AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Water: જો તમે પણ તડકામાંથી આવીને ફ્રિજનું ઠંડુ પાણી પીઓ છો તો ચેતી જજો, શરીરને પહોંચાડી શકે છે નુકસાન

ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે લોકો લિક્વિડ ડ્રિંક્સનું સેવન કરે છે, જેમાં સામાન્ય પાણીની સાથે-સાથે લોકો લસ્સી, જ્યૂસ અને નારિયેળ પાણી સહિત વિવિધ પ્રકારના પીણાંનું સેવન કરે છે.

Cold Water: જો તમે પણ તડકામાંથી આવીને ફ્રિજનું ઠંડુ પાણી પીઓ છો તો ચેતી જજો, શરીરને પહોંચાડી શકે છે નુકસાન
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 4:24 PM
Share

ઉનાળાની ઋતુમાં તડકામાંથી આવી ઠંડુ પાણી પીવાથી લોકોને ગરમીથી રાહત મળે છે. ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે લોકો લિક્વિડનું સેવન કરે છે, જેમાં સામાન્ય પાણીની સાથે-સાથે લોકો લસ્સી, જ્યૂસ અને નારિયેળ પાણી સહિત વિવિધ પ્રકારના પીણાંનું સેવન કરે છે. નિષ્ણાતોના મતે હાઇડ્રેટ રહેવા માટે ઓછામાં ઓછું આઠથી 10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: નાની ઉંમરે કેમ સફેદ થઈ જાય છે વાળ? રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

પાણી પીતી વખતે યોગ્ય તાપમાન હોવું પણ જરૂરી છે. પાણીનું તાપમાન આરોગ્ય પર અસર કરે છે. ઉનાળામાં લોકો ફ્રીજનું પાણી પીવે છે કારણ કે તેઓ ઠંડુ પાણી પીવા માંગે છે. તરસ છીપાવવા અને થાક દૂર કરવા માટે લોકો ગમે ત્યારે ઠંડુ પાણી પીવે છે, ભલે તે થોડા સમય માટે ગરમીથી રાહત આપે છે, પરંતુ તેનાથી ઘણું નુકસાન પણ થાય છે.

આયુર્વેદમાં ઠંડા પાણીને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું છે. ખાસ કરીને ફ્રીજમાંથી ઠંડુ કરેલું પાણી બિલકુલ ન પીવું જોઈએ. તડકામાંથી આવ્યા પછી, કસરત કર્યા પછી અથવા જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડે છે. જો તમે પણ ઉનાળામાં ખોટા સમયે અને ખોટી રીતે ઠંડા પાણીનું સેવન કરો છો તો જાણી લો તમારા સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે.

પાચન પર અસર

શરીર કોઈપણ પદાર્થને તેના તાપમાન પર લાવે છે, જેને તે પાચન માટે મોકલે છે, પરંતુ ખૂબ જ ઓછા તાપમાનની વસ્તુઓ ખાવાથી, શરીર તેના તાપમાન અનુસાર તે કરવાનું શરૂ કરે છે, જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને અપચો થાય છે. પેટમાં ઠંડુ પાણી પાચનતંત્રને અસર કરે છે. સંશોધન મુજબ, ઠંડુ પાણી રક્તવાહિનીઓને સંકોચાય છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે.

ગળામાં દુખાવો

ઘણીવાર, ગળામાં દુખાવો અથવા અવાજમાં ફેરફાર પર, વડીલો કહે છે કે તેઓએ ઠંડુ પાણી પીધું જ હશે. આ પણ સાચું છે, ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો થાય છે. ફ્રીજમાંથી ઠંડુ પાણી પીધા પછી આવી સમસ્યા થવી સામાન્ય વાત છે. બીજી તરફ, જો તમે જમ્યા પછી ઠંડુ પાણી પીવો છો, તો લાળ બનવાનું શરૂ થાય છે અને શ્વાસ નળી બંધ થઈ જાય છે. જેના કારણે ગળામાં ખરાશ, લાળ, શરદી અને ગળામાં સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

હૃદયના ધબકારા પર અસર

ઠંડા પાણી પીવાથી તમારા શરીરના ધબકારા પણ ઘટી શકે છે. એક અભ્યાસ મુજબ, ફ્રીજનું ઠંડુ પાણી વધુ પીવાથી દસમી ક્રેનિયલ નર્વ (વૅગસ નર્વ) ઉત્તેજિત થાય છે. નર્વ શરીરના અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરવાનું કામ કરે છે. નીચા તાપમાનના પાણીની અસર સીધી વેગસ નર્વ પર પડે છે, જેના કારણે હૃદયના ધબકારા ઘટી જાય છે.

માથાના દુખાવાની સમસ્યા

જો તમે તડકામાંથી આવ્યા પછી તરત જ ખૂબ ઠંડુ પાણી અથવા બરફનું પાણી પીતા હો તો બ્રેઈન ફ્રીઝ થઈ શકે છે. ઠંડા પાણીનું સેવન કરવાથી તમારી કરોડરજ્જુની ઘણી નસો ઠંડી પડી શકે છે, જે મગજને અસર કરે છે અને માથાનો દુખાવો થાય છે. આ સ્થિતિ સાઇનસની સમસ્યાથી પીડિત લોકોની સમસ્યા વધારી શકે છે.

વજન ઘટાડવાની સમસ્યા

જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ. ઠંડા પાણીના કારણે શરીરમાં રહેલી ચરબીને ઓછી કરવામાં મુશ્કેલ બની જાય છે. ફ્રિજના પાણીથી શરીરની ચરબી સખત થઈ જાય છે, જેના કારણે ચરબી ઘટાડવામાં સમસ્યા થાય છે અને વજન ઘટતું નથી.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

                    tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

                  બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">