AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: મોબાઈલ પણ તમને કરી શકે છે સંક્રમિત, આ સાવચેતીઓ રાખો

કોરોના વાઈરસ હવે નવા સ્વરૂપમાં દેખાયો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આપણે બધાએ સુરક્ષિત રહેવાની જરૂર છે. આજે અમે તમને કોવિડના સમયમાં ફોનને સાફ કરવાની ટિપ્સ વિશે જણાવીશું.

Corona: મોબાઈલ પણ તમને કરી શકે છે સંક્રમિત, આ સાવચેતીઓ રાખો
Smartphone Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 4:44 PM
Share

કોરોના (Corona) મહામારીનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હવે ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેર (third wave) શરુ થઈ રહી છે. ફરી એકવાર કોરોના વાઈરસ (Corona virus)ના કારણે લોકો તેમના ઘરોમાં બંધ થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં તમારે પણ સાવચેતી રાખવાની જરુર છે. જ્યાં આપણે વારંવાર હાથ ધોતા હોઈએ છીએ અથવા હાથ સાફ કરીએ છીએ તો તેની સાથે આપણે આપણા ફોનનું પણ ધ્યાન રાખવું જોઈએ.

આપણે ઘણીવાર ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોને સાફ કરવાની અવગણના કરીએ છીએ. પરંતુ આ દિવસોમાં જે રીતે કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, તેનાથી સાવચેત રહેવાની જરૂર છે. સમગ્ર વિશ્વમાં નવા કોવિડ-19 વેરિઅન્ટ ઓમિક્રોન સાથે સ્વચ્છતાની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે.

ફોનને જંતુમુક્ત કરો

આપણા હાથની સાથે આપણે આપણા હંમેશા ઉપયોગમાં લેવાતા ફોનને બેક્ટેરિયા મુક્ત રાખવો જોઈએ. એક અભ્યાસ અનુસાર એક સેલ ફોન ટોયલેટ સીટ કરતા 10 ગણા વધુ બેક્ટેરિયા લઈ શકે છે. આવી સ્થિતિમાં ચેપ અને વાઈરસના સંભવિત ટ્રાન્સમિશનને રોકવા માટે આપણા સેલ ફોનને જંતુમુક્ત રાખવો મહત્વપૂર્ણ છે.

એવું કહેવામાં આવે છે કે મોબાઈલ ફોનને સ્વચ્છ રાખવો એટલા માટે પણ જરૂરી છે કારણ કે તે ચહેરા અથવા મોઢાના સીધા સંપર્કમાં આવે છે, પછી ભલે તમે ગમે તેટલી વાર સારી રીતે હાથ સાફ કર્યા હોય, ફોનના કારણે સંક્રમણ ફેલાઇ શકે છે.

સ્વચ્છ મોબાઈલ

આજના યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. લગભગ દરેક વ્યક્તિને પ્રદૂષિત વાતાવરણમાં પણ ફોન દરેક જગ્યાએ લઈ જવાની આદત હોય છે. લોકો વચ્ચે ફોન શેર કરવો એ પણ એક સમસ્યા છે.

ઘણીવાર આપણે કોઈ અન્ય કારણસર આપણો ફોન બીજાને આપીએ છીએ, તેના કારણે ફોન દ્વારા બીજાના હાથનો ચેપ તમારા સુધી પહોંચે છે. એટલે જો તમે તમારો ફોન કોરોના સંક્રમિત વ્યક્તિને આપ્યો છે તો ફોન દ્વારા વાઈરસ તમારા સુધી પણ પહોંચશે.

આવી સ્થિતિમાં કોઈને ફોન આપ્યા પછી તમારે નિયમિતપણે તમારા ફોનને એન્ટી-બેક્ટેરિયલ વાઈપ્સથી સાફ કરવો જોઈએ. જો તમે આ કોવિડના સમયમાં ઘરની બહાર જઈ રહ્યા છો તો સેનિટાઈઝ કર્યા વિના ફોનને સ્પર્શ ન કરો, જો તમે કોઈને ફોનનો ઉપયોગ કરવા આપ્યો છે તો ઘરે આવ્યા પછી તેને ચોક્કસપણે સાફ કરો. ફોન સાફ કર્યા પછી જ ઉપયોગ કરો. ફોનને સાફ કરવા માટે તમે જંતુનાશક સ્પ્રેને બદલે આલ્કોહોલ સ્વેબ (60 ટકા પાણી અને 40 ટકા સોફ્ટ કપડા પર આલ્કોહોલ ઘસવું)નો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ Child Health : બાળકને મચ્છર કરડે તો આ અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">