Health : શા માટે વિટામિન E છે શરીર માટે જરૂરી ? જાણો કારણ
કેટલાક સંશોધનો અનુસાર, વિટામિન E માનસિક સ્વાસ્થ્યને પણ વેગ આપી શકે છે. તે તણાવ ઘટાડે છે, જે ડિપ્રેશન સહિત અન્ય ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.
વિટામિન ઇ (Vitamin E) એક પોષક તત્વ છે જે ચરબીમાં દ્રાવ્ય છે અને તે દૈનિક આહારમાં(Food ) સમાવિષ્ટ ઘણા ચરબીયુક્ત ખોરાકમાં જોવા મળે છે. વિટામીન E વનસ્પતિ તેલ, માંસ, ચિકન, ઈંડા અને અમુક ફળોમાં હાજર હોય છે. વિટામીન E શરીરના વિવિધ અવયવોની યોગ્ય કામગીરીમાં મહત્વનો ભાગ ભજવે છે. તે જ સમયે, વિટામિન સીની જેમ, વિટામિન ઇ પણ એક મહત્વપૂર્ણ એન્ટીઑકિસડન્ટ છે.
વિટામિન E ની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, વિટામિન Eની ઉણપના કિસ્સાઓ અન્ય વિટામિન્સની ઉણપના કિસ્સાઓ કરતાં ઘણા ઓછા છે. અહીં વાંચો શા માટે વિટામિન E આપણા શરીર માટે મહત્વપૂર્ણ પોષક તત્વ માનવામાં આવે છે. તેની ઉણપના લક્ષણો અને વિટામિન Eમાંથી કુદરતી ખાદ્ય સ્ત્રોતો વિશે પણ જાણો.
નબળાઈ દૂર થઈ શકે છે કેટલાક અભ્યાસો અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન Eની ઉણપથી બાળકમાં નબળાઈ આવી શકે છે. વિટામિન E ની પૂરતી માત્રા સાથે, શરીરમાં લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ વધુ સારી રીતે થઈ શકે છે, જે નબળાઇ અને એનિમિયા જેવી સમસ્યાઓની શક્યતાને પણ ઘટાડી શકે છે.
ત્વચાને યુવાન અને સ્વસ્થ રાખે છે વિટામિન E એ વૃદ્ધત્વ વિરોધી એજન્ટ છે જે ત્વચાને લાંબા સમય સુધી જુવાન રાખવામાં મદદ કરી શકે છે. વિટામીન Eની પૂરતી માત્રાને કારણે ત્વચા મક્કમ રહે છે. આના કારણે ચહેરા પર દેખાતા વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે ફાઈન લાઈન્સ અને કરચલીઓ મોડેથી દેખાય છે. એ જ રીતે, વિટામિન ઇ ત્વચાની કુદરતી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઇ શકે છે આ પોષક તત્વ શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારી શકે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે, વિટામિન ઇનું સેવન મોસમી રોગો અને ચેપનું જોખમ પણ ઘટાડી શકે છે. એ જ રીતે, વિટામિન ઇ પણ એલર્જીક પ્રતિક્રિયાઓની શક્યતા ઘટાડે છે.
તણાવ ઘટાડી શકાય છે કેટલાક સંશોધનો અનુસાર, વિટામિન E માનસિક સ્વાસ્થ્યને પણ વેગ આપી શકે છે. તે તણાવ ઘટાડે છે, જે ડિપ્રેશન સહિત અન્ય ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. જ્યારે, વિટામીન Eનો અભાવ માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
આ પણ વાંચો : Women and Health: પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા માગો છો? આ પીણાનું સેવન કરો
આ પણ વાંચો : Corona: મોબાઈલ પણ તમને કરી શકે છે સંક્રમિત, આ સાવચેતીઓ રાખો
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)