AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ડેન્ગ્યુની સારવારમાં બકરીનું દૂધ ‘દવા’ તરીકે કામ કરે છે ? જાણો નિષ્ણાંતો શું કહે છે !

લોકો ડેન્ગ્યુની સારવાર માટે બકરીનું દૂધ પી રહ્યા છે. બકરીના દૂધની માગમાં વધારો થતાં તેની કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને ઘણી જગ્યાએ બકરીનું દૂધ બજારમાં 1500 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે.

શું ડેન્ગ્યુની સારવારમાં બકરીનું દૂધ 'દવા' તરીકે કામ કરે છે ? જાણો નિષ્ણાંતો શું કહે છે !
Goat Milk Used In Dengue Treatment
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 2:42 PM
Share

દેશમાં ડેન્ગ્યુના (Dengue Fever) કેસો સતત વધી રહ્યા છે અને ડેન્ગ્યુના કારણે સ્થિતિ ખરાબ છે. સરકાર દ્વારા ઘણા પગલા પણ લેવામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુના કેસો વધે ત્યારે બકરીના દૂધની (Goat Milk) માગ પણ વધી જાય છે. ફરી એક વાર આવું જ થઈ રહ્યું છે અને લોકો ડેન્ગ્યુની સારવાર માટે બકરીનું દૂધ પી રહ્યા છે. બકરીના દૂધની માગમાં વધારો થતાં તેની કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને ઘણી જગ્યાએ બકરીનું દૂધ બજારમાં 1500 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે.

આ પહેલી વાર નથી, ભૂતકાળમાં પણ બકરીના દૂધના (Goat Milk) ભાવમાં ઘણો વધારો થયો છે અને ડેન્ગ્યુના સમયમાં ઘણી વખત બકરીના દૂધના ભાવમાં વધારો થાય છે. આ સ્થિતિમાં આપણે જાણીએ કે બકરીના દૂધમાં શું હોય છે, જેના કારણે બકરીના દૂધની માગ વધે છે. ડેંગ્યુમાં બકરીનું દૂધ પીવાની સલાહ કેમ આપવામાં આવે છે તેને લગતી દરેક બાબતો જાણો.

બકરીના દૂધમાં શું છે ? બકરીના દૂધમાં ચરબી, પ્રોટીન, લેક્ટોઝ, મિનરલ્સ અને વિટામિન હોય છે, જેના કારણે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડેરી ઉત્પાદનોમાં મળતા તત્વો ઉપરાંત, બકરીના દૂધમાં લિપિડ અને ઘણા પ્રકારના એસિડ પણ હોય છે, જે પાચનમાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં આવા ઘણા તત્વો છે, જે રોગને રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ અને વિટામિન ડી મળી આવે છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

ડેન્ગ્યુમાં શા માટે મદદરૂપ છે ? ઘણા અહેવાલોમાં બહાર આવ્યું છે કે બકરીના દૂધમાં એક મહત્વની વસ્તુ છે, જેનું નામ છે સેલેનિયમ. ડેન્ગ્યુમાં મુખ્ય ખતરો સેલેનિયમ અને પ્લેટલેટ કાઉન્ટ છે. આ સાથે બકરીના દૂધ શરીરને સેલેનિયમ પૂરું પાડે છે અને આ ડેન્ગ્યુ સામે લડવામાં મદદ કરે છે. તે ગાયના દૂધમાં પણ હોય છે, પરંતુ બકરીના દૂધમાં તેનું પ્રમાણ વધારે છે. આ સાથે બકરીનું દૂધ પાચનમાં પણ ઉપયોગી છે.

બકરીના દૂધ વિશે ઘણી ગેરસમજો એડિશનલ ડાયરેક્ટર (હેલ્થ) એ.કે. સિંહે કહ્યું કે, ગાય અને બકરીનું દૂધમાં લગભગ સમાન પોષક તત્વો છે. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે બકરીના દૂધથી પ્લેટલેટ વધે છે. આવી ગેરસમજો ફેલાવવામાં આવે છે. ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતા લોકોએ યોગ્ય ડોકટરોની સલાહ લેવી જોઈએ અને દવાઓના નિર્ધારિત કોર્સને અનુસરવું જોઈએ. આ સાથે નાળિયેર પાણી, કિવિ અને પપૈયાના પાંદડાનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : શાકભાજીની નર્સરીમાંથી લાખો રૂપિયા કમાય છે આ ખેડૂત, જાણો તેની ખેતી પદ્ધતિ

આ પણ વાંચો : બટાકાના ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, બમ્પર ઉત્પાદન માટે બટાકાની આ જાતોનું વાવેતર કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">