફાયદાકારક

આંબાના પાન પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ માટે આંબાના પાનને પાણીમાં પલાળીને આખી રાત રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ આ પાણી પીવો.

વાળના વિકાસમાં મદદરુપ

આંબાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેઓ વાળને નુકસાનથી બચાવે છે. આંબાના પાન વાળના વિકાસમાં મદદ કરે છે. તેઓ વાળ ખરતા પણ અટકાવે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

આંબાના પાન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે. આ માટે આંબાના પાનને પાણીમાં ઉકાળો. આ પાનનું સેવન ઉકાળા તરીકે કરો. આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

ડાયાબિટીસ સામે ફાયદાકારક

આંબાના પાનનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે. આંબાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આંબાના પાનને સૂકવીને તેનો પાવડર બનાવો. આ પાવડરનું દરરોજ સેવન કરો. આંબાના પાનને પાણીમાં ઉકાળો. આ પાંદડાને આખી રાત આ રીતે છોડી દો. આ પાંદડાને ગાળીને સવારે ખાલી પેટ પીવો.

કિડનીની પથરી માટે અસરકારક

કિડનીની પથરીથી છુટકારો અપાવવામાં પણ આંબાના પાન ખૂબ જ અસરકારક છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આંબાના પાનનો પાવડર નાખો. તેને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને આ પાણી પીવો. આ પાણી શરીરમાંથી પથરીને પેશાબ દ્વારા દૂર કરવામાં મદદ કરે છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">