AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: લીલા વટાણા નથી સામાન્ય શાકભાજી, તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ જાણીને અચંબિત થઇ જશો

લીલા વટાણાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેઓ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. ચાલો જાણીએ કે તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

Health Tips: લીલા વટાણા નથી સામાન્ય શાકભાજી, તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ જાણીને અચંબિત થઇ જશો
Know the Health benefits of green peas
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:49 AM
Share

લીલા વટાણા કોના ઘરે નહીં હોય. આપણા સૌના ઘરે આ વટાણા જોવા મળતા હોય છે. બેમાંથી એક સમયના ભોજનમાં પણ કદાચ વટાણાનો ઉપયોગ થાય છે. મોટાભાગે વટાણાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. રસોઈના સ્વાદ માટે વટાણાને વિવિધ શાકભાજી સાથે બનાવવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વટાણા સ્વાસ્થ્ય માટે કેટલા સારા છે. ખરેખરમાં વટાણાને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તેમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. ચાલો આજે તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે કેવી રીતે વટાણા ફાયદાકારક છે.

પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ

લીલા વટાણા પૌષ્ટિક આહાર છે. લીલા વટાણા પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેમેજ એન્ટીઓકિસડન્ટોથી પણ સમૃદ્ધ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે

વટાણા ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તે ટાઈપ 2 ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

પાચનમાં મદદ કરે છે

લીલા વટાણામાં મોટી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફાઇબર તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાને જીવંત રાખે છે અને બિનઆરોગ્યપ્રદ બેક્ટેરિયાને એકઠા થતા અટકાવે છે. વટાણા કોલોન કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.

ક્રોનિક રોગોને દૂર કરવામાં મદદ કરે છે

લીલા વટાણા મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમથી સમૃદ્ધ છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. લીલા વટાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન સી પણ હોય છે, જે હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

જાણે અજાણે અલગ અલગ શાકભાજીમાં ખવાતા વટાણાના પણ અદ્ભુત સ્વાસ્થ્ય લાભ છે. અલગ અલગ શાકભાજીમાં વપરાતા વટાણાનું પણ અલગ શાક બની શકે છે. તે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

આ પણ વાંચો: Health Tips: ઘીના આ ઘરેલું ઉપાય તમને પણ નહીં ખબર હોય, અનેક રોગમાં નીવળી શકે છે ફાયદાકારક

આ પણ વાંચો: Health: ઉઘાડા પગે 420 કિમી દોડનાર મિલિંદ સોમન દોડતા પહેલા શું ખાય છે ? શું છે તેમના ફિટનેસનું સિક્રેટ ?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
g clip-path="url(#clip0_868_265)">