Health Tips: રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કરો આ ફળોનું સેવન, જલ્દી આવશે સારી ઊંઘ

આજની બદલતી જીવનશૈલી વચ્ચે લોકો વ્યસ્ત જીવનના શેડ્યૂલને કારણે ઘણી વખત તણાવમાં હોય છે. રાત્રે થાકી જવા છતાં લોકો બરાબર સૂઈ શકતા નથી. વધુ પડતા તણાવને કારણે આવું થતુ હોય છે. આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલી હોવી ખૂબ જ જરૂરી છે. નહિંતર, ઊંઘની અછતને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં હાઈ […]

Health Tips: રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કરો આ ફળોનું સેવન, જલ્દી આવશે સારી ઊંઘ
Health tipsImage Credit source: the mirror
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 11:42 PM

આજની બદલતી જીવનશૈલી વચ્ચે લોકો વ્યસ્ત જીવનના શેડ્યૂલને કારણે ઘણી વખત તણાવમાં હોય છે. રાત્રે થાકી જવા છતાં લોકો બરાબર સૂઈ શકતા નથી. વધુ પડતા તણાવને કારણે આવું થતુ હોય છે. આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલી હોવી ખૂબ જ જરૂરી છે. નહિંતર, ઊંઘની અછતને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ફળોને પણ આહારમાં સામેલ કરી શકો છો. આ ફળો તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. તો આવો જાણીએ કે તમે કયા ફળોને ડાયટમાં (fruits for good sleep) સામેલ કરી શકો છો.

નારંગી

નારંગીમાં વિટામિન સી વધારે હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ફળ છે. નારંગી શરીરમાં મેલાટોનિનનું સ્તર વધારે છે. તેમાં વિટામિન બી હોય છે. તે તણાવ અને ડિપ્રેશન વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. તે તમારા ઊંઘના ચક્રને સુધારવા માટે કામ કરે છે. તેનું સેવન કરવાથી ચિંતા દૂર થાય છે અને યોગ્ય રીતે ઊંઘવામાં મદદ કરે છે.

કેળા

કેળા એક ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફળ છે. તેમાં વિટામિત B હોય છે. તે સેરોટોનિનનું સ્તર પણ વધારે છે. કેળા તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે બેચેની દૂર કરે છે. કેળા સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પાઈનેપલ

પાઈનેપલ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં મેલાટોનિન વધે છે. તે તણાવ દૂર કરે છે અને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. અનિદ્રાની સમસ્યાથી પીડિત લોકો આહારમાં પાઈનેપલનો સમાવેશ કરી શકે છે. તે પેટના દુખાવાની સમસ્યાને પણ દૂર કરે છે.

કીવી

કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે. તે સારી ઊંઘ લેવામાં પણ મદદ કરે છે. તે એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. તમે સૂવાના સમયના લગભગ 2થી 3 કલાક પહેલા કીવીનું સેવન કરી શકો છો.

ગાજર

ગાજર આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. ગાજરમાં આલ્ફા કેરોટીન હોય છે. તે તમને સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે. તમે જ્યુસ અને સલાડના રૂપમાં ડાયટમાં ગાજરનો સમાવેશ કરી શકો છો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">